વીજપોલ નાખવા સમયે ઘટના બની: સદનસીબે જાનહાનિ નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
થાનગઢ શહેરના સણસોય વિસ્તારમાં વીજ પોલ નાખવા માટે જમીનમાં ખાડો દોડતા જમીનની અંદર આવેલી ગેસની લાઇન લીકેજ થઈ હતી જેના લીધે આગ ફાટી નીકળી હતી આગના બનાવને લીધે તાત્કાલિક ફાયર ટીમને બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા એક તરફ ગેસની સતત આવકના લીધે લોકેજમાંથી આગને મહામહેનતે કાબુ મેળવાયો હતો બીજી તરફ અહીંના સ્થાનિક અને રાહદારીઓ જીવ પણ અધ્ધર થયા હતા જ્યારે થોડા પ્રયત્નો બાદ આગ પર કાબુ મેળવ્યા તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતો જોકે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાની વિગત સામે આવી ન હતી.