By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાંકાનેરના ચંદ્રપુરના જૈનુલભાઈ મુમના તલાટી મંત્રી એજાઝ કાદરીના વહીવટદાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાંકાનેરના ચંદ્રપુરના જૈનુલભાઈ મુમના તલાટી મંત્રી એજાઝ કાદરીના વહીવટદાર
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

વાંકાનેરના ચંદ્રપુરના જૈનુલભાઈ મુમના તલાટી મંત્રી એજાઝ કાદરીના વહીવટદાર

Khaskhabar Editor
Last updated: 2023/02/17 at 6:07 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

દસ વર્ષ પહેલા જૈનુલભાઈ અને તેમના પત્ની માત્ર 5 હજારમાં નોકરી કરતા હતા તો ટૂંકાગાળામાં આટલી સંપત્તિ કઈ રીતે આવી? જો પોલીસ તપાસ થાય તો અનેક કૌભાંડો બહાર આવી શકે

પોતાના મળતિયા દ્વારા ફરિયાદીને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એજાઝ કાદરી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામનો તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા વિરુદ્ધ વ્યાજ વસૂલી, જાનથી મારી નાખવાની ધમકી, જમીન પચાવી પાડવા સહિતની ફરિયાદ થઈ છે. ફરિયાદી ઈલ્મુદીન બાદીએ એજાઝ કાદરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા કલેક્ટર અને એસપીના માધ્યમથી ગૃહ તથા મહેસૂલ મંત્રીને રજૂઆત કરી છે. ક્રિમીનલ માઈન્ડ ધરાવતા તલાટી મંત્રી એજાઝ કાદરી વિરુદ્ધ અનેક જગ્યા પર ગુના નોંધાયા છે. વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને સુરત આયુર્વેદિક ગૃહ ઉદ્યોગ ચલાવતા યુવાને ખેતીની જમીનના કાગળો ગીરવે મૂકી 5 ટકા વ્યાજે લીધેલા રૂપિયા 30 લાખના બદલામાં રૂપિયા 45 લાખ માંગી વાંકાનેર અને અમદાવાદના વ્યાજખોરોએ ખેતીની જમીન અને 10 લાખની કાર પડાવી લેતા યુવક ઇલ્મુદીન બાદીએ ન્યાય માટે સરકાર સમક્ષ આજીજી કરી છે. કાજરડા ગામનો તલાટી મંત્રી એજાઝહુસૈન મહંમદઈકબાલ કાદરી બેનામી સંપત્તિનો બાદશાહ છે વ્યાજે પૈસા આપી અને જમીન લખાવી લેવી તેનો મૂળ ધંધો છે. લોકોને ધામક ધમકી આપી પૈસા પચાવી લેવા, વ્યાજ વટાવ અને લાંચ દ્વારા અઢળક સંપત્તિનું સર્જન કર્યું છે. આ સંપત્તિ તેના મળતિયાઓ, પરિવાર તથા તેની પત્નીના નામે છે. સાથે જ તેનો ખાસ સાગરિત કહેવાતો જૈનુલભાઈ ગાજીભાઈ મુમના પાસે પણ એજાઝ કાદરીનું કાળું નાણું છૂપાયેલું છે.

કોઈ તલાટી મંત્રી પાસે ન હોય એટલી સંપત્તિ કાદરી પાસે વડોદરા, ઉજ્જૈન અને ભોપાલમાં મોટું રોકાણ
પોલ્ટ્રી ઉદ્યોગમાં કાદરીનું મોટાપાયે રોકાણ

જૈનુલભાઈ ગાજીભાઈ મુમનાના બેન્ક એકાઉન્ટ બે નંબરના નાણાંથી છલોછલ

- Advertisement -

વાંકાનેરના યુવકે કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝ કાદરી અને પ્રહલાદસિંહ ચુડાસમા પાસેથી 5 ટકા વ્યાજે 30 લાખ લીધા હતા જેના બદલામાં યુવકે 27 લાખ વ્યાજ ચૂકવ્યું છતા કાદરીએ 90 લાખની જમીન પચાવી લીધી

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતો વહીવટદાર જૈનુલભાઈ ગાજીભાઈ મુમના, તેની પત્ની 10 વર્ષ પહેલા ખાનગી શાળામાં 5 હજારમાં નોકરી કરતા હતા. આજે તેના બેન્ક એકાઉન્ટ એજાઝ કાદરીના બે નંબરી નાણાથી છલકાય છે. જૈનુલભાઈના પિતા ગાજીભાઈ મુમના ચંદ્રપુર ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવે છે અને મધ્યમવર્ગીય પરિવાર છે તેની સંપત્તિમાં ટૂંકાગાળામાં થયેલ અઢળક વધારો ભારે આશ્ચર્ય પમાડે તેવો છે તેની તપાસ થાય તો અનેક ગેરરીતિ સહિતના કૌભાંડો બહાર આવી શકે. એજાઝ કાદરીનો સાગરીત થયા પછી જૈનુલભાઈ મુમનાએ અનેક જમીનો ખરીદી કરોડોપતિ થઈ ગયો છે. તેનો રૂઆબ ભલભલા ઉદ્યોગપતિને ઝાંખા પમાડે તેવો છે એજાઝ કાદરીના કાળા ધોળાના રખેવાળ એવા જૈનુલભાઈ મુમનાને જો પોલીસની ભાષામાં તપાસ કરવામાં આવે તો હાલ દસ પંદર દિવસથી ફરાર એજાઝ કાદરીનું ખરૂં લોકેશન મળી શકે છે અને તેના બેનામી વ્યવહારોની પણ પોલ ખુલી શકે છે. તેવું અરજદારની અરજીમાં જણાવાયું છે.

શું જાનથી મારી નાખશે પછી કલેક્ટર અને એસપી એક્શન લેશે?
ફરિયાદીએ જ્યારે એજાઝ કાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તે 20 દિવસ બાદ લેવામાં આવી. તલાટી મંત્રી સામે એફઆઈઆર પણ થઈ. પરંતુ એક્શન ક્યારે લેવાશે? આ તો ફક્ત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો શું કલેક્ટર અને એસપી મર્ડરની રાહ જોઈ રહી છે કે હત્યા થાય ત્યારબાદ હથિયાર પરવાનો રદ અને હથિયાર જપ્ત કરશે?

તલાટી મંત્રીને હથિયારની શું જરૂર? છતાં એજાઝ કાદરી પાસે રિવોલ્વર અને એક બારનો જોટો
ક્રિમીનલ માઈન્ડ ધરાવતા તલાટી મંત્રી એજાઝ કાદરી રાજ્ય સેવક તરીકે કોઈ નીતિનું પાલન કરતો નથી. શું તલાટી મંત્રીને હથિયારની જરૂર પડે? તેની પાસે એક રિવોલ્વર અને એક બાર બોરનો જોટો છે. એજાઝ કાદરી વ્યાજ વટાવનો ધંધો કરતો હોવાથી લોકોને ધાક ધમકી અને ડરાવવા માટે જ હથિયારનો ઉપયોગ કરે છે. તેની પરવાનાવાળી રિવોલ્વરથી જ ફરિયાદી ઈલ્મુદીન બાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જૈનુલભાઈ મુમનાના નામે અનેક સંપત્તિ
વાંકાનેરના ચંદ્રપુર ગામે બિનખેતીની જગ્યા જેનો મૂળ માલિક એજાઝ કાદરી
કલાવડી ગામે પણ 5 એકરની જમીન જૈનુલભાઈ મુમનાના નામે

એજાઝ કાદરી ગુનાઇત ઈતિહાસ ધરાવે છે તો તે તલાટી મંત્રી પદ પર રહી શકે?
તલાટી મંત્રી એજાઝ કાદરી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે એફઆઈઆર પણ થઈ છે તો શું તે તલાટી મંત્રી પદ પર રહી શકે? તાત્કાલિકપણે જિલ્લા કલેક્ટરે આ કેસમાં અંગત રસ લઈ એજાઝ કાદરીને ડિસમીસ કરીને સમાજને ઉદાહરણ આપવું જોઈએ કે, નાગરિક હોય કે સરકારી સેવક કાયદા તમામ માટે સમાન છે. એજાઝ કાદરી પાસે સંપત્તિ ક્યાંથી આવી તેની તપાસ કરે તો કેટલાક કૌભાંડોનો ભાંડો ફૂટી શકે. અત્યાર સુધીમાં અનેક ગરીબ પરિવારોને વ્યાજે પૈસા આપી ધામ ધમકીથી વધુ વ્યાજ વસૂલી કરી કેટલાકની જિંદગી બરબાદ કરી નાખી છે તેની આખી કુંડળી બહાર આવી શકે.

મોરબીના માળિયા મીયાણાના કાજરડા ગામના તલાટી મંત્રી એજાઝ કાદરીએ કોઈને ધમકી આપતો હોય અથવા તેના વિરુદ્ધ કોઈપણ ફરિયાદ હોય તો ‘ખાસ-ખબર’ કાર્યાલય:- શિવ પ્રકાશન, પહેલો માળ, કોર મોબાઈલની ઉપર, એપલ બાઈટની સામે, એસ્ટ્રોન ચોક, રાજકોટ. મો. નં. 76982 11111 પર સંપર્ક કરવો.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: administrator, Chandrapur, EjazQadri, JainulbhaiMumna, Rajkot, TalatiMinister, wankaner
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઊનાળા પહેલા જ પાણીની પળોજણ
Next Article રિકવરી એજન્ટ સંજયસિંહ અને મયુરસિંહ જાડેજાની ખુલ્લેઆમ ગૂંડાગીરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?