By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    19 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    17 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    17 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    18 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    19 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!
AuthorHemadri Acharya Daveલાઇફ સ્ટાઇલ

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!

Khaskhabar Editor
Last updated: 2023/10/11 at 1:55 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

શરીરની માફક દિમાગની કાળજી પણ જરૂરી

માનસિક બીમારી આ શબ્દ આપણાં સમાજમાં સુગાળવો છે. છેલ્લા થોડા સમયથી આ પરત્વે જાગૃતિ આવી છે છતાં આ બાબતની સમજ શહેરોને અને એ પણ અમુક વર્ગને બાદ કરતાં હજુપણ ઘણી અલ્પ હોવાથી લોકો મોટાભાગે માનસિક બીમારીને ગાંડપણ સાથે જોડી દે છે. અથવા સંપૂર્ણપણે માનસિક સ્વાસ્થ્ય ગુમાવી બેઠેલા લોકોને જ માનસિક બીમાર ગણે છે. પરંતુ વાસ્તવમાં શરીરના હોવાથી શારીરિક બીમારીઓ થાય એ જેટલું સહજ છે કે માણસ પાસે વિચારવાની શક્તિ છે એ વિચારતંત્રના હોવાના કારણે, વ્યક્તિ તેની સાથે બનતી ઘટનાઓ અને તેને મળેલા સંજોગોને મુલવવાનું દરેકનું આગવું અર્થઘટન પર્સપ્શન હોય છે. અને એમાં અવરોધ ઉભા થઈને માનસિક બીમારીઓ જન્મે છે. હર્ષ-શોક જેવી મૂળભૂત સેન્સ સાથે સાથે કયા સંજોગો કંઈ વ્યક્તિને કેટલું આહત કરશે કે તેના પર તેની શું અસર થશે એની કોઈ માપપટ્ટી નથી હોતી. માનસિક સ્વાસ્થ્યમાં આપણી ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે. તે આપણી વિચારવાની, અનુભવવાની અને કાર્ય કરવાની રીતને અસર કરે છે. તે એ નક્કી કરવામાં પણ મદદ કરે છે કે આપણે કેવી રીતે તણાવને નિરાકરણ કરીએ છીએ, અન્ય લોકો સાથે જોડાઈએ છીએ અને સ્વસ્થ પસંદગીઓ કરીએ છીએ. બાળપણ અને કિશોરાવસ્થાથી લઈને પુખ્તાવસ્થા સુધી, જીવનના દરેક તબક્કે માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. વ્યક્તિની એ મનોદશા જે સકારાત્મક, સ્થિર અને સંતુલિત હોય. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની વિભાવના સારી જીવનશૈલી તરફ દોરી જાય છે, જેમાં સ્વસ્થ સંબંધો, સ્વસ્થ સામાજિક આંતરક્રિયાઓ, યોગ્ય આહાર, ઊંઘ અને કસરતનો સમાવેશ થાય છે. સ્થિરતા, સકારાત્મકતા અને ઘનિષ્ઠ સુખ જેવા માઈન્ડસેટમાં આ પ્રાપ્ત થાય છે. કોઈપણ દેશના વિકાસ માટે તેના નાગરિકોનું માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) માનસિક સ્વાસ્થ્યને “શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે માત્ર રોગ અથવા નબળાઈની ગેરહાજરી” નથી. ડબ્લ્યુએચઓ માનસિક સ્વાસ્થ્યને માનસિક સુખાકારી તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં વ્યક્તિ તેની ક્ષમતાઓને સમજે છે, જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકે છે, યોગ્ય રીતે કાર્ય કરી શકે છે અને તેના સમુદાયમાં યોગદાન આપી શકે છે. આ સકારાત્મક અર્થમાં, માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિગત સુખાકારી અને સમુદાયની અસરકારક કામગીરીનો પાયો છે તેમ કહી શકાય. માનસિક સ્વાસ્થ્યની અસર આપણી દિનચર્યા પર સ્પષ્ટપણે જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્યની અસરને આપણે વિવિધ પરિમાણોમાં જોઈ શકીએ છીએ જેમ કે – શૈક્ષણિક કામગીરી, કાર્ય ઉત્પાદકતા, સકારાત્મક વ્યક્તિગત સંબંધોનો વિકાસ, અપરાધ દર, દારૂ અને ડ્રગનો દુરુપયોગ આત્મહત્યા દર વગેરે. વળી,માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એકંદર આરોગ્યના સમાન મહત્વપૂર્ણ ઘટકો છે. ઉદાહરણ તરીકે, ડિપ્રેશન વિવિધ પ્રકારની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે, ખાસ કરીને લાંબા ગાળાની પરિસ્થિતિઓમાં, જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્ટ્રોક. તેવી જ રીતે, દીર્ઘકાલીન પરિસ્થિતિઓની હાજરી
તીવ્ર માનસિક બીમારીનું જોખમ વધારી શકે છે. જો માનસિક વિકારના લક્ષણો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો તે વ્યક્તિને સામાન્ય બનવામાં અને સામાન્ય લોકોની જેમ જીવન જીવવામાં મદદ કરે છે અને તેના સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે. આવા કેટલાક મુખ્ય લક્ષણો નીચે મુજબ છે
વિના કારણ હંમેશા દુ:ખી થવું અને કોઈ પણ વસ્તુથી આનંદ મળવો, કોઈપણ બાબત પર ધ્યાન કેન્દ્રિત ન થવું, અકારણ ડર, ગુસ્સો, ચિંતા, નકારાત્મકતા, મૂડ સ્વિંગ, દોસ્તો અને સંબંધોથી દૂર ભાગવું, અનિંદ્રા, વિના કારણ અનિંદ્રા બેચેની ગભરામણ, રોજિંદા કાર્યો જે પહેલા આસાનીથી થઈ શકતા એમા હવે થાક લાગવો, કામની સળ ન પડવી, નિર્ણયશક્તિનો અભાવ વર્તાય, અતાર્કિક વિચારોની શૃંખલામાંથી બહાર ન નિકળી શકવું, મરી જવાના વિચારો આવ્યા કરવા આખી દુનિયા દુશ્ર્મન લાગવી વગેરે… માનસિક અસ્વસ્થ વ્યક્તિ પોતાની સાથે તેના પરિવારનું અને આખરે સમાજની સુખકારીમાં આડખીલી રૂપ બને છે. પરિવાર સમજી નથી શકતો અને વ્યક્તિ કહી નથી શકતી કે તેને શું થાય છે. આવા સંજોગોમાં ઘરની વ્યક્તિએ આ લક્ષણોથી પીડાતી પરિવારરની વ્યક્તિને સમજવા કોશિશ કરી મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. નહિતર અંગત નુકશાન સહિત ગુનાખોરી સુધી વ્યક્તિ પહોંચી જાય છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવાની બીજી રીત સામાજિક સંવાદિતા વિકસાવવી છે. મિત્રો અને પરિવાર સાથેના સંબંધો આપણને સ્વસ્થ અને સકારાત્મક રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો આપણે બીજાને ખુશ રાખીએ તો તેઓ પણ આપણને ખુશ રાખશે. સ્વસ્થ અને સુખી લોકો હંમેશા બીજાને પ્રભાવિત કરે છે અને સમાજમાં હકારાત્મકતા ફેલાવે છે.

- Advertisement -

WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે, જેમાંથી 85 ટકા લોકો સારવાર લેતા નથી!

માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે રોગમાં પરિણમે છે જેવા કે બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે.

WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે. જેમાંથી પંચયાશી ટકા લોકો સારવાર લેતા નથી! એક લાખ વ્યક્તિએ છથી સાત મનોચિકિત્સક હોવા એ જરૂરી પરિસ્થિતિ છે જ્યારે આપણે ત્યાં ટકાવારી પ્રમાણે માત્ર 0.75 છે! જો સમયસર માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે મોટા મોટા માનસિક રોગમાં પરિણમે છે જેવા કે
બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે. એટલે જ, જો તમને તમારામાં આવા કોઈ લક્ષણો દેખાય તો એકલા ન સહન કરો. તમારા નજીકના મિત્ર સાથે આ વિષય વિશે વાત કરો કારણ કે તે મન અને હૃદય પરનો બોજ હળવો કરશે અને તમને મદદ કરશે. તે પછી ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો. જો યોગ્ય સમયે સમસ્યા શોધી કાઢવામાં આવે તો સારવાર કરી શકાય છે. સ્ત્રી અને પુરુષ ફક્ત તેમના સ્પષ્ટ શારીરિક લક્ષણોમાં જ નહીં, પણ મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ પણ અલગ છે. સ્ત્રી અને પુરુષ, મગજ જે રીતે સંરચિત કે પ્રતિબદ્ધ છે અને જે રીતે માહિતીની પ્રક્રિયા કરે છે, ઘટનાઓ અને ઉત્તેજનાઓ પર પ્રતિક્રિયા આપે છે, અર્થઘટન કરે છે તેમાં વાસ્તવિક તફાવત છે. સ્ત્રી અને પુરુષ, તેઓ જે રીતે વાતચીત કરે છે, સંબંધોમાં વ્યવહાર, તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં અને તણાવ પ્રત્યે પ્રતિક્રિયા આપવામાં અલગ પડે છે. આમ, લિંગ તફાવતો શારીરિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો પર આધારિત છે. કોને કઈ પ્રકારની અને કેવી બીમારી થાય છે એ બાબતમાં લિંગનું પરિમાણ નિર્ણાયક પરિબળ છે કે સ્ત્રીઓમાં મનોવૈજ્ઞાનિક તકલીફ અને માનસિક વિકારની પેટર્ન પુરુષોમાં જોવા મળતી વિકૃતિઓ કરતા અલગ છે. સ્ત્રીઓમાં આંતરિક વિકૃતિઓનું સરેરાશ સ્તર ઊંચું હોય છે. અસ્વસ્થતા, ડિપ્રેસિવ મૂડ, અજ્ઞાત દુખાવા, નબળાઇ અથવા શ્ર્વાસની ઉતરચડ વગેરે લક્ષણો દ્વારા વર્ગીકૃત થયેલ છે .જ્યારે પુરુષો બાહ્ય વિકૃતિઓ જેવી કે નિયમ ભંગ, આક્રમકતા, મારામારી, બેદરકારી વાળા નબળા આવેગ-નિયંત્રણ સંબંધિત સમસ્યારૂપ વર્તન દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે.

- Advertisement -

 

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

TAGGED: mindhealthy, WorldMentalHealthDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અફઘાનિસ્તાનમાં આજે સવારે ફરી ભૂકંપના આંચકા: રિકટલ સ્કેલ પર 6.1ની તીવ્રતા નોંધાઇ
Next Article પોરબંદરમાં પદયાત્રીઓને રિફલેક્ટિવ જેકેટ ટ્રાફિક શાખા દ્વારા અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?