શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુક્ત ઉપક્રમે
81 બાળકોને રસી મૂકવામાં આવી તથા 103 જેટલા બાળકોને અન્ય રોગનું નિદાન કરી દવા અપાઇ
- Advertisement -
ગાલપચોળિયાની રસી વિનામૂલ્યે મૂકવાનો કાર્યક્રમ એ સમાજ માટે અવેરનેસની મિશાલ છે: પરસોતમ રૂપાલા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
તારીખ 21.4.2024 રવિવારના રોજ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટના ભવન કિલ્લોલ, 1-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વઝોન ઓફિસ સામે, ભાવનગર રોડ ખાતે હાલ ગાલપચોળિયાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય 1 થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબીની રસી મૂકવાનો કેમ્પ અને સાથે સાથે બાળકોને થતા વિવિધ રોગોની તપાસ કરી જરૂરી દવા વિનામૂલ્યે આપવાનો કેમ્પ યોજાય ગયો.
- Advertisement -
આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલીયા, ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલિબેન રૂપાણી, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની, બીપીનભાઈ વસા તથા કેમ્પમાં સેવા આપનાર ડો. નિખિલભાઈ શેઠ (બાળરોગ નિષ્ણાંત), ડો. નિલભાઈ વાછાણી (બાળરોગ નિષ્ણાંત) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકતા શ્રી પરસોતમ રૂપાલાજીએ જણાવ્યું હતું કે રૂપાણી દંપતીને પોતાના વહાલસોયા દીકરાના વિદાયની કઠોળ ક્ષણને ભૂલીને સમાજના બાળકોનું ઉત્કર્ષ કરવાની પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવો એ તેમને થયેલ પૂર્વ સંસ્કારનો એક ભાગ છે. ગાલપચોળિયા એક સામાન્ય રોગ ગણાય પણ આ રોગની અન્ય અસર બહુ ગંભીર હોય છે. આ રોગની રસીની કિંમત આશરે રૂ.700 જેટલી હોય છે જે આજના આ કેમ્પમાં બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવેલ છે. આવું કરીને વિજયભાઈએ અવેરસની એક મિશાલ પ્રગટાવી છે તે ધન્યવાદને પાત્ર છે. લોકો વધુમાં વધુ જાગૃત થાય અને આજના આ કેમ્પનો ભરપૂર લાભ ઉઠાવે તેવી અપીલ કરી હતી.
કેમ્પના ઉદઘાટન કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ચીતાર રજૂ કરી સ્વાગત પ્રવચન કર્યું હતું. ટ્રસ્ટની તબીબી કમિટીના ડો.જૈમનભાઈ ઉપધ્યાયએ ગાલપચોળિયા રોગની ગંભીરતા અંગે જણાવ્યું હતું કે આ રોગની અવેરનેસ ઓછી છે. તેના કારણે બાળકોમાં વિવિધ તકલીફ ઊભી થઈ શકે છે જેવી કે દર્દીઓને ખોરાક લેવામાં તકલીફ પડે, જમવામાં અરુચિ થાય, મગજ પર સોજો આવી શકે અને વધુ અસર થાય તો દીકરાને ગોળી સંકોચાય છે અને સ્ત્રીઓને થાય તો તેના ગર્ભાશયમાં સંકોચન થાય છે પરિણામે વંધ્યત્વ (ઇનફર્ટીલીટી)ની શક્યતા વધી શકે છે. આ માહિતી આપી ટ્રસ્ટની તબીબી કમિટીના ડો.જૈમનભાઈ ઉપાધ્યાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.