By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    4 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    6 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor
Last updated: 2026/06/20 at 3:24 PM
Khaskhabar Editor 1 month ago
Share
9 Min Read
SHARE

બેંકોની બેવડી નીતિ સામે સુપ્રિમ કોર્ટ લાલઘૂમ

રિના બ્રહ્મભટ્ટ : વિશેષ

- Advertisement -

હાલમાં જ દેશની સરકારી બેંકોમાં સામાન્ય ગ્રાહકો સાથે થતા પક્ષપાત અને મોટા ઉદ્યોગપતિઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદારતા સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરા પ્રહારો કર્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત દેશની મોટી સરકારી બેંકોની કામ કરવાની પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે બેંકોનો જોરદાર ઉધડો લીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે કે, બેંકો સામાન્ય પ્રજાને નાની લોન આપવાના નામે ભારે હેરાન પરેશાન કરી રહી છે.

સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન બેંકિંગ સિસ્ટમની એક અત્યંત ચિંતાજનક વાસ્તવિકતા સામે લાવી છે. અદાલતે નોંધ્યું કે, જ્યારે કોઈ મોટો ઉદ્યોગપતિ કે ખાનગી કંપની કરોડો-અબજો રૂપિયાની લોન માંગે છે, ત્યારે બેંકો કોઈ પણ પ્રકારની ઊંડી તપાસ કર્યા વગર આંખો બંધ કરીને લોન મંજૂર કરી દે છે. પરિણામે થોડા સમય પછી આ જ કરોડો રૂપિયા એનપીએ (NPA) થઈ જાય છે અને ડૂબી જાય છે.જ્યારે તેની સામે, એક સામાન્ય મધ્યમવર્ગીય માણસ પોતાના ઘર, શિક્ષણ કે અંગત જરૂરિયાત માટે નાની લોન લેવા જાય ત્યારે તેને વ્યાજ અને કાગળોના ચક્કરમાં લટકાવી રાખવામાં આવે છે. ત્યારે અહીં મુદ્દો તે જ છે કે, “સામાન્ય પ્રજા લોન માટે ધક્કા ખાય, અમીરો પર કરોડોની લહાણી ?

જેમ દેશમાં ઉદ્યોગોને કરોડોની સબસિડી મળે છે, તેની સામે સરકારી બેંકોમાં પણ સામાન્ય મધ્યમવર્ગીય ગ્રાહકો સાથે પક્ષપાત અને મોટા ઉદ્યોગપતિઓ પ્રત્યે ઉદારતા દાખવવામાં આવે છે. ત્યારે હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એક કેસમાં સુપ્રિમ કોર્ટે બેંકોનો જોરદાર ઉધડો લીધો છે અને લોન રિકવરી પ્રોસેસને વધુ માનવીય બનાવવાનો આદેશ આપ્યો છે.

- Advertisement -

આમાં સામાન્ય માણસને શું નુકસાન?
કોર્પોરેટ જગતમાં આ હેરકટ ક્યારેક ૮૦% થી ૯૦% સુધીના પણ હોય છે. નુકસાન એ છે કે આ સરકારી બેંકો છે. જ્યારે બેંક ₹૭,૦૦૦ કરોડનું નુકસાન ભોગવે, ત્યારે એ ખોટ પૂરી કરવા માટે સરકાર આપણા (ટેક્સપેયર્સના) પૈસા બેંકોમાં નાખે છે (RECAPITALIZATION). એટલે કે ઉદ્યોગપતિઓની લોનનું નુકસાન આડકતરી રીતે દેશની આમ જનતાએ જ ભોગવવું પડે છે. જ્યારે સામાન્ય માણસ પોતાની ₹૫ લાખની હોમ લોનમાં આવો કોઈ ‘હેરકટ’ માંગવા જાય, તો બેંક એક રૂપિયો પણ જતો કરતી નથી! ત્યારે અહીં એક આખો તફાવત ઉડીને આંખે વળગે છે.ખરેખર બેંકો અને તેમાં પણ લોન વિભાગ તે સામાન્ય માણસ માટે તેવું હાથવગું હથિયાર હોવું જોઈએ કે, જે તે ક્યારેય પણ કોઈપણ સમસ્યા માં હોય તો તેને ઉગારવા કામમાં આવે તો દેવાદાર કે સામાન્ય માણસે આત્મહત્યા ન કરવી પડે તેને બેંક જ મદદ કરી ઉગારે.હા, ભલે તેની સામે ઉદ્યોગપતિઓને લોન આપવામાં આવે તેનો વાંધો નથી પણ આ અસમાનતા દૂર કરવામાં આવે.પણ બદનસીબીએ બેંકો કોર્પોરેટ નો હાથો બની જાય છે.ત્યારે અહીં બેંકો કોર્પોરેટ્સ માટે શું શું ધંધા કરે છે તે થોડું જોઈએ તો,

મોટા કોર્પોરેટ્સ માટે “રાઈટ-ઓફ” અને “હેરકટ”:
જયારે મોટી કંપનીઓને કરોડોની લોન આપે છે, ત્યારે બેંકો ઘણીવાર પોતાની બેલેન્સ શીટ ચોખ્ખી કરવા તેને “રાઈટ-ઓફ” (Write-off) એટલે કે માંડવાળ ચોપડે નોંધી લે છે. એટલું જ નહીં, ઇન્સોલ્વન્સી (IBC) કોર્ટમાં સેટલમેન્ટ વખતે બેંકો “હેરકટ” લે છે. એટલે કે જો કંપની પર ₹૧૦,૦૦૦ કરોડનું દેવું હોય, તો બેંક તેની પાસેથી માત્ર ₹૩,૦૦૦ કરોડ લઈને બાકીના ₹૭,૦૦૦ કરોડ જતા કરે છે! આ નુકસાન આખરે દેશના કરદાતા (Taxpayer) ના માથે જ જાય છે.

વિશેષમાં અહીં ખાસ જાણી લો કે, હેરકટ અને રાઈટ-ઓફ એ કોઈ “ગુનો કે કૌભાંડ” નથી, તે આરબીઆઈની પ્રોસેસ છે.  સૌથી મોટો મુદ્દો એ છે કે બેંકો જે હેરકટ લે છે કે રાઈટ-ઓફ કરે છે, તે કોઈ ચોરી છૂપીથી થતું ગેરકાયદેસર કામ નથી. તે ભારત સરકારના IBC (Insolvency and Bankruptcy Code) કાયદા અને RBI (રિઝર્વ બેંક) ના નિયમો હેઠળ થતી એક સત્તાવાર કાનૂની પ્રક્રિયા છે.એટલે અહીં કાયદાનો આમ છીંડા શોધી તે પ્રકારે દુરુપયોગ કરાય છે કે, લોકો બિચારા બની તમાશો જ જોયા કરે.

બેંકોની બેવડી નીતિ અને NPA નું કડવું સત્ય”:

NPA એટલે શું? (ડૂબત ખાતાનું ગણિત)
જ્યારે કોઈ ગ્રાહક કે મોટી કંપની બેંક પાસેથી લોન લે છે, ત્યારે નિયમ મુજબ દર મહિને વ્યાજ અને હપ્તો (EMI) ચૂકવવો પડે છે.
> NPA (Non-Performing Asset): જો કોઈ લોનનો હપ્તો કે વ્યાજ સતત ૯૦ દિવસ (૩ મહિના) સુધી બેંકને પાછો ન મળે, તો બેંક તેને ‘ડૂબત દેવું’ એટલે કે NPA જાહેર કરી દે છે.

આમાં બે પ્રકારના લોકો હોય છે:*
1.જેન્યુઈન ડિફોલ્ટર:* ધંધામાં સાચું નુકસાન ગયું હોય કે નોકરી ગઈ હોય એટલે પૈસા ન ભરી શકે.
2.વિલફુલ ડિફોલ્ટર (ઈરાદાપૂર્વક નાણાં ન ચૂકવનાર): વિજય માલ્યા, નીરવ મોદી કે મેહુલ ચોક્સી જેવા લોકો, જેમની પાસે સંપત્તિ હોવા છતાં બેંકના કરોડો રૂપિયા ઓળવીને વિદેશ ભાગી જાય છે.

જ્યારે કોઈ મોટી કંપની કે ઉદ્યોગપતિ બેંકના હજારો કરોડ રૂપિયા નથી ચૂકવી શકતા અને મામલો કોર્ટ (IBC – ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ) માં જાય છે, ત્યારે બેંકને ખબર પડી જાય છે કે આની પાસેથી પૂરેપૂરા પૈસા પાછા મળવાના નથી.આવી સ્થિતિમાં બેંક પોતાના અસલી પૈસા બચાવવા માટે કંપની સાથે સેટલમેન્ટ (સમજોતો) કરે છે. આ સેટલમેન્ટ હેઠળ બેંક પોતાની લોનની રકમનો એક બહુ મોટો હિસ્સો ‘જતો’ (માફ) કરે છે. બેંકે સ્વેચ્છાએ લીધેલા આ આર્થિક નુકસાનને જ બેંકિંગની ભાષામાં હેરકટ’ કહેવાય છે.

ધારો કે એક મોટા ઉદ્યોગપતિએ સરકારી બેંક પાસેથી ₹૧૦,૦૦૦ કરોડની લોન લીધી. હવે કંપની ડૂબી ગઈ અને હાથ ઊંચા કરી દીધા. કોર્ટમાં લાંબી પ્રોસેસ પછી બેંક અને ઉદ્યોગપતિ વચ્ચે સેટલમેન્ટ થાય છે કે: “તમે મને ₹૩,૦૦૦ કરોડ આપી દો, બાકીના ₹૭,૦૦૦ કરોડ આપણે માંડવાળ કરીએ.”

લોનની અસલી રકમ: ₹૧૦,૦૦૦ કરોડ
બેંકે વસૂલ કરેલી રકમ: ₹૩,૦૦૦ કરોડ
બેંકે જતી કરેલી રકમ: ₹૭,૦૦૦ કરોડ (૭૦% હેરકટ)

ટૂંકમાં કહીએ તો: બેંકે પોતાના વાળ કાપવાની જેમ પોતાની લોનની રકમ કાપી નાખી! આ કિસ્સામાં બેંકે ૭૦% નો ‘હેરકટ’ લીધો ગણાય.

એક્શન બેંક પોતાના ચોપડા (Balance Sheet) માંથી લોનને હટાવી દે છે જેથી ટેક્સ બચે અને ખાતું ચોખ્ખું દેખાય. બેંક કાનૂની કરાર કે સેટલમેન્ટ કરીને ઓફિશિયલી પૈસા જતા કરે છે.

રિકવરીની આશા લોન રિકવરીની પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં ચાલુ જ રહે છે (ગમે ત્યારે વસૂલ થઈ શકે). આ ફાઈનલ સેટલમેન્ટ છે. એકવાર હેરકટ લીધા પછી બેંક બાકીના પૈસા ક્યારેય પાછા માંગી શકતી નથી.

વધુમાં સામાન્ય માણસ માટે બેન્ક સખ્ત હોય છે , “સરફેસી એક્ટ” નો કોરડો:
બીજી તરફ, મધ્યમવર્ગીય માણસ પોતાની હોમ લોન, કાર લોન કે એજ્યુકેશન લોનમાં જો ભૂલથી પણ ૨-૩ હપ્તા ચૂકી જાય, તો બેંક તરત જ ઘાતકી વલણ અપનાવે છે. રસ્તા પરથી ગાડી જપ્ત કરવી, ઘરની બહાર હરાજીની નોટિસ ચોંટાડી દેવી કે રિકવરી એજન્ટ્સ મોકલી માનસિક ત્રાસ આપવો — આ નાના ગ્રાહકોની રોજની વેદના છે, જેમના કારણે રીટેલ લોનમાં NPA માત્ર ૧% થી ૨% જ હોય છે!

સુપ્રિમ કોર્ટની ટિપ્પણી બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રિકવરી નિયમો ગ્રાહકો માટે કાનૂની હથિયાર બન્યા છે.
સમય મર્યાદા: કોઈ પણ રિકવરી એજન્ટ ગ્રાહકને સવારે ૮:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૭:૦૦ વાગ્યા પછી ફોન કરી શકતો નથી કે ઘરે જઈ શકતો નથી.
ધમકી નિષેધ: ગ્રાહક સાથે ગેરવર્તણૂક કરવી, ગાળાગાળી કરવી કે માનસિક ટોર્ચર કરવું એ કાયદાકીય ગુનો છે.
ગોપનીયતા (Privacy): લોન બાકી હોવાની માહિતી પાડોશી કે સગા-સંબંધીઓને કહીને ગ્રાહકને સામાજિક રીતે બદનામ કરી શકાય નહીં.

ઉકેલ અને ગ્રાહકોના અધિકારો
1. લોન રિસ્ટ્રક્ચરિંગ (Restructuring): જો તમારી જેન્યુઈન મુશ્કેલી હોય, તો બેંક મેનેજરને લેખિતમાં અરજી આપીને હપ્તા નાના કરાવી શકાય છે અથવા સમય મર્યાદા વધારી શકાય છે.
2. બેંકિંગ લોકપાલ (Banking Ombudsman):જો કોઈ રિકવરી એજન્ટ હેરાન કરે, તો બેંકમાં ફરિયાદ કર્યાના ૩૦ દિવસમાં ઉકેલ ન આવે તો સીધા RBI ની વેબસાઈટ (cms.rbi.org.in) પર ઓનલાઈન ફરિયાદ કરો. RBI આવી બેંકો પર મોટો દંડ ફટકારે છે.

આખરે ત્યારે ત્યારે અહીં મુદ્દો તે જ છે કે, “નિયમો અને કાયદા અમીરો માટે જેટલા સરળ અને રાહત આપનારા છે, તેટલા જ માનવીય અને સરળ સામાન્ય મધ્યમવર્ગ માટે પણ હોવા જોઈએ.”* આને “સિસ્ટમની અસમાનતાની ચર્ચા” કહેવાય, જે લોકશાહીમાં દરેક નાગરિકનો હક છે.વિકાસ અને બેંકિંગ સિસ્ટમ ત્યારે જ સાચી કહેવાય જ્યારે કાયદો અબજોપતિ અને સામાન્ય નોકરિયાત વર્ગ બંને માટે સમાન હોય. અમીરોની મોટી લોન પાસ કરતી વખતે કડક તપાસ (Risk Assessment) થવી જોઈએ અને સામાન્ય માણસની મજબૂરી વખતે રિકવરી પ્રોસેસ થોડી વધુ માનવીય હોવી જોઈએ.

You Might Also Like

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન
Next Article ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?