By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    23 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    24 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    6 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?
ખાસ-ખબરગુજરાતરાજકોટ

આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 5:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

આયુર્વેદિક સિરપની આડમાં વેંચાઈ રહ્યો છે આલ્કોહોલ મિશ્રિત બિયર

રાજકોટમાં પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા બિયર વેચાતા હોવાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે ફરી એક વખત શહેરના કેટલાક વિસ્તારમાં મોટાપાયે વેચાઈ રહેલી આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ હોવાની અને બંધાણીઓ તેનો બીયર તરીકે ફરી ઉપયોગ કરતા થઈ ગયા છે. આ કહેવાતી આયુર્વેદિક સિરપની બોટલ રૂા. 80થી 130ના ભાવે વેચાઈ છે. એટલું જ નહીં મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ જાણી જોઈ અજાણ હોય એવું જણાય આવે છે.

- Advertisement -

‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ
રાજકોટના હંસરાજનગર મેઈનરોડ પોપટપરાના નાલા પાસે શિવ સાગર પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલયુક્ત પીણાંનું ગેરકાયદે વેંચાણ થઈ રહ્યું છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં શિવ સાગર નામની પાન દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપ વેંચાઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ સિવાય રાજકોટના કેટલાંક વિસ્તારોમાં પાનની દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા પીણાંઓ વેંચાઈ રહ્યા છે. રાજકોટની પાનની દુકાનો જાણે દારૂના અડ્ડા હોય તેમ સરાજાહેર અહીં નશીલો પદાર્થ વેંચાઈ રહ્યો છે.

આયુર્વેદિક સિરપ ક્યા નામે વેંચાઈ રહ્યા છે? જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે

મેડિકલ સ્ટોરનાં બદલે પાનની દુકાને કહેવાતી આયુર્વેદિક સિરપનું વેંચાણ પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ અજાણ?

- Advertisement -

વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાનો પર આયુર્વેદિક સિરપના નામે, હર્બલ ટોનિકના ઓઠા હેઠળ આલ્કોહોલવાળા પીણાંની બોટલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેના પર લખ્યું છે કે, આ પીણાંમાં 11 ટકાથી વધુ આલ્કોહોલ નથી. મતલબ કે આ કહેવાતા આયુર્વેદિક શિરપમાં એક બોટલ બિયરથી પણ વધુ આલ્કોહોલ આવે છે. બિયરમાં 7 ટકા આલ્કોહોલ અને જવનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે આ કહેવાતા આયુર્વેદિક સિરપમાં 11 ટકા આલ્કોહોલ હોય નસેડીઓમાં આ પીણાંનું ચલણ ખૂબ જ માત્રામાં વધી ગયું છે. પાનની દુકાને ખુલ્લેઆમ ચાલતા આ નશાના કાળા કારોબાર પર ક્યારે અને કોણ પગલાં લેવાની હિંમત કરશે એ જોવું રહ્યું.

આયુર્વેદિક સિરપ હોય પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય
આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનો હેતુ તો કેટલીક બીમારીઓમાં રાહત આપવા માટેનો બતાવાયો છે, પણ તેનો લોકો નશા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. આ પહેલાં પણ કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તે વેંચવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, આ પ્રતિબંધનો પણ વાસ્તવિક અમલ કેટલો થતો હશે તે રામ જાણે. હવે આલ્કોહોલયુક્ત પીણાં આયુર્વેદિક સિરપના નામે વેચાઈ રહી છે. આવી દવાઓ આયુર્વેદિક લેબલ હેઠળ વેંચાતી હોવાનું તેના વેંચાણ માટે પરવાનગી કે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન લેવું જરૂરી નથી, પરંતુ ઉત્પાદન કરવા માટે લાયસન્સ મેળવવું પડતું હોય છે. વળી, આનું વેંચાણ મેડિકલ સ્ટોર દ્વારા જ થઈ શકે, આવી દવાઓ પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય. આ માટે પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટતું કરવું જોઈએ.

શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીપરની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે થઈ ગયા છે, કારણ કે વિવિધ બ્રાન્ડ અને નેમથી વેંચાતી- પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.

કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ!
રાજકોટમાં કેટલીક પાનની દુકાને વેંચાતી કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ છે. અગાઉ એફએસએલમાં પણ આ બાબતનો પુરાવો મળી ચૂક્યો છે. આ આલ્કોહોલયુક્ત પીણાંમાં કુદરતી રીતે ઓસડીયામાં આથો લાવવામાં આવતો નથી, પરંતુ તેમાં આલ્કોહોલયુક્ત કેમિકલ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે. પોલીસ તેમજ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે આયુર્વેદિક દવાઓના ઓઠા હેઠળ પાનના ગલ્લાઓ પરથી વેંચાતી આલ્કોલિક દવાઓની બોટલો પકડી પાડી, વેંચનાર અને બનાવવાર પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસ કડક પગલાં ક્યારે લેશે?
રાજકોટમાં મોટાભાગની ઠંડપીણાં અને પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ 11 ટકા આલ્કોહોલવાળા પીણાંનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે. સામાન્ય રીતે ઈંગ્લીશ દારૂ કે બિયરની એકમાત્ર પેટી લાખોની ગાડીમાં પકડાય તો ગાડી સહિત ચાલક અને તેની સાથે જોડાયેલા ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે છે અને ગુજરાતમાં તો ખાસ દારૂબંધી હોવાના કારણે માત્ર 7 ટકા આલ્કોહોલ સાથેનું બિયર વેચવાની કે પીવાની પણ મનાઈ છે પણ 11 ટકા ઉપર આલ્કોહોલ ધરાવતી અને આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ વેચાતી બાટલીઓની છૂટ જણાય રહી છે જે પીનારા કે વેચનારા ઉપર કોઈજાતના પગલાં નથી લેવાતાં એ આચર્યજનક બાબત છે.

આ સિરપમાં કેટલો આલ્કોહોલ? ભાવ શું?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 એમ.એલ.ની બોટમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 એમ.એલ.ની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતાં વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂા.થી લઈ 150, રૂા. 180 છે.

‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

રાજકોટમાં પ્રથમ વખત ન્યારી ડેમથી રામનાથ મહાદેવ મંદિર સુધી સનાતન કાવડ યાત્રા યોજાશે

લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

TAGGED: AYURVEDIKDRINKS, DRUG, PAANSHOP, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓછું મતદાન કોને ડુબાડશે?
Next Article પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરે બૉમ્બ બ્લાસ્ટ: 3નાં મોત, 2ની હાલત ગંભીર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?