By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    8 hours ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    12 hours ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    12 hours ago
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    1 day ago
    મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાતા વીડિયો શેર કરી કહ્યું,-“હું નિરાશાહીન અનુભવું છું’
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: હવે શૂન્ય ડ્યુટી સાથે થશે બિઝનેસ
    9 hours ago
    વાહનોનું જંગલ! મુંબઇમાં કારની સંખ્યા 15 લાખને પાર; પ્રતિ કિમી 753 મોટર
    9 hours ago
    ગિફ્ટ સિટીમાં ‘છૂટથી દારૂ પીવાની ગિફ્ટ’
    9 hours ago
    દિલ્હીમાં ટઇંઙનો બાંગ્લાદેશ હાઈ કમિશનને ઘેરાવ-વિરોધ
    9 hours ago
    કોઈ ટાવર્સની જરૂર નથી? ISRO નું બ્લુબર્ડ બ્લોક-2 મિશન મોબાઇલ કનેક્ટિવિટીને કેવી રીતે બદલી શકે છે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    12 hours ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    1 day ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    1 day ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    3 days ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    5 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!
AuthorHemadri Acharya Daveલાઇફ સ્ટાઇલ

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: દિમાગને રાખો દુરસ્ત!

Khaskhabar Editor
Last updated: 2023/10/11 at 1:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

શરીરની માફક દિમાગની કાળજી પણ જરૂરી

માનસિક બીમારી આ શબ્દ આપણાં સમાજમાં સુગાળવો છે. છેલ્લા થોડા સમયથી આ પરત્વે જાગૃતિ આવી છે છતાં આ બાબતની સમજ શહેરોને અને એ પણ અમુક વર્ગને બાદ કરતાં હજુપણ ઘણી અલ્પ હોવાથી લોકો મોટાભાગે માનસિક બીમારીને ગાંડપણ સાથે જોડી દે છે. અથવા સંપૂર્ણપણે માનસિક સ્વાસ્થ્ય ગુમાવી બેઠેલા લોકોને જ માનસિક બીમાર ગણે છે. પરંતુ વાસ્તવમાં શરીરના હોવાથી શારીરિક બીમારીઓ થાય એ જેટલું સહજ છે કે માણસ પાસે વિચારવાની શક્તિ છે એ વિચારતંત્રના હોવાના કારણે, વ્યક્તિ તેની સાથે બનતી ઘટનાઓ અને તેને મળેલા સંજોગોને મુલવવાનું દરેકનું આગવું અર્થઘટન પર્સપ્શન હોય છે. અને એમાં અવરોધ ઉભા થઈને માનસિક બીમારીઓ જન્મે છે. હર્ષ-શોક જેવી મૂળભૂત સેન્સ સાથે સાથે કયા સંજોગો કંઈ વ્યક્તિને કેટલું આહત કરશે કે તેના પર તેની શું અસર થશે એની કોઈ માપપટ્ટી નથી હોતી. માનસિક સ્વાસ્થ્યમાં આપણી ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે. તે આપણી વિચારવાની, અનુભવવાની અને કાર્ય કરવાની રીતને અસર કરે છે. તે એ નક્કી કરવામાં પણ મદદ કરે છે કે આપણે કેવી રીતે તણાવને નિરાકરણ કરીએ છીએ, અન્ય લોકો સાથે જોડાઈએ છીએ અને સ્વસ્થ પસંદગીઓ કરીએ છીએ. બાળપણ અને કિશોરાવસ્થાથી લઈને પુખ્તાવસ્થા સુધી, જીવનના દરેક તબક્કે માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. વ્યક્તિની એ મનોદશા જે સકારાત્મક, સ્થિર અને સંતુલિત હોય. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની વિભાવના સારી જીવનશૈલી તરફ દોરી જાય છે, જેમાં સ્વસ્થ સંબંધો, સ્વસ્થ સામાજિક આંતરક્રિયાઓ, યોગ્ય આહાર, ઊંઘ અને કસરતનો સમાવેશ થાય છે. સ્થિરતા, સકારાત્મકતા અને ઘનિષ્ઠ સુખ જેવા માઈન્ડસેટમાં આ પ્રાપ્ત થાય છે. કોઈપણ દેશના વિકાસ માટે તેના નાગરિકોનું માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) માનસિક સ્વાસ્થ્યને “શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે માત્ર રોગ અથવા નબળાઈની ગેરહાજરી” નથી. ડબ્લ્યુએચઓ માનસિક સ્વાસ્થ્યને માનસિક સુખાકારી તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં વ્યક્તિ તેની ક્ષમતાઓને સમજે છે, જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકે છે, યોગ્ય રીતે કાર્ય કરી શકે છે અને તેના સમુદાયમાં યોગદાન આપી શકે છે. આ સકારાત્મક અર્થમાં, માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિગત સુખાકારી અને સમુદાયની અસરકારક કામગીરીનો પાયો છે તેમ કહી શકાય. માનસિક સ્વાસ્થ્યની અસર આપણી દિનચર્યા પર સ્પષ્ટપણે જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્યની અસરને આપણે વિવિધ પરિમાણોમાં જોઈ શકીએ છીએ જેમ કે – શૈક્ષણિક કામગીરી, કાર્ય ઉત્પાદકતા, સકારાત્મક વ્યક્તિગત સંબંધોનો વિકાસ, અપરાધ દર, દારૂ અને ડ્રગનો દુરુપયોગ આત્મહત્યા દર વગેરે. વળી,માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એકંદર આરોગ્યના સમાન મહત્વપૂર્ણ ઘટકો છે. ઉદાહરણ તરીકે, ડિપ્રેશન વિવિધ પ્રકારની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે, ખાસ કરીને લાંબા ગાળાની પરિસ્થિતિઓમાં, જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્ટ્રોક. તેવી જ રીતે, દીર્ઘકાલીન પરિસ્થિતિઓની હાજરી
તીવ્ર માનસિક બીમારીનું જોખમ વધારી શકે છે. જો માનસિક વિકારના લક્ષણો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો તે વ્યક્તિને સામાન્ય બનવામાં અને સામાન્ય લોકોની જેમ જીવન જીવવામાં મદદ કરે છે અને તેના સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતાઓ પણ ઘણી વધારે છે. આવા કેટલાક મુખ્ય લક્ષણો નીચે મુજબ છે
વિના કારણ હંમેશા દુ:ખી થવું અને કોઈ પણ વસ્તુથી આનંદ મળવો, કોઈપણ બાબત પર ધ્યાન કેન્દ્રિત ન થવું, અકારણ ડર, ગુસ્સો, ચિંતા, નકારાત્મકતા, મૂડ સ્વિંગ, દોસ્તો અને સંબંધોથી દૂર ભાગવું, અનિંદ્રા, વિના કારણ અનિંદ્રા બેચેની ગભરામણ, રોજિંદા કાર્યો જે પહેલા આસાનીથી થઈ શકતા એમા હવે થાક લાગવો, કામની સળ ન પડવી, નિર્ણયશક્તિનો અભાવ વર્તાય, અતાર્કિક વિચારોની શૃંખલામાંથી બહાર ન નિકળી શકવું, મરી જવાના વિચારો આવ્યા કરવા આખી દુનિયા દુશ્ર્મન લાગવી વગેરે… માનસિક અસ્વસ્થ વ્યક્તિ પોતાની સાથે તેના પરિવારનું અને આખરે સમાજની સુખકારીમાં આડખીલી રૂપ બને છે. પરિવાર સમજી નથી શકતો અને વ્યક્તિ કહી નથી શકતી કે તેને શું થાય છે. આવા સંજોગોમાં ઘરની વ્યક્તિએ આ લક્ષણોથી પીડાતી પરિવારરની વ્યક્તિને સમજવા કોશિશ કરી મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. નહિતર અંગત નુકશાન સહિત ગુનાખોરી સુધી વ્યક્તિ પહોંચી જાય છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવાની બીજી રીત સામાજિક સંવાદિતા વિકસાવવી છે. મિત્રો અને પરિવાર સાથેના સંબંધો આપણને સ્વસ્થ અને સકારાત્મક રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો આપણે બીજાને ખુશ રાખીએ તો તેઓ પણ આપણને ખુશ રાખશે. સ્વસ્થ અને સુખી લોકો હંમેશા બીજાને પ્રભાવિત કરે છે અને સમાજમાં હકારાત્મકતા ફેલાવે છે.

- Advertisement -

WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે, જેમાંથી 85 ટકા લોકો સારવાર લેતા નથી!

માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે રોગમાં પરિણમે છે જેવા કે બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે.

WHOના અનુમાન મુજબ ભારતમાં લગભગ 10 ટકા લોકો માનસિક બીમાર છે. જેમાંથી પંચયાશી ટકા લોકો સારવાર લેતા નથી! એક લાખ વ્યક્તિએ છથી સાત મનોચિકિત્સક હોવા એ જરૂરી પરિસ્થિતિ છે જ્યારે આપણે ત્યાં ટકાવારી પ્રમાણે માત્ર 0.75 છે! જો સમયસર માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તે મોટા મોટા માનસિક રોગમાં પરિણમે છે જેવા કે
બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા, પાર્કિંસન્સ, ડિસ્લેક્સીયા એડીએચડી, સીવીયર ડિપ્રેશન,ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (ઘઈઉ),પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ફોબિયા, અલઝાઈમર વગેરે. એટલે જ, જો તમને તમારામાં આવા કોઈ લક્ષણો દેખાય તો એકલા ન સહન કરો. તમારા નજીકના મિત્ર સાથે આ વિષય વિશે વાત કરો કારણ કે તે મન અને હૃદય પરનો બોજ હળવો કરશે અને તમને મદદ કરશે. તે પછી ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો. જો યોગ્ય સમયે સમસ્યા શોધી કાઢવામાં આવે તો સારવાર કરી શકાય છે. સ્ત્રી અને પુરુષ ફક્ત તેમના સ્પષ્ટ શારીરિક લક્ષણોમાં જ નહીં, પણ મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ પણ અલગ છે. સ્ત્રી અને પુરુષ, મગજ જે રીતે સંરચિત કે પ્રતિબદ્ધ છે અને જે રીતે માહિતીની પ્રક્રિયા કરે છે, ઘટનાઓ અને ઉત્તેજનાઓ પર પ્રતિક્રિયા આપે છે, અર્થઘટન કરે છે તેમાં વાસ્તવિક તફાવત છે. સ્ત્રી અને પુરુષ, તેઓ જે રીતે વાતચીત કરે છે, સંબંધોમાં વ્યવહાર, તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં અને તણાવ પ્રત્યે પ્રતિક્રિયા આપવામાં અલગ પડે છે. આમ, લિંગ તફાવતો શારીરિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો પર આધારિત છે. કોને કઈ પ્રકારની અને કેવી બીમારી થાય છે એ બાબતમાં લિંગનું પરિમાણ નિર્ણાયક પરિબળ છે કે સ્ત્રીઓમાં મનોવૈજ્ઞાનિક તકલીફ અને માનસિક વિકારની પેટર્ન પુરુષોમાં જોવા મળતી વિકૃતિઓ કરતા અલગ છે. સ્ત્રીઓમાં આંતરિક વિકૃતિઓનું સરેરાશ સ્તર ઊંચું હોય છે. અસ્વસ્થતા, ડિપ્રેસિવ મૂડ, અજ્ઞાત દુખાવા, નબળાઇ અથવા શ્ર્વાસની ઉતરચડ વગેરે લક્ષણો દ્વારા વર્ગીકૃત થયેલ છે .જ્યારે પુરુષો બાહ્ય વિકૃતિઓ જેવી કે નિયમ ભંગ, આક્રમકતા, મારામારી, બેદરકારી વાળા નબળા આવેગ-નિયંત્રણ સંબંધિત સમસ્યારૂપ વર્તન દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે.

- Advertisement -

 

You Might Also Like

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

TAGGED: mindhealthy, WorldMentalHealthDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અફઘાનિસ્તાનમાં આજે સવારે ફરી ભૂકંપના આંચકા: રિકટલ સ્કેલ પર 6.1ની તીવ્રતા નોંધાઇ
Next Article પોરબંદરમાં પદયાત્રીઓને રિફલેક્ટિવ જેકેટ ટ્રાફિક શાખા દ્વારા અપાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં સાયબર ક્રાઈમ: જોખમ, જાગૃતિ અને જાળવણી વિષય પર વ્યાખ્યાન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
જૂનાગઢથી જામવાળા સુધીની 100 કિલોમીટરની સાયકલ રેલીમાં 750 યુવાનોએ ભાગ લીધો
જૂનાગઢ ખાતે ડુંગરાળ વિસ્તાર અને ખડક ચઢાણ શિબિર સંપન્ન, શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત
જૂનાગઢમાં ઘોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો 80 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
સાઇબર ફ્રોડના તાર દુબઈ સુધી જોડાયેલા, દુબઇથી ઈરફાન જાદુગર સંચાલન કરતો’તો
સુરેન્દ્રનગરમાં ઉચ્ચ એજન્સીના દરોડા: જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને તપાસ શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?