પિતૃ પક્ષમાં આવતી અગિયારસને ઈન્દિરા એેકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. ઈન્દિરા અગિયારસ વ્રત 21 સપ્ટેમ્બરે રાખવામાં આવશે.
ઈન્દિરા અગિયારસ વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે
- Advertisement -
હિન્દુ ધર્મમાં આમ તો બધી અગિયારસનુ મહત્વ છે, પરંતુ ઈન્દિરા અગિયારસ પિતૃ પક્ષમાં આવે છે. એેવી માન્યતા છે કે પિતૃ પક્ષમાં ઈન્દિરા અગિયારસ વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાથે જીવનમાં સુખ-સમૃદ્ધી અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ઈન્દિરા એકાદશીનુ વ્રતનુ મહત્વ વધારે વધી જાય છે.
ઈન્દિરા એકાદશી 2022 શુભ મુહૂર્ત
પંચાગ મુજબ, ઈન્દિરા અગિયારસ વ્રત પૂજન માટે શુભ મુહૂર્ત 21 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યેને 9 મિનિટથી 9 વાગ્યેને 11 મિનિટ સુધી છે. આ સમય ભગવાન શ્રી હરિની પૂજા માટે ઉત્તમ છે. આ ઉપરાંત ભક્તો 10.43 થી 12.14ની વચ્ચે પણ ભગવાન વિષ્ણુની આરાધના કરી શકે છે. આ દિવસે શિવ યોગ પણ છે, જે સવારે 9 વાગ્યેને 13 મિનિટથી આરંભ થશે.
- Advertisement -
ઈન્દિરા અગિયારસ 2022 વ્રત તિથિ અને પારણા સમય
હિન્દુ પંચાગ મુજબ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસ તિથિ 20 સપ્ટેમ્બરે મંગળવારે 9.26થી શરૂ થઇને 21 સપ્ટેમ્બરે 11.34 સુધી રહેશે. ઉદયાતિથિના નિયમ મુજબ ઈન્દિરા અગિયારસ વ્રત 21 સપ્ટેમ્બરે રાખવામાં આવશે. ઈન્દિરા અગિયારસ વ્રતના પારણા બીજા દિવસે 22 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યેને 9 મિનિટથી લઇને સવારે 8 વાગ્યેને 35 મિનિટની વચ્ચે કરવુ અતિ ઉત્તમ રહેશે.