કુલ 123 લાભાર્થીઓને રૂ. 39.96 લાખની સહાયનું વિતરણ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
- Advertisement -
જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાજિક ન્યાય સમિતિ અને સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને સમાજ કલ્યાણ શાખાની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર તેમજ યોજનાકીય સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ડો.આંબેડકર આવાસ યોજનાના કુલ 70 લાભાર્થીઓને રૂ. 33.60 લાખની સહાય તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ 53 લાભાર્થીઓને 6.36 લાખની એમ કુલ 123 લાભાર્થીઓને રૂ. 39.96 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ ડો.બાબાસાહેબ આંબેડકરનું જીવન-કવન વિશે વાત કરી તેમની સંઘર્ષથી સફળતાની વાત વર્ણવી પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના તમામ લોકો સુધી પહોંચે તેના માટે મહત્તમ પ્રચાર-પ્રસાર થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.