By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    18 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    18 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    19 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    19 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    19 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    18 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    21 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ
Author

પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
‘આ સંસાર વાર્તા પુરી થયા બાદ બચેલા તેના પ્રભાવ જેવો છે.’
– યોગ વસિષ્ઠ રામાયણ
અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે જે આપણા હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. મને આ સમય આઈડિઅલ લાગે છે પૌરાણિક કથાઓના સાગરમાં ડૂબકી મારવા માટે. થોડા સમયથી જે પૌરાણિક કથાઓ વાંચી રહ્યો છું તેમાંથી જે મને સમજાણું તે અહીં શેર કરવાનો પ્રયાસ છે.
રામાયણનની શરૂઆતમાં મંથરા નામની દાસી કૈકેયીના કાન ભંભેરે છે. આમાં એવું કહેવાયું છે મંથરા પણ સ્વભાવે એવી દ્વેષીલી નાતી પણ દેવતાઓએ એવી ગોઠવણ કરી કે સરસાસ્વતી મંથરાની જીભે એવા વેણ મૂકી દે કે તે કૈકેયીને ઉશ્કેરે અને કૈકેયી રામને વનવાસ અને ભરતને ગાદી એવી માંગણી દશરથ સામે મૂકે. જો કૈકેયી એવી કઈ હાથ ન કરત તો રામને વનવાસ ન મળત. એવી જ રીતે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ન જાત તો તેઓને શૂર્પણખાનો ભેટો ન થાત, તેથી નતો રાવણ સીતાનું હરણ કરત કે ન રામ અને રાવણનું યુદ્ધ થાત. હકીકતે તે સમયે રાવણ પોતાની શક્તિ અને સત્તાના સર્વોચ્ચ શિખરે હતો. ચારેબાજુ તેણે પોતાની આણ વર્તાવી હતી. રાક્ષસજાતિનું પ્રભુત્વ હતું અને ધર્મની પર સંકટ તોળાતું હતું. માટે રાવણનો વધ અતિઆવશ્યક હતો. આમ, દેવતાઓએ ગોઠવણ કરી કે ભગવાન શ્રીરામ રાવણની સામે યુદ્ધ કરે અને તેનો વધ કરે.

- Advertisement -

વિરામ:
હું જગદિશ્વરની પૂજા કરું છું, જે શાંત, શાશ્વત, અગાધ (પુરાવાથી પર) છે, પાપરહિત છે, મોક્ષના રૂપમાં સર્વોચ્ચ શાંતિ આપનાર, કે જેને સતત બ્રહ્મા, શંભુ અને શેષજીથી સેવવામાં આવે છે, વેદાંત દ્વારા જ્ઞાત, સર્વવ્યાપી, મહાનતમ દેવ, જે માયામાંથી માનવ સ્વરૂપમાં પ્રગટ થાય છે, જે તમામ પાપોને દૂર કરે છે, કરુણાની ખાણ છે, રઘુકુળમાં શ્રેષ્ઠ અને રાજાઓના વડા, એવા જગદિશ્વર જે છે.
– ગોસ્વામી તુલસીદાસ (સુંદરકાંડ)

અહીં મને આ વાત બહુ પ્રતીકાત્મક લાગી. ઘણીવાર આપણી સાથે પણ એવું થતું હોય જ છે ને! ઘણા માણસોનો કોઈ વાંક ન હોવા છતાં તેઓએ ઘણું બધું સહન કરવું પડે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે માણસ તરીકે બહુ ઉમદા હોવા છતાં તેમની સાથે આવું શા માટે થયું? તેની પાછળ વિધાતાનો એવો પણ આશય હોય કે એ વ્યક્તિ પોતાને થયેલ જે હાનિ છે તેનો બદલો એ રીતે વાળે કે તે આખા સમાજ, દેશ કે વિશ્વને લાભ કરે. કૃષ્ણના માતાપિતાને કંસે બંધક ના બનાવ્યા હોત કે તેમના બાળકોને બર્બરતાથી મારી ન નાખ્યા હોત તો કૃષ્ણના મનમાં કંસ પ્રત્યે વેરભાવ જાગ્યો હોત? અને તેઓએ તેનો વધ કર્યો હોત?
નજીકના ઇતિહાસની વાત કરીએ તો ગાંધીજીને જો ટ્રેનના ડબ્બામાંથી ધક્કો મારી કાઢી ન મુકાયા હોત તો તેમના મનમાં જાતિભેદ અને રંગભેદ સામે લડવાનો તથા સત્યાગ્રહનો વિચાર આવ્યો હોત? દશરથ માંઝી નામના માણસે તેની દુર્ઘટનામાં મરેલી પત્નીની યાદમાં પહાડ કોતરીને રસ્તો બનાવી નાખ્યો. પણ જો તેમના પત્ની મૃત્યુ ન પામ્યા હોત તો તેમને આવી રીતે પહાડમાંથી રસ્તો કોતરવાનું સૂઝ્યું હોત? આવા તો ઘણા ઉદાહરણો છે.
શું વિધાતાના મનમાં એવું હોય કે આ માણસ પાસે ક્ષમતા છે, સામર્થ્ય છે પણ તેનામાં એક પ્રકારની આક્રમકતાનો અભાવ છે તેથી તેઓ માણસને એક ’ઈમોશનલ કિક’ આપવા તેની સાથે અન્યાય કરે છે? એક માણસનું ખરાબ થવાથી આખા સમાજ, દેશ કે વિશ્વનું કલ્યાણ થતું હોય તો તે યોગ્ય છે. ખરું કે નહીં?

પૂર્ણાહુતિ:
રામાયણમાં માલ્યવાન એટલે કે રાવણના નાનાશ્રી રાવણને કહે છે કે તમે પોતાના બળથી આ કાળને તો જીતી લીધો પણ પોતાના જ કામ અને અહંકારને જીતવામાં તમે નિષ્ફળ રહ્યા.

- Advertisement -

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: Puranas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુનિતા વિલિયમ્સ, બુશ વિલ્મોર.. ઘરવાપસી ક્યારે?
Next Article હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?