By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    14 hours ago
    ભારતીય વેપારમાં ‘બોયકોટ તુર્કી’ના ટંકાર ગુંજ્યા: વૈશ્વિક બજારોનો પણ સહકાર
    14 hours ago
    પહેલીવાર ભારતીય મૂળનાં મહિલા બન્યા કેનેડાના વિદેશ મંત્રી! જાણો અનિતા આનંદ વિશે
    14 hours ago
    ગ્રીસમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનોન અને જોર્ડનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
    15 hours ago
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    10 hours ago
    પશ્ર્ચિમ આફ્રિકાનાં સહરન સ્ટેટ બુર્કીના-ફાસોમાં ‘જેહાદી’ હુમલામાં 100થી વધુ લોકોના મોત
    10 hours ago
    9 રાજ્યોમાં ભારે વરસાદ, 13 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    11 hours ago
    FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ
    11 hours ago
    ઓપરેશન સિંદૂર : 6’દીમાં ઉડાનો રદ્દ થતા 3 લાખ ટિકિટો કેન્સલ થઈ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    1 day ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    1 day ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    2 days ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    2 days ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    13 hours ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    2 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    2 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    7 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    3 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    6 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?
ખાસ-ખબરગુજરાતરાજકોટ

આયુર્વેદિક સિરપનાં નામે નશાનો કાળો કારોબાર ફરી શરૂ: પાનની દુકાન કે નશાનાં અડ્ડા?

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 5:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

આયુર્વેદિક સિરપની આડમાં વેંચાઈ રહ્યો છે આલ્કોહોલ મિશ્રિત બિયર

રાજકોટમાં પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા બિયર વેચાતા હોવાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે ફરી એક વખત શહેરના કેટલાક વિસ્તારમાં મોટાપાયે વેચાઈ રહેલી આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ હોવાની અને બંધાણીઓ તેનો બીયર તરીકે ફરી ઉપયોગ કરતા થઈ ગયા છે. આ કહેવાતી આયુર્વેદિક સિરપની બોટલ રૂા. 80થી 130ના ભાવે વેચાઈ છે. એટલું જ નહીં મેડિકલ સ્ટોરના બદલે પાનની દુકાનમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ જાણી જોઈ અજાણ હોય એવું જણાય આવે છે.

- Advertisement -

‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ
રાજકોટના હંસરાજનગર મેઈનરોડ પોપટપરાના નાલા પાસે શિવ સાગર પાનની દુકાનમાં આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલયુક્ત પીણાંનું ગેરકાયદે વેંચાણ થઈ રહ્યું છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં શિવ સાગર નામની પાન દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપ વેંચાઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ સિવાય રાજકોટના કેટલાંક વિસ્તારોમાં પાનની દુકાનમાં ખુલ્લેઆમ આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલવાળા પીણાંઓ વેંચાઈ રહ્યા છે. રાજકોટની પાનની દુકાનો જાણે દારૂના અડ્ડા હોય તેમ સરાજાહેર અહીં નશીલો પદાર્થ વેંચાઈ રહ્યો છે.

આયુર્વેદિક સિરપ ક્યા નામે વેંચાઈ રહ્યા છે? જેરીજેમ, હર્બી ફ્લો, સ્લીપવેલ, યુરીસ્ટાર, સ્ટોનહિલ, ઈઝીસ્લીપ, સોનારીસ્ટા, સુનીદ્રા વગેરે

મેડિકલ સ્ટોરનાં બદલે પાનની દુકાને કહેવાતી આયુર્વેદિક સિરપનું વેંચાણ પોલીસ અને ફૂડ-ડ્રગ્સ વિભાગ અજાણ?

- Advertisement -

વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દુકાનો પર આયુર્વેદિક સિરપના નામે, હર્બલ ટોનિકના ઓઠા હેઠળ આલ્કોહોલવાળા પીણાંની બોટલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેના પર લખ્યું છે કે, આ પીણાંમાં 11 ટકાથી વધુ આલ્કોહોલ નથી. મતલબ કે આ કહેવાતા આયુર્વેદિક શિરપમાં એક બોટલ બિયરથી પણ વધુ આલ્કોહોલ આવે છે. બિયરમાં 7 ટકા આલ્કોહોલ અને જવનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે આ કહેવાતા આયુર્વેદિક સિરપમાં 11 ટકા આલ્કોહોલ હોય નસેડીઓમાં આ પીણાંનું ચલણ ખૂબ જ માત્રામાં વધી ગયું છે. પાનની દુકાને ખુલ્લેઆમ ચાલતા આ નશાના કાળા કારોબાર પર ક્યારે અને કોણ પગલાં લેવાની હિંમત કરશે એ જોવું રહ્યું.

આયુર્વેદિક સિરપ હોય પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય
આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનો હેતુ તો કેટલીક બીમારીઓમાં રાહત આપવા માટેનો બતાવાયો છે, પણ તેનો લોકો નશા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. આ પહેલાં પણ કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તે વેંચવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, આ પ્રતિબંધનો પણ વાસ્તવિક અમલ કેટલો થતો હશે તે રામ જાણે. હવે આલ્કોહોલયુક્ત પીણાં આયુર્વેદિક સિરપના નામે વેચાઈ રહી છે. આવી દવાઓ આયુર્વેદિક લેબલ હેઠળ વેંચાતી હોવાનું તેના વેંચાણ માટે પરવાનગી કે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન લેવું જરૂરી નથી, પરંતુ ઉત્પાદન કરવા માટે લાયસન્સ મેળવવું પડતું હોય છે. વળી, આનું વેંચાણ મેડિકલ સ્ટોર દ્વારા જ થઈ શકે, આવી દવાઓ પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી ન થઈ શકાય. આ માટે પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટતું કરવું જોઈએ.

શું આ આયુર્વેદિક દવા દારૂનો ઓપ્શન બની શકે?
આ સવાલનો જવાબ છે હા. પાનની દુકાનોમાં મળતા આયુર્વેદિક સીપરની બોટલ પર છપાયેલું પિસ્ક્રિપ્શન જણાવે છે કે બોટલમાં 11થી 15% આલ્કોહોલ છે! જે દારૂના બેથી ત્રણ પેગ જ કહી શકાય. નશાના બંધાણીઓ આ આયુર્વેદિક સીરપનો ઉપયોગ દારૂ તરીકે થઈ ગયા છે, કારણ કે વિવિધ બ્રાન્ડ અને નેમથી વેંચાતી- પીવાતી આયુર્વેદિક સીરપમાં બીયરથી વધુ અને દારૂના પ્રમાણમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. વળી, આ પીણું સાથે હોય કે પીધું હોય તો પણ પોલીસ પકડતી નથી! આમ, રાજ્યમાં ખુલ્લેઆમ આલ્કોહોલિક પીણું દારૂ તરીકે વેચાઈ રહ્યું છે અને પીવાઈ રહ્યું છે.

કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ!
રાજકોટમાં કેટલીક પાનની દુકાને વેંચાતી કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ છે. અગાઉ એફએસએલમાં પણ આ બાબતનો પુરાવો મળી ચૂક્યો છે. આ આલ્કોહોલયુક્ત પીણાંમાં કુદરતી રીતે ઓસડીયામાં આથો લાવવામાં આવતો નથી, પરંતુ તેમાં આલ્કોહોલયુક્ત કેમિકલ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે. પોલીસ તેમજ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગે આયુર્વેદિક દવાઓના ઓઠા હેઠળ પાનના ગલ્લાઓ પરથી વેંચાતી આલ્કોલિક દવાઓની બોટલો પકડી પાડી, વેંચનાર અને બનાવવાર પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસ કડક પગલાં ક્યારે લેશે?
રાજકોટમાં મોટાભાગની ઠંડપીણાં અને પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ 11 ટકા આલ્કોહોલવાળા પીણાંનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યું છે. સામાન્ય રીતે ઈંગ્લીશ દારૂ કે બિયરની એકમાત્ર પેટી લાખોની ગાડીમાં પકડાય તો ગાડી સહિત ચાલક અને તેની સાથે જોડાયેલા ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે છે અને ગુજરાતમાં તો ખાસ દારૂબંધી હોવાના કારણે માત્ર 7 ટકા આલ્કોહોલ સાથેનું બિયર વેચવાની કે પીવાની પણ મનાઈ છે પણ 11 ટકા ઉપર આલ્કોહોલ ધરાવતી અને આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ વેચાતી બાટલીઓની છૂટ જણાય રહી છે જે પીનારા કે વેચનારા ઉપર કોઈજાતના પગલાં નથી લેવાતાં એ આચર્યજનક બાબત છે.

આ સિરપમાં કેટલો આલ્કોહોલ? ભાવ શું?
આયુર્વેદિક સીરપની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર જ તેમાં રહેલું આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ-અલગ બ્રાન્ડ મુજબ 300 એમ.એલ.ની બોટમાં આલ્કોહોલનું પ્રમાણ 11%થી લઈને 15% જેટલું હોય છે જે કોઈપણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલા આલ્કોહોલ કરતા બે ગણું વધારે હોય છે, 300, 375, 400, 525 એમ.એલ.ની મળતી એક બોટલ પીવાથી દારૂ કરતાં વધારે નશો આવે છે. આ બોટલની કિંમત 130 રૂા.થી લઈ 150, રૂા. 180 છે.

‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

વૈદિક ધર્મની વિચારધારાને વેગ આપવા હરબટીયાળીના ખેડૂતે વેદ યાત્રા યોજી

વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત

મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા

મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ

મોરબીના સનાળામાં ખૂંટીયાએ હડફેટે લેતા વૃધ્ધ નિવૃત્ત શિક્ષક ઈજાગ્રસ્ત

TAGGED: AYURVEDIKDRINKS, DRUG, PAANSHOP, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓછું મતદાન કોને ડુબાડશે?
Next Article પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરે બૉમ્બ બ્લાસ્ટ: 3નાં મોત, 2ની હાલત ગંભીર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

વૈદિક ધર્મની વિચારધારાને વેગ આપવા હરબટીયાળીના ખેડૂતે વેદ યાત્રા યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત
લકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી
મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા NFOFC કેબલની ચોરી
મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

વૈદિક ધર્મની વિચારધારાને વેગ આપવા હરબટીયાળીના ખેડૂતે વેદ યાત્રા યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી

વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબી

મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?