By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    9 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    9 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    1 day ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    4 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    7 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    8 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    9 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    8 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 day ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    7 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    8 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    8 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    1 day ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાંકાનેરના ચંદ્રપુરના જૈનુલભાઈ મુમના તલાટી મંત્રી એજાઝ કાદરીના વહીવટદાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાંકાનેરના ચંદ્રપુરના જૈનુલભાઈ મુમના તલાટી મંત્રી એજાઝ કાદરીના વહીવટદાર
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

વાંકાનેરના ચંદ્રપુરના જૈનુલભાઈ મુમના તલાટી મંત્રી એજાઝ કાદરીના વહીવટદાર

Khaskhabar Editor
Last updated: 2023/02/17 at 6:07 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

દસ વર્ષ પહેલા જૈનુલભાઈ અને તેમના પત્ની માત્ર 5 હજારમાં નોકરી કરતા હતા તો ટૂંકાગાળામાં આટલી સંપત્તિ કઈ રીતે આવી? જો પોલીસ તપાસ થાય તો અનેક કૌભાંડો બહાર આવી શકે

પોતાના મળતિયા દ્વારા ફરિયાદીને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એજાઝ કાદરી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામનો તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા વિરુદ્ધ વ્યાજ વસૂલી, જાનથી મારી નાખવાની ધમકી, જમીન પચાવી પાડવા સહિતની ફરિયાદ થઈ છે. ફરિયાદી ઈલ્મુદીન બાદીએ એજાઝ કાદરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કલેક્ટર અને એસપીના માધ્યમથી ગૃહ તથા મહેસૂલ મંત્રીને રજૂઆત કરી છે. ક્રિમીનલ માઈન્ડ ધરાવતા તલાટી મંત્રી એજાઝ કાદરી વિરુદ્ધ અનેક જગ્યા પર ગુના નોંધાયા છે. વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા યુવાને ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી 5 ટકા વ્યાજે લીધેલા રૂપિયા 30 લાખના બદલામાં રૂપિયા 45 લાખ માંગી વાંકાનેર અને અમદાવાદના વ્યાજખોરોએ ખેતીની જમીન અને 10 લાખની કાર પડાવી લેતા યુવક ઇલ્મુદીન બાદીએ ન્યાય માટે સરકાર સમક્ષ આજીજી કરી છે. કાજરડા ગામનો તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી બેનામી સંપત્તિનો બાદશાહ છે વ્યાજે પૈસા આપી અને જમીન લખાવી લેવી તેનો મૂળ ધંધો છે. લોકોને ધામક ધમકી આપી પૈસા પચાવી લેવા, વ્યાજ વટાવ અને લાંચ દ્વારા અઢળક સંપત્તિનું સર્જન કર્યું છે. આ સંપત્તિ તેના મળતિયાઓ, પરિવાર તથા તેની પત્નીના નામે છે. સાથે જ તેનો ખાસ સાગરિત કહેવાતો જૈનુલભાઈ ગાજીભાઈ મુમના પાસે પણ એજાઝ કાદરીનું કાળું નાણું છૂપાયેલું છે.

કોઈ તલાટી મંત્રી પાસે ન હોય એટલી સંપત્તિ કાદરી પાસે વડોદરા, ઉજ્જૈન અને ભોપાલમાં મોટું રોકાણ
પોલ્ટ્રી ઉદ્યોગમાં કાદરીનું મોટાપાયે રોકાણ

જૈનુલભાઈ ગાજીભાઈ મુમનાના બેન્ક એકાઉન્ટ બે નંબરના નાણાંથી છલોછલ

- Advertisement -

વાંકાનેરના યુવકે કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા પાસેથી 5 ટકા વ્યાજે 30 લાખ લીધા હતા જેના બદલામાં યુવકે 27 લાખ વ્યાજ ચૂકવ્યું છતા કાદરીએ 90 લાખની જમીન પચાવી લીધી

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતો વહીવટદાર જૈનુલભાઈ ગાજીભાઈ મુમના, તેની પત્ની 10 વર્ષ પહેલા ખાનગી શાળામાં 5 હજારમાં નોકરી કરતા હતા. આજે તેના બેન્ક એકાઉન્ટ એજાઝ કાદરીના બે નંબરી નાણાથી છલકાય છે. જૈનુલભાઈના પિતા ગાજીભાઈ મુમના ચંદ્રપુર ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને મધ્યમવર્ગીય પરિવાર છે તેની સંપત્તિમાં ટૂંકાગાળામાં થયેલ અઢળક વધારો ભારે આશ્ચર્ય પમાડે તેવો છે તેની તપાસ થાય તો અનેક ગેરરીતિ સહિતના કૌભાંડો બહાર આવી શકે. એજાઝ કાદરીનો સાગરીત થયા પછી જૈનુલભાઈ મુમનાએ અનેક જમીનો ખરીદી કરોડોપતિ થઈ ગયો છે. તેનો રૂઆબ ભલભલા ઉદ્યોગપતિને ઝાંખા પમાડે તેવો છે એજાઝ કાદરીના કાળા ધોળાના રખેવાળ એવા જૈનુલભાઈ મુમનાને જો પોલીસની ભાષામાં તપાસ કરવામાં આવે તો હાલ દસ પંદર દિવસથી ફરાર એજાઝ કાદરીનું ખરૂં લોકેશન મળી શકે છે અને તેના બેનામી વ્યવહારોની પણ પોલ ખુલી શકે છે. તેવું અરજદારની અરજીમાં જણાવાયું છે.

શું જાનથી મારી નાખશે પછી કલેક્ટર અને એસપી એક્શન લેશે?
ફરિયાદીએ જ્યારે એજાઝ કાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તે 20 દિવસ બાદ લેવામાં આવી. તલાટી મંત્રી સામે એફઆઈઆર પણ થઈ. પરંતુ એક્શન ક્યારે લેવાશે? આ તો ફક્ત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો શું કલેક્ટર અને એસપી મર્ડરની રાહ જોઈ રહી છે કે હત્યા થાય ત્યારબાદ હથિયાર પરવાનો રદ અને હથિયાર જપ્ત કરશે?

તલાટી મંત્રીને હથિયારની શું જરૂર? છતાં એજાઝ કાદરી પાસે રિવોલ્વર અને એક બારનો જોટો
ક્રિમીનલ માઈન્ડ ધરાવતા તલાટી મંત્રી એજાઝ કાદરી રાજ્ય સેવક તરીકે કોઈ નીતિનું પાલન કરતો નથી. શું તલાટી મંત્રીને હથિયારની જરૂર પડે? તેની પાસે એક રિવોલ્વર અને એક બાર બોરનો જોટો છે. એજાઝ કાદરી વ્યાજ વટાવનો ધંધો કરતો હોવાથી લોકોને ધાક ધમકી અને ડરાવવા માટે જ હથિયારનો ઉપયોગ કરે છે. તેની પરવાનાવાળી રિવોલ્વરથી જ ફરિયાદી ઈલ્મુદીન બાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જૈનુલભાઈ મુમનાના નામે અનેક સંપત્તિ
વાંકાનેરના ચંદ્રપુર ગામે બિનખેતીની જગ્યા જેનો મૂળ માલિક એજાઝ કાદરી
કલાવડી ગામે પણ 5 એકરની જમીન જૈનુલભાઈ મુમનાના નામે

એજાઝ કાદરી ગુનાઇત ઈતિહાસ ધરાવે છે તો તે તલાટી મંત્રી પદ પર રહી શકે?
તલાટી મંત્રી એજાઝ કાદરી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે એફઆઈઆર પણ થઈ છે તો શું તે તલાટી મંત્રી પદ પર રહી શકે? તાત્કાલિકપણે જિલ્લા કલેક્ટરે આ કેસમાં અંગત રસ લઈ એજાઝ કાદરીને ડિસમીસ કરીને સમાજને ઉદાહરણ આપવું જોઈએ કે, નાગરિક હોય કે સરકારી સેવક કાયદા તમામ માટે સમાન છે. એજાઝ કાદરી પાસે સંપત્તિ ક્યાંથી આવી તેની તપાસ કરે તો કેટલાક કૌભાંડોનો ભાંડો ફૂટી શકે. અત્યાર સુધીમાં અનેક ગરીબ પરિવારોને વ્યાજે પૈસા આપી ધામ ધમકીથી વધુ વ્યાજ વસૂલી કરી કેટલાકની જિંદગી બરબાદ કરી નાખી છે તેની આખી કુંડળી બહાર આવી શકે.

મોરબીના માળિયા મીયાણાના કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝ કાદરીએ કોઈને ધમકી આપતો હોય અથવા તેના વિરુદ્ધ કોઈપણ ફરિયાદ હોય તો ‘ખાસ-ખબર’ કાર્યાલય:- શિવ પ્રકાશન, પહેલો માળ, કોર મોબાઈલની ઉપર, એપલ બાઈટની સામે, એસ્ટ્રોન ચોક, રાજકોટ. મો. નં. 76982 11111 પર સંપર્ક કરવો.

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

TAGGED: administrator, Chandrapur, EjazQadri, JainulbhaiMumna, Rajkot, TalatiMinister, wankaner
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઊનાળા પહેલા જ પાણીની પળોજણ
Next Article રિકવરી એજન્ટ સંજયસિંહ અને મયુરસિંહ જાડેજાની ખુલ્લેઆમ ગૂંડાગીરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?