By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    24 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 day ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?
ખાસ-ખબરગુજરાતરાજકોટ

આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 5:59 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

આયુર્વેદિક સિરપની આડમાં વેંચાઈ રહ્યો છે આલ્કોહોલ મિશ્રિત બિયર

રાજકોટમાં પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા બિયર વેચાતા હોવાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે ફરી એક વખત શહેરના કેટલાક વિસ્તારમાં મોટાપાયે વેચાઈ રહેલી આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ હોવાની અને બંધાણીઓ તેનો બીયર તરીકે ફરી ઉપયોગ કરતા થઈ ગયા છે. આ કહેવાતી આયુર્વેદિક સિરપની બોટલ રૂા. 80થી 130ના ભાવે વેચાઈ છે. એટલું જ નહીં મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ જાણી જોઈ અજાણ હોય એવું જણાય આવે છે.

- Advertisement -

‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ
રાજકોટના હંસરાજનગર મેઈનરોડ પોપટપરાના નાલા પાસે શિવ સાગર પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલયુક્ત પીણાંનું ગેરકાયદે વેંચાણ થઈ રહ્યું છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં શિવ સાગર નામની પાન દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપ વેંચાઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ સિવાય રાજકોટના કેટલાંક વિસ્તારોમાં પાનની દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા પીણાંઓ વેંચાઈ રહ્યા છે. રાજકોટની પાનની દુકાનો જાણે દારૂના અડ્ડા હોય તેમ સરાજાહેર અહીં નશીલો પદાર્થ વેંચાઈ રહ્યો છે.

આયુર્વેદિક સિરપ ક્યા નામે વેંચાઈ રહ્યા છે? જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે

મેડિકલ સ્ટોરનાં બદલે પાનની દુકાને કહેવાતી આયુર્વેદિક સિરપનું વેંચાણ પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ અજાણ?

- Advertisement -

વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાનો પર આયુર્વેદિક સિરપના નામે, હર્બલ ટોનિકના ઓઠા હેઠળ આલ્કોહોલવાળા પીણાંની બોટલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેના પર લખ્યું છે કે, આ પીણાંમાં 11 ટકાથી વધુ આલ્કોહોલ નથી. મતલબ કે આ કહેવાતા આયુર્વેદિક શિરપમાં એક બોટલ બિયરથી પણ વધુ આલ્કોહોલ આવે છે. બિયરમાં 7 ટકા આલ્કોહોલ અને જવનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે આ કહેવાતા આયુર્વેદિક સિરપમાં 11 ટકા આલ્કોહોલ હોય નસેડીઓમાં આ પીણાંનું ચલણ ખૂબ જ માત્રામાં વધી ગયું છે. પાનની દુકાને ખુલ્લેઆમ ચાલતા આ નશાના કાળા કારોબાર પર ક્યારે અને કોણ પગલાં લેવાની હિંમત કરશે એ જોવું રહ્યું.

આયુર્વેદિક સિરપ હોય પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય
આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનો હેતુ તો કેટલીક બીમારીઓમાં રાહત આપવા માટેનો બતાવાયો છે, પણ તેનો લોકો નશા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. આ પહેલાં પણ કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તે વેંચવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, આ પ્રતિબંધનો પણ વાસ્તવિક અમલ કેટલો થતો હશે તે રામ જાણે. હવે આલ્કોહોલયુક્ત પીણાં આયુર્વેદિક સિરપના નામે વેચાઈ રહી છે. આવી દવાઓ આયુર્વેદિક લેબલ હેઠળ વેંચાતી હોવાનું તેના વેંચાણ માટે પરવાનગી કે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન લેવું જરૂરી નથી, પરંતુ ઉત્પાદન કરવા માટે લાયસન્સ મેળવવું પડતું હોય છે. વળી, આનું વેંચાણ મેડિકલ સ્ટોર દ્વારા જ થઈ શકે, આવી દવાઓ પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય. આ માટે પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટતું કરવું જોઈએ.

શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીપરની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે થઈ ગયા છે, કારણ કે વિવિધ બ્રાન્ડ અને નેમથી વેંચાતી- પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.

કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ!
રાજકોટમાં કેટલીક પાનની દુકાને વેંચાતી કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ છે. અગાઉ એફએસએલમાં પણ આ બાબતનો પુરાવો મળી ચૂક્યો છે. આ આલ્કોહોલયુક્ત પીણાંમાં કુદરતી રીતે ઓસડીયામાં આથો લાવવામાં આવતો નથી, પરંતુ તેમાં આલ્કોહોલયુક્ત કેમિકલ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે. પોલીસ તેમજ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે આયુર્વેદિક દવાઓના ઓઠા હેઠળ પાનના ગલ્લાઓ પરથી વેંચાતી આલ્કોલિક દવાઓની બોટલો પકડી પાડી, વેંચનાર અને બનાવવાર પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસ કડક પગલાં ક્યારે લેશે?
રાજકોટમાં મોટાભાગની ઠંડપીણાં અને પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ 11 ટકા આલ્કોહોલવાળા પીણાંનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે. સામાન્ય રીતે ઈંગ્લીશ દારૂ કે બિયરની એકમાત્ર પેટી લાખોની ગાડીમાં પકડાય તો ગાડી સહિત ચાલક અને તેની સાથે જોડાયેલા ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે છે અને ગુજરાતમાં તો ખાસ દારૂબંધી હોવાના કારણે માત્ર 7 ટકા આલ્કોહોલ સાથેનું બિયર વેચવાની કે પીવાની પણ મનાઈ છે પણ 11 ટકા ઉપર આલ્કોહોલ ધરાવતી અને આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ વેચાતી બાટલીઓની છૂટ જણાય રહી છે જે પીનારા કે વેચનારા ઉપર કોઈજાતના પગલાં નથી લેવાતાં એ આચર્યજનક બાબત છે.

આ સિરપમાં કેટલો આલ્કોહોલ? ભાવ શું?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 એમ.એલ.ની બોટમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 એમ.એલ.ની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતાં વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂા.થી લઈ 150, રૂા. 180 છે.

‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: AYURVEDIKDRINKS, DRUG, PAANSHOP, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓછું મતદાન કોને ડુબાડશે?
Next Article પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરે બૉમ્બ બ્લાસ્ટ: 3નાં મોત, 2ની હાલત ગંભીર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?