સૌ આગેવાનોનો પરિવારને ન્યાય મળે તેવો સુર
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તેમજ સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના સેવાના ભેખધારી અને ગરીબોના બેલી એવા હૃદયસ્થ ડો. અતુલભાઈ ચગ ના આપઘાતથી સમગ્ર ગીર સોમનાથ જીલ્લા એ ઉમદા સેવાભાવી ડોકટર ગુમાવેલ છે જે ઘણુ જ આઘાતજનક છે.હૃદયસ્થ સ્વ. ડો અતુલભાઈ ચગ ને પુષ્પો/શબ્દોથી શ્રદ્ધાંજલી અર્પવા ઇન્ડિયન મેડીકલ એસોસિએસન વેરાવળ તેમજ સર્વ સમાજની શોકસભા વેરાવળની શ્રી લોહાણા બોર્ડિંગ ખાતે યોજાઇ હતી. આ તકે સમાજના મોભીઓ, રાજકીય , સામાજિક અગ્રણીઓ અને તમામ સમાજના પટેલ અને હોદેદારોએ ડો.અતુલ ચગ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.નોંધનીય છે કે, વેરાવળના પ્રતિષ્ઠિત ડોક્ટરના આત્મહત્યાના ચકચારી બનાવનું હજુ સુધી તથ્ય બહાર આવ્યું નથી.ઉપરાંત પરિવારજનોએ આપેલ અરજી જે પરિવારે ફરિયાદ સ્વરૂપમાં જ આપી છે તે પણ એફઆઇઆર તરીકે નોંધાઈ નથી.પોલીસને આ બાબતે પૂછતા તપાસ ચાલી રહી છે તેવા જવાબનું જ રટણ કરવામાં આવી રહ્યું છે.જેથી બનાવના દસેક દિવસ બાદ પણ તથ્ય હજુ અકબંધ છે ! અંગે પ્રદેશ મંત્રી અને લોહાણા સમાજનાં અગ્રણી ઝવેરીભાઈ ઠકરારએ જણાવ્યું હતું કે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ પણ જવાબદારો હોઈ તેમની સામે કડક માં કડક પગલાં લેવામાં આવે. પરિવારની હવે પરીક્ષા ન લેવામાં આવે,અન્યથા હવે આ પરીક્ષા અગ્નિપરીક્ષા માં પલટાતા વાર નહિ લાગે. ઉપરાંત એસપી પણ અચાનક રજા ઉપર જતા રહ્યા હોઈ તે બાબતે તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘણા ઉપરી પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર કોઈ કારણોસર 8 દિવસ અગાઉ જ નીકળી ગયા હતા જે સંદર્ભે એસપી રજા ઉપર હોઈ પરંતુ જે પણ જવાબદાર હોઈ તેમની ઉપર યોગ્ય કાર્યવાહી થશે તેવી ખાતરી પણ તેઓએ આપી હતી.જિલ્લા પ્રમુખ માનસિંહ પરમારને ઉપરી લેવલે ભાજપ પાર્ટીમાં કોઈ અભિપ્રાય આપ્યો છે કે કેમ તે બાબતે પૂછતા તેમણ જણાવ્યું હતું કે હજુ સુધી એવું કંઈ આવ્યું નથી અને ઉપરી લેવલે અમારો અભિપ્રાય લેવામાં આવશે તો અમો ઉપર જણાવીશું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા એ આ અંગે જણાવ્યું હતું કે જે પ્રકારે ડોકટરની મરણ નોંધ મળી આવી છે તેને જોતા પોલીસે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જવાબદારો સામે કડક માં કડક પગલાં લેવા જોઈએ જેથી આવા બનાવો ભવિષ્યમાં બનતા અટકી શકે.