દુનિયાભરની ધાર્મિક યાત્રા પર ગયા હોવાનો ગુરૂચરણ સિંહનો ખુલાસો
લોકપ્રિય સિટકોમ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરણ સિંહ વિશે સારા સમાચાર આવ્યા છે. 25 દિવસ સુધી ગુમ થયા બાદ તે ઘરે પરત ફર્યો છે. અભિનેતા ગુરૂચરણ સિંહ ગત તા. 22 એપ્રિલથી ગુમ હતા. તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ઘણા દિવસો સુધી ગુમ રહ્યા બાદ તે જાતે જ ઘરે પરત ફર્યા હતા. પરત ફરતાં પોલીસે ગુરૂચરણની પૂછપરછ કરી હતી.
- Advertisement -
તેણે કહ્યું કે, તે ઘર છોડીને દુનિયાભરની ધાર્મિક યાત્રા પર ગયા હતા. ગુરૂચરણ સિંહે જણાવ્યું કે, તેઓ અમૃતસર, લુધિયાણા જેવા ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા હતા. ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા પછી તેને સમજાયું કે હવે તેણે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પરત ફર્યો. ગુરૂચરણ સિંહ ગત તા. 22 એપ્રિલના રોજ દિલ્હીમાં પોતાના ઘરેથી મુંબઈ જવા નીકળ્યા હતા. પરંતુ તે પોતે એરપોર્ટ પર પહોંચ્યો ન હતો. ગત તા.26 એપ્રિલના રોજ તેના ગુમ થવાનો ખુલાસો થયો હતો.
ગુરૂચરણ સિંહ વિરૂદ્ધ પાલમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 365 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુરૂચરણ સિંહનો મોબાઈલ ફોન ગત તા.22 એપ્રિલે રાત્રે 9:22 કલાકે બંધ હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ગુરૂચરણ સિંહે ઘણા રોકડ વ્યવહારો કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. તેણે 7000 રૂપિયાનું ટ્રાન્ઝેકશન કર્યું હતું તેમજ બહુવિધ વ્યવહારો કર્યા હોવાની માહિતી પણ બહાર આવી હતી.