By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    5 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    5 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    5 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    5 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    7 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    7 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!
Hemadri Acharya Dave

ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!

Khaskhabar Editor
Last updated: 2025/10/29 at 4:32 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

છઠ્ઠ પૂજાની દુર્ઘટનાઓએ ફરી માનવજીવના મૂલ્યનો પ્રશ્ર્ન ઉઠાવ્યો

ભારતીય સંસ્કૃતિના અમૂર્ત રત્નોમાં ગણાતા ઉત્સવો માત્ર આનંદના પ્રસંગો નથી, પરંતુ શ્રદ્ધા, સામૂહિક જોડાણ અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. છઠ્ઠ મહાપર્વ – સૂર્યદેવ અને છઠ્ઠી માયાની અર્ચના કરતો ચાર દિવસીય વ્રતપર્વ – બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બને છે.

- Advertisement -

25થી 28 ઓક્ટોબર 2025 દરમિયાન ઉજવાયેલા આ પર્વમાં નદીઓ-તળાવોના કાંઠે ભેગી થયેલ લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે આનંદની લહેર મૃત્યુની કાળી છાયામાં બદલાઈ ગઈ. અવ્યવસ્થા, અપૂરતી સુરક્ષા, લાઈટિંગનો અભાવ અને માનવીય ઉદાસીનતાને કારણે ઝારખંડમાં 27 અને બિહારમાં 106 – કુલ 130થી વધુ મોતો થયાં, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા મોટી છે.

છઠ્ઠ પૂજાના ઉજાસમાં મૃત્યુની કાળી છાયા
છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અને સ્નાન દરમ્યાન બનેલી દુર્ઘટનાઓને લઈને ઝારખંડ અને બિહારમાં થયેલા મોતોના સત્તાવાર આંકડાઓ, ઝારખંડમાં હઝારીબાગ, પલામુ, ગઢવા અને સિમડેગા સહિતના જિલ્લાઓમાં કુલ 14 લોકો ડૂબી ગયા, જ્યારે બે લોકોનાં અન્ય દુર્ઘટનામાં જીવ ગયાં બિહારમાં 23 લોકોનાં મોત થયા, જેમાં મોટા ભાગે બાળકો અને યુવાનો હતાં. નાલંદા, પટણા, મુંગેર અને નૌગછિયા જેવા વિસ્તારોમાં આ દુર્ઘટનાઓ નોંધાઈ. આ રીતે, બે રાજ્યોમાં મળી કુલ 37 લોકોનાં મોતોની સત્તાવાર પુષ્ટિ થઈ છે. તમામ કિસ્સાઓ છઠ્ઠ પૂજાના અર્ઘ્ય-સ્નાન દરમિયાન બનેલા છે, જ્યાં અતિભીડ, ઊંડા પાણી અને સલામતીનાં અભાવને કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી.

જ્યાં ભક્તિ અને ભાવનાના ઉછાળા વચ્ચે અનેક જીવ અણધાર્યા રીતે પાણીમાં સમાઈ ગયા. હજારો શ્રદ્ધાળુઓની ભીડ, ઘાટો પર અંધારું, લાઈટિંગનો અભાવ, ઘાટની માટી ધસી જવી, પાણીની ઊંડાઈ વિશે અજ્ઞાન વગેરે પરિબળોએ વિપત્તિને બળ આપ્યું. રેસ્ક્યુ

- Advertisement -

ટીમો અને એનડીઆરએફની ટુકડીઓ સ્થળ પર ઘણી મોડી પહોંચી બચાવકાર્ય હાથ ધર્યું, પરંતુ ઘણા કિસ્સાઓમાં સમયસર સહાય ન મળતાં જાનહાનિ વધી ગઈ. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ડાઇવર અને ગ્રામજનોએ પહેલ કરીને લોકોને બહાર કાઢ્યા, જ્યારે પ્રશાસન દ્વારા સતત સર્ચ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું.

જ્યારે આસ્થા કરતાં વ્યવસ્થા નબળી પડે ત્યારે દુર્ઘટનાનો સર્જાવાની જ છે. દર વર્ષે પુનરાવર્તિત ત્રાસદીઓ છતાં બેરિકેડિંગ, લાઈફગાર્ડ, લાઈટિંગ, ડાયવર્સ, જાહેર જાગૃતિનો અભાવ. બોટ-એમ્બ્યુલન્સ વિલંબ… આ દુર્ઘટનાઓ માનવીય બેદરકારી: સરકારી નિષ્ક્રિયતા અને વ્યક્તિગત અવગણનાનાં અનેક પ્રશ્ન ઉઠાવે છે:

સરકારો કરોડો ખર્ચે ઘાટો સજાવે, પરંતુ ત્યાં જ જીવરક્ષક સાધનો-તાલીમપ્રાપ્ત લાઈફગાર્ડનો અભાવ!આ ત્રાસદીઓ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ માનવીય બેદરકારીનું પણ પરિણામ છે. શ્રદ્ધાળુઓ નાના બાળકોને પાણીની ધારે એકલા છોડે, ભીડમાં સુરક્ષા અવગણે અને પછી ’ભાગ્ય’ના નામે જવાબદારી ટાળશે અને પછી ‘તપાસ ચાલુ’ના નિવેદનો રિપોર્ટ બનીને જ્યારે બહાર આવશે ત્યારે જનતાની સ્મૃતિમાંથી આ દુ:ખદ ઘટના લુપ્ત થઈ ગઈ હશે. અને નવી કોઈ આવી જ દુર્ઘટના વિશે ચર્ચાઓ ગરમ હશે.

ગત વર્ષ – 2024 માં પણ છઠ્ઠ પૂજાના અવસર એ આ જ દુર્ઘટનાત્મક પેટર્ન જોવા મળી હતી. બિહારમાં તે વેળા 60થી પણ અધિક મૃત્યુ નોંધાયા હતા, જેમાં માત્ર સમસ્તીપુર જિલ્લામાં જ દસ લોકોના મોતો થયા હતા. ઝારખંડમાં પણ 14 થી વધુ લોકોના જીવ ગયા, જે બધા

છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અથવા સ્નાન દરમિયાન ની ઘટનાઓ હતી. દર વર્ષે આ ધાર્મિક ઉત્સવ હજારો ભક્તોને નદીકાંઠે એકત્ર કરે છે, પરંતુ સલામતી વ્યવસ્થાની અપૂરતા, સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને જનમેળામાં માત્ર આસ્થા પર આધારિત વ્યવહાર – આ બધું મળી ને દર વર્ષે આવી જ દુર્ઘટનાઓ દોહરાય છે. આ ઘટનાઓ પ્રશ્ન ઉભો કરે છે કે ધાર્મિક આસ્થાની આડમાં સુરક્ષા અને જીવન રક્ષાની વ્યવસ્થા સતત કેવી રીતે અવગણાઈ રહે છે?

આસ્થા અને જીવનરક્ષાની વચ્ચેનું સંતુલન વર્ષોથી ખોરવાયેલું છે – અને એનું સૌથી કરુણ ઉદાહરણ દર વર્ષની છઠ્ઠ પૂજા જેવી ધાર્મિક ઉજવણીઓમાં થતી ડૂબી જવાની ઘટનાઓ છે. હજારો લોકો અર્ઘ્ય અર્પણ કરવા નદીકાંઠે ભેગા થાય છે, પરંતુ સરકાર માટે એ માત્ર ધાર્મિક તહેવાર ફોટો-અવસર બની રહે છે. ડ્રોન મોનિટરિંગ, એપ આધારિત ચેતવણી પ્રણાલી, ગામડા સ્તરે જાગૃતિ અભિયાન, લાઈફગાર્ડ તાલીમ જેવી આધુનિક વ્યવસ્થાઓની ચર્ચા તો થાય છે, પરંતુ અમલ ક્યાંય નથી દેખાતો.

જે સરકારો ધર્મ, હિન્દુત્વ અને ભક્તિના નામે મતની રાજનીતિ કરે છે, એ જ સરકારો એ ધર્મના ઉત્સવોમાં જીવ બચાવવાની લઘુત્તમ જવાબદારી પણ લેતી નથી. માણસનો જીવ એમના રાજકીય હિસાબમાં કદાચ કોઈ આંકડો માત્ર બની ગયો છે – ન કે જીવંત સત્ય. નદીનાં કિનારે લાશો તણાતી રહે, તળાવમાં બાળકીઓ ડૂબતી રહે, પરંતુ સત્તા માટે ધર્મના નારા ગાજતાં રહે – આ જ આજની સૌથી મોટી નિષ્ઠુરતા છે. શ્રદ્ધાને ઢાલ બનાવી, સંવેદનહીનતાની રાજનીતિ ચલાવનારા શાસકોને મન માનવીની જિંદગી બહુ સસ્તી છે!

છઠ્ઠ મહાપર્વની આ કડવી વાસ્તવિકતા પ્રશ્ન ઉઠાવે છે કે આપણે ઉત્સવો ઉજવીએ છીએ કે અસુરક્ષાને આમંત્રણ આપીએ? જે પર્વ આનંદ કરતાં વધુ આંસુ લાવે, ત્યારે સમાજ માટે આત્મપરીક્ષણ જરુરી છે. શ્રદ્ધા જો માનવીય સંવેદનાથી વિહીન થાય, તો તે દુર્ઘટનાનું બીજ બને.

 

You Might Also Like

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

TAGGED: Celebration of festivals
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી: નિશાંત જાનીની BCCI વેસ્ટ ઝોન ટીમ માટે હેડ કોચ તરીકે નિમણૂક
Next Article બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સૌથી મોટું પોલીસ ઓપરેશન: રેડ કમાન્ડ ગેંગ સામે અથડામણમાં 64 લોકોના મોત, ચાર પોલીસકર્મીઓ શહીદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?