કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની ખાસ ઉપસ્થિતિમાં તાજાવાલા હોલ, પોરબંદર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં લોકસભાના ઉમેદવાર ડો. મનસુખભાઈ માંડવિયા તેમજ વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
- Advertisement -
અને યુવાનો ને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિકાસ ના વિઝન અંગે માહિતગાર કરી વિકસિત ભારત માટે ભાજપ ને મત આપવા અપીલ કરી હતી. યુવાનો એ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ સાથે પ્રશ્ર્નોતરી કરી હતી. જેના કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા.જે કાર્યક્રમમાં સરકારી મેડિકલ કોલેજ, ભાનુપ્રકાશદાસજી સંચાલિત સ્વામિનારાયણ કોલેજ તેમજ ગોઢાણીયા કોલેજ, મોઢા કોલેજ, સહીત ઓનલાઇન રજીસ્ટ્રેશન મારફતે અને જુદા જુદા ટ્યુશન ક્લાસ ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.