By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    3 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    33 minutes ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    47 minutes ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    55 minutes ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    59 minutes ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    3 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!
AuthorHemadri Acharya Daveલાઇફ સ્ટાઇલ

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!

Khaskhabar Editor
Last updated: 2023/10/11 at 1:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

શરીરની માફક દિમાગની કાળજી પણ જરૂરી

માનસિક બીમારી આ શબ્દ આપણાં સમાજમાં સુગાળવો છે. છેલ્લા થોડા સમયથી આ પરત્વે જાગૃતિ આવી છે છતાં આ બાબતની સમજ શહેરોને અને એ પણ અમુક વર્ગને બાદ કરતાં હજુપણ ઘણી અલ્પ હોવાથી લોકો મોટાભાગે માનસિક બીમારીને ગાંડપણ સાથે જોડી દે છે. અથવા સંપૂર્ણપણે માનસિક સ્વાસ્થ્ય ગુમાવી બેઠેલા લોકોને જ માનસિક બીમાર ગણે છે. પરંતુ વાસ્તવમાં શરીરના હોવાથી શારીરિક બીમારીઓ થાય એ જેટલું સહજ છે કે માણસ પાસે વિચારવાની શક્તિ છે એ વિચારતંત્રના હોવાના કારણે, વ્યક્તિ તેની સાથે બનતી ઘટનાઓ અને તેને મળેલા સંજોગોને મુલવવાનું દરેકનું આગવું અર્થઘટન પર્સપ્શન હોય છે. અને એમાં અવરોધ ઉભા થઈને માનસિક બીમારીઓ જન્મે છે. હર્ષ-શોક જેવી મૂળભૂત સેન્સ સાથે સાથે કયા સંજોગો કંઈ વ્યક્તિને કેટલું આહત કરશે કે તેના પર તેની શું અસર થશે એની કોઈ માપપટ્ટી નથી હોતી. માનસિક સ્વાસ્થ્યમાં આપણી ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે. તે આપણી વિચારવાની, અનુભવવાની અને કાર્ય કરવાની રીતને અસર કરે છે. તે એ નક્કી કરવામાં પણ મદદ કરે છે કે આપણે કેવી રીતે તણાવને નિરાકરણ કરીએ છીએ, અન્ય લોકો સાથે જોડાઈએ છીએ અને સ્વસ્થ પસંદગીઓ કરીએ છીએ. બાળપણ અને કિશોરાવસ્થાથી લઈને પુખ્તાવસ્થા સુધી, જીવનના દરેક તબક્કે માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. વ્યક્તિની એ મનોદશા જે સકારાત્મક, સ્થિર અને સંતુલિત હોય. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની વિભાવના સારી જીવનશૈલી તરફ દોરી જાય છે, જેમાં સ્વસ્થ સંબંધો, સ્વસ્થ સામાજિક આંતરક્રિયાઓ, યોગ્ય આહાર, ઊંઘ અને કસરતનો સમાવેશ થાય છે. સ્થિરતા, સકારાત્મકતા અને ઘનિષ્ઠ સુખ જેવા માઈન્ડસેટમાં આ પ્રાપ્ત થાય છે. કોઈપણ દેશના વિકાસ માટે તેના નાગરિકોનું માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) માનસિક સ્વાસ્થ્યને “શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે માત્ર રોગ અથવા નબળાઈની ગેરહાજરી” નથી. ડબ્લ્યુએચઓ માનસિક સ્વાસ્થ્યને માનસિક સુખાકારી તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં વ્યક્તિ તેની ક્ષમતાઓને સમજે છે, જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકે છે, યોગ્ય રીતે કાર્ય કરી શકે છે અને તેના સમુદાયમાં યોગદાન આપી શકે છે. આ સકારાત્મક અર્થમાં, માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિગત સુખાકારી અને સમુદાયની અસરકારક કામગીરીનો પાયો છે તેમ કહી શકાય. માનસિક સ્વાસ્થ્યની અસર આપણી દિનચર્યા પર સ્પષ્ટપણે જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્યની અસરને આપણે વિવિધ પરિમાણોમાં જોઈ શકીએ છીએ જેમ કે – શૈક્ષણિક કામગીરી, કાર્ય ઉત્પાદકતા, સકારાત્મક વ્યક્તિગત સંબંધોનો વિકાસ, અપરાધ દર, દારૂ અને ડ્રગનો દુરુપયોગ આત્મહત્યા દર વગેરે. વળી,માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એકંદર આરોગ્યના સમાન મહત્વપૂર્ણ ઘટકો છે. ઉદાહરણ તરીકે, ડિપ્રેશન વિવિધ પ્રકારની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે, ખાસ કરીને લાંબા ગાળાની પરિસ્થિતિઓમાં, જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્ટ્રોક. તેવી જ રીતે, દીર્ઘકાલીન પરિસ્થિતિઓની હાજરી
તીવ્ર માનસિક બીમારીનું જોખમ વધારી શકે છે. જો માનસિક વિકારના લક્ષણો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો તે વ્યક્તિને સામાન્ય બનવામાં અને સામાન્ય લોકોની જેમ જીવન જીવવામાં મદદ કરે છે અને તેના સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે. આવા કેટલાક મુખ્ય લક્ષણો નીચે મુજબ છે
વિના કારણ હંમેશા દુ:ખી થવું અને કોઈ પણ વસ્તુથી આનંદ મળવો, કોઈપણ બાબત પર ધ્યાન કેન્દ્રિત ન થવું, અકારણ ડર, ગુસ્સો, ચિંતા, નકારાત્મકતા, મૂડ સ્વિંગ, દોસ્તો અને સંબંધોથી દૂર ભાગવું, અનિંદ્રા, વિના કારણ અનિંદ્રા બેચેની ગભરામણ, રોજિંદા કાર્યો જે પહેલા આસાનીથી થઈ શકતા એમા હવે થાક લાગવો, કામની સળ ન પડવી, નિર્ણયશક્તિનો અભાવ વર્તાય, અતાર્કિક વિચારોની શૃંખલામાંથી બહાર ન નિકળી શકવું, મરી જવાના વિચારો આવ્યા કરવા આખી દુનિયા દુશ્ર્મન લાગવી વગેરે… માનસિક અસ્વસ્થ વ્યક્તિ પોતાની સાથે તેના પરિવારનું અને આખરે સમાજની સુખકારીમાં આડખીલી રૂપ બને છે. પરિવાર સમજી નથી શકતો અને વ્યક્તિ કહી નથી શકતી કે તેને શું થાય છે. આવા સંજોગોમાં ઘરની વ્યક્તિએ આ લક્ષણોથી પીડાતી પરિવારરની વ્યક્તિને સમજવા કોશિશ કરી મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. નહિતર અંગત નુકશાન સહિત ગુનાખોરી સુધી વ્યક્તિ પહોંચી જાય છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવાની બીજી રીત સામાજિક સંવાદિતા વિકસાવવી છે. મિત્રો અને પરિવાર સાથેના સંબંધો આપણને સ્વસ્થ અને સકારાત્મક રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો આપણે બીજાને ખુશ રાખીએ તો તેઓ પણ આપણને ખુશ રાખશે. સ્વસ્થ અને સુખી લોકો હંમેશા બીજાને પ્રભાવિત કરે છે અને સમાજમાં હકારાત્મકતા ફેલાવે છે.

- Advertisement -

WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે, જેમાંથી 85 ટકા લોકો સારવાર લેતા નથી!

માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે રોગમાં પરિણમે છે જેવા કે બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે.

WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે. જેમાંથી પંચયાશી ટકા લોકો સારવાર લેતા નથી! એક લાખ વ્યક્તિએ છથી સાત મનોચિકિત્સક હોવા એ જરૂરી પરિસ્થિતિ છે જ્યારે આપણે ત્યાં ટકાવારી પ્રમાણે માત્ર 0.75 છે! જો સમયસર માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે મોટા મોટા માનસિક રોગમાં પરિણમે છે જેવા કે
બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે. એટલે જ, જો તમને તમારામાં આવા કોઈ લક્ષણો દેખાય તો એકલા ન સહન કરો. તમારા નજીકના મિત્ર સાથે આ વિષય વિશે વાત કરો કારણ કે તે મન અને હૃદય પરનો બોજ હળવો કરશે અને તમને મદદ કરશે. તે પછી ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો. જો યોગ્ય સમયે સમસ્યા શોધી કાઢવામાં આવે તો સારવાર કરી શકાય છે. સ્ત્રી અને પુરુષ ફક્ત તેમના સ્પષ્ટ શારીરિક લક્ષણોમાં જ નહીં, પણ મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ પણ અલગ છે. સ્ત્રી અને પુરુષ, મગજ જે રીતે સંરચિત કે પ્રતિબદ્ધ છે અને જે રીતે માહિતીની પ્રક્રિયા કરે છે, ઘટનાઓ અને ઉત્તેજનાઓ પર પ્રતિક્રિયા આપે છે, અર્થઘટન કરે છે તેમાં વાસ્તવિક તફાવત છે. સ્ત્રી અને પુરુષ, તેઓ જે રીતે વાતચીત કરે છે, સંબંધોમાં વ્યવહાર, તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં અને તણાવ પ્રત્યે પ્રતિક્રિયા આપવામાં અલગ પડે છે. આમ, લિંગ તફાવતો શારીરિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો પર આધારિત છે. કોને કઈ પ્રકારની અને કેવી બીમારી થાય છે એ બાબતમાં લિંગનું પરિમાણ નિર્ણાયક પરિબળ છે કે સ્ત્રીઓમાં મનોવૈજ્ઞાનિક તકલીફ અને માનસિક વિકારની પેટર્ન પુરુષોમાં જોવા મળતી વિકૃતિઓ કરતા અલગ છે. સ્ત્રીઓમાં આંતરિક વિકૃતિઓનું સરેરાશ સ્તર ઊંચું હોય છે. અસ્વસ્થતા, ડિપ્રેસિવ મૂડ, અજ્ઞાત દુખાવા, નબળાઇ અથવા શ્ર્વાસની ઉતરચડ વગેરે લક્ષણો દ્વારા વર્ગીકૃત થયેલ છે .જ્યારે પુરુષો બાહ્ય વિકૃતિઓ જેવી કે નિયમ ભંગ, આક્રમકતા, મારામારી, બેદરકારી વાળા નબળા આવેગ-નિયંત્રણ સંબંધિત સમસ્યારૂપ વર્તન દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે.

- Advertisement -

 

You Might Also Like

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે

શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?

TAGGED: mindhealthy, WorldMentalHealthDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અફઘાનિસ્તાનમાં આજે સવારે ફરી ભૂકંપના આંચકા: રિકટલ સ્કેલ પર 6.1ની તીવ્રતા નોંધાઇ
Next Article પોરબંદરમાં પદયાત્રીઓને રિફલેક્ટિવ જેકેટ ટ્રાફિક શાખા દ્વારા અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?