By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    6 hours ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    6 hours ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    6 hours ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    6 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    7 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    7 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    9 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!
Hemadri Acharya Dave

ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!

Khaskhabar Editor
Last updated: 2025/10/29 at 4:32 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
5 Min Read
SHARE

છઠ્ઠ પૂજાની દુર્ઘટનાઓએ ફરી માનવજીવના મૂલ્યનો પ્રશ્ર્ન ઉઠાવ્યો

ભારતીય સંસ્કૃતિના અમૂર્ત રત્નોમાં ગણાતા ઉત્સવો માત્ર આનંદના પ્રસંગો નથી, પરંતુ શ્રદ્ધા, સામૂહિક જોડાણ અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. છઠ્ઠ મહાપર્વ – સૂર્યદેવ અને છઠ્ઠી માયાની અર્ચના કરતો ચાર દિવસીય વ્રતપર્વ – બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બને છે.

- Advertisement -

25થી 28 ઓક્ટોબર 2025 દરમિયાન ઉજવાયેલા આ પર્વમાં નદીઓ-તળાવોના કાંઠે ભેગી થયેલ લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે આનંદની લહેર મૃત્યુની કાળી છાયામાં બદલાઈ ગઈ. અવ્યવસ્થા, અપૂરતી સુરક્ષા, લાઈટિંગનો અભાવ અને માનવીય ઉદાસીનતાને કારણે ઝારખંડમાં 27 અને બિહારમાં 106 – કુલ 130થી વધુ મોતો થયાં, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા મોટી છે.

છઠ્ઠ પૂજાના ઉજાસમાં મૃત્યુની કાળી છાયા
છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અને સ્નાન દરમ્યાન બનેલી દુર્ઘટનાઓને લઈને ઝારખંડ અને બિહારમાં થયેલા મોતોના સત્તાવાર આંકડાઓ, ઝારખંડમાં હઝારીબાગ, પલામુ, ગઢવા અને સિમડેગા સહિતના જિલ્લાઓમાં કુલ 14 લોકો ડૂબી ગયા, જ્યારે બે લોકોનાં અન્ય દુર્ઘટનામાં જીવ ગયાં બિહારમાં 23 લોકોનાં મોત થયા, જેમાં મોટા ભાગે બાળકો અને યુવાનો હતાં. નાલંદા, પટણા, મુંગેર અને નૌગછિયા જેવા વિસ્તારોમાં આ દુર્ઘટનાઓ નોંધાઈ. આ રીતે, બે રાજ્યોમાં મળી કુલ 37 લોકોનાં મોતોની સત્તાવાર પુષ્ટિ થઈ છે. તમામ કિસ્સાઓ છઠ્ઠ પૂજાના અર્ઘ્ય-સ્નાન દરમિયાન બનેલા છે, જ્યાં અતિભીડ, ઊંડા પાણી અને સલામતીનાં અભાવને કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી.

જ્યાં ભક્તિ અને ભાવનાના ઉછાળા વચ્ચે અનેક જીવ અણધાર્યા રીતે પાણીમાં સમાઈ ગયા. હજારો શ્રદ્ધાળુઓની ભીડ, ઘાટો પર અંધારું, લાઈટિંગનો અભાવ, ઘાટની માટી ધસી જવી, પાણીની ઊંડાઈ વિશે અજ્ઞાન વગેરે પરિબળોએ વિપત્તિને બળ આપ્યું. રેસ્ક્યુ

- Advertisement -

ટીમો અને એનડીઆરએફની ટુકડીઓ સ્થળ પર ઘણી મોડી પહોંચી બચાવકાર્ય હાથ ધર્યું, પરંતુ ઘણા કિસ્સાઓમાં સમયસર સહાય ન મળતાં જાનહાનિ વધી ગઈ. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ડાઇવર અને ગ્રામજનોએ પહેલ કરીને લોકોને બહાર કાઢ્યા, જ્યારે પ્રશાસન દ્વારા સતત સર્ચ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું.

જ્યારે આસ્થા કરતાં વ્યવસ્થા નબળી પડે ત્યારે દુર્ઘટનાનો સર્જાવાની જ છે. દર વર્ષે પુનરાવર્તિત ત્રાસદીઓ છતાં બેરિકેડિંગ, લાઈફગાર્ડ, લાઈટિંગ, ડાયવર્સ, જાહેર જાગૃતિનો અભાવ. બોટ-એમ્બ્યુલન્સ વિલંબ… આ દુર્ઘટનાઓ માનવીય બેદરકારી: સરકારી નિષ્ક્રિયતા અને વ્યક્તિગત અવગણનાનાં અનેક પ્રશ્ન ઉઠાવે છે:

સરકારો કરોડો ખર્ચે ઘાટો સજાવે, પરંતુ ત્યાં જ જીવરક્ષક સાધનો-તાલીમપ્રાપ્ત લાઈફગાર્ડનો અભાવ!આ ત્રાસદીઓ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ માનવીય બેદરકારીનું પણ પરિણામ છે. શ્રદ્ધાળુઓ નાના બાળકોને પાણીની ધારે એકલા છોડે, ભીડમાં સુરક્ષા અવગણે અને પછી ’ભાગ્ય’ના નામે જવાબદારી ટાળશે અને પછી ‘તપાસ ચાલુ’ના નિવેદનો રિપોર્ટ બનીને જ્યારે બહાર આવશે ત્યારે જનતાની સ્મૃતિમાંથી આ દુ:ખદ ઘટના લુપ્ત થઈ ગઈ હશે. અને નવી કોઈ આવી જ દુર્ઘટના વિશે ચર્ચાઓ ગરમ હશે.

ગત વર્ષ – 2024 માં પણ છઠ્ઠ પૂજાના અવસર એ આ જ દુર્ઘટનાત્મક પેટર્ન જોવા મળી હતી. બિહારમાં તે વેળા 60થી પણ અધિક મૃત્યુ નોંધાયા હતા, જેમાં માત્ર સમસ્તીપુર જિલ્લામાં જ દસ લોકોના મોતો થયા હતા. ઝારખંડમાં પણ 14 થી વધુ લોકોના જીવ ગયા, જે બધા

છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અથવા સ્નાન દરમિયાન ની ઘટનાઓ હતી. દર વર્ષે આ ધાર્મિક ઉત્સવ હજારો ભક્તોને નદીકાંઠે એકત્ર કરે છે, પરંતુ સલામતી વ્યવસ્થાની અપૂરતા, સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને જનમેળામાં માત્ર આસ્થા પર આધારિત વ્યવહાર – આ બધું મળી ને દર વર્ષે આવી જ દુર્ઘટનાઓ દોહરાય છે. આ ઘટનાઓ પ્રશ્ન ઉભો કરે છે કે ધાર્મિક આસ્થાની આડમાં સુરક્ષા અને જીવન રક્ષાની વ્યવસ્થા સતત કેવી રીતે અવગણાઈ રહે છે?

આસ્થા અને જીવનરક્ષાની વચ્ચેનું સંતુલન વર્ષોથી ખોરવાયેલું છે – અને એનું સૌથી કરુણ ઉદાહરણ દર વર્ષની છઠ્ઠ પૂજા જેવી ધાર્મિક ઉજવણીઓમાં થતી ડૂબી જવાની ઘટનાઓ છે. હજારો લોકો અર્ઘ્ય અર્પણ કરવા નદીકાંઠે ભેગા થાય છે, પરંતુ સરકાર માટે એ માત્ર ધાર્મિક તહેવાર ફોટો-અવસર બની રહે છે. ડ્રોન મોનિટરિંગ, એપ આધારિત ચેતવણી પ્રણાલી, ગામડા સ્તરે જાગૃતિ અભિયાન, લાઈફગાર્ડ તાલીમ જેવી આધુનિક વ્યવસ્થાઓની ચર્ચા તો થાય છે, પરંતુ અમલ ક્યાંય નથી દેખાતો.

જે સરકારો ધર્મ, હિન્દુત્વ અને ભક્તિના નામે મતની રાજનીતિ કરે છે, એ જ સરકારો એ ધર્મના ઉત્સવોમાં જીવ બચાવવાની લઘુત્તમ જવાબદારી પણ લેતી નથી. માણસનો જીવ એમના રાજકીય હિસાબમાં કદાચ કોઈ આંકડો માત્ર બની ગયો છે – ન કે જીવંત સત્ય. નદીનાં કિનારે લાશો તણાતી રહે, તળાવમાં બાળકીઓ ડૂબતી રહે, પરંતુ સત્તા માટે ધર્મના નારા ગાજતાં રહે – આ જ આજની સૌથી મોટી નિષ્ઠુરતા છે. શ્રદ્ધાને ઢાલ બનાવી, સંવેદનહીનતાની રાજનીતિ ચલાવનારા શાસકોને મન માનવીની જિંદગી બહુ સસ્તી છે!

છઠ્ઠ મહાપર્વની આ કડવી વાસ્તવિકતા પ્રશ્ન ઉઠાવે છે કે આપણે ઉત્સવો ઉજવીએ છીએ કે અસુરક્ષાને આમંત્રણ આપીએ? જે પર્વ આનંદ કરતાં વધુ આંસુ લાવે, ત્યારે સમાજ માટે આત્મપરીક્ષણ જરુરી છે. શ્રદ્ધા જો માનવીય સંવેદનાથી વિહીન થાય, તો તે દુર્ઘટનાનું બીજ બને.

 

You Might Also Like

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

ઝેરી કફ સીરપ કાંડ: બાળકોના જીવ બાદ જાગી તંત્રની નિંદ્રા

TAGGED: Celebration of festivals
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી: નિશાંત જાનીની BCCI વેસ્ટ ઝોન ટીમ માટે હેડ કોચ તરીકે નિમણૂક
Next Article બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સૌથી મોટું પોલીસ ઓપરેશન: રેડ કમાન્ડ ગેંગ સામે અથડામણમાં 64 લોકોના મોત, ચાર પોલીસકર્મીઓ શહીદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?