ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો નેવીએ સંભાળ્યો, કચ્છની શાળા શેલ્ટર હોમમાં ફેરવાઈ
યુદ્ધ વચ્ચે BSFએ નડેશ્વરી માતાજીની પૂજા કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પાકિસ્તાન દ્વારા સતત બીજા દિવસે એટલે કે 8મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે બે ડ્રોન પરત ફર્યા હતા. પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા હોવાથી રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. જો કે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો એવા સોમનાથ, શક્તિપીઠ અંબાજી અને દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે ઈખની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક થઈ રહી છે. નડાબેટ મંદિરમાં દર્શન કરી શકાશે પરંતુ ઝીરો લાઈન સુધી જવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે.
સોમનાથ મંદિરે સ્ટ્રેટેજિક પોઇન્ટ પર સુરક્ષામાં વધારો, બોમ્બ સ્ક્વોડ તૈનાત
જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને ગીર સોમનાથની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથના સ્ટ્રેટેજિક પોઇન્ટ પર પીઆઈ અને પીએસઆઇની નિમણૂંક કરવામાં આવી છે તથા કંટ્રોલ રૂમ ખાતે પણ નવા અધિકારીઓની શિફ્ટ પ્રમાણે નિમણૂક કરવામાં આવી છે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે તથા ત્રિસ્તરીય સુરક્ષા પહેલેથી જ અહીં અમલમાં છે. સાથોસાથ બોમ્બ અને ડોગ સ્કવોડ પણ તહેનાત છે.
- Advertisement -
દ્વારકા દરિયા કિનારે સેનાએ મોરચો સંભાળ્યો
પાકિસ્તાનની નાપાક નજર હર ઘડી દ્વારકા ઉપર રહી છે. ત્યારે દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દ્વારકા દરિયા કિનારે ભારતીય ફોજે મોરચો સંભાળી લીધેલ છે. દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી નાખી છે. દ્વારકા સાથે ઓખામાં પણ આવેલી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.
500 બોટ પરત બોલાવી લેવાઈ, આગામી સૂચના સુધી માછીમારી બંધ
કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
હજીરાના કાંઠા વિસ્તારોમાં સૂરક્ષા વધારાઈ
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ હજીરાની દરિયાઇ પટ્ટી પર સૂરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે સાથે મરીન પોલીસ દ્રારા પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ખાસ કરીને દરિયામાં ઈન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલીકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત દરિયામાં 12 નોટીકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવી છે.
53 વર્ષથી BSF નડેશ્વરી માતાજીની પૂજા કરે છે
સરહદી સુઇગામથી 20 કિ.મી. દૂર ભારત-પાક. બોર્ડર નજીક કચ્છના મોટા રણમાં સ્થિત નડાબેટમાં બિરાજમાન સરહદી લોકોની આસ્થાના કેન્દ્ર સમા શ્રી નડેશ્વરી માતાજીનો મહિમા જૂનાગઢના રા” સાથે જોડાયેલો છે. 1965 અને 1971ના ભારત-પાક.યુદ્ધ વખતે ભારતીય સૈન્યને પણ માતાજીએ મદદ કરી દિશાસૂચન કર્યું હોવાનું અને આજે પણ રણમાં ફરજ બજાવતા ઇજઋ જવાનોને મદદ મળી રહેતી હોવાની આસ્થા ધરાવે છે.એક ઇજઋ જવાન માતાજીની પૂજા કરે છે. જેને ઇજઋમાંથી પગાર મળે છે. આમ ઇજઋ દ્વારા 53 વર્ષથી નડેશ્વરી માતાજીની પૂજા કરવામાં આવે છે. જ્યારે બીજા ટ્રસ્ટ તરફથી પૂજારી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને ઇજઋ જવાનો માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે, બન્ને ટાઈમની આરતીમાં અચૂક હાજરી આપે છે.