By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    1 hour ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    1 hour ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    41 minutes ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor
Last updated: 2026/06/18 at 3:04 PM
Khaskhabar Editor 29 minutes ago
Share
6 Min Read
SHARE

પોન્ઝી સ્કીમના ભેજાંબાજો જેટલાં જ લુચ્ચા છે ઈન્વેસ્ટર્સ

આવા રોકાણકારો મહિનાઓ કે વર્ષો સુધી તગડું વ્યાજ ખાય છે અને હરામની આવક બંધ થાય ત્યારે વિક્ટિમ કાર્ડ ખેલે છે

- Advertisement -

આજના સમયમાં દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ પૈસા કમાઈ લેવા માંગે છે. આ વધુ પૈસા કમાઈ લેવાની મહત્વકાંક્ષા જ મોટા નાણાકીય કૌભાંડને જન્મ આપે છે. જ્યારે પણ કોઈ પોન્ઝી સ્કીમ, ચિટફંડ કૌભાંડ કે ઊંચા વ્યાજની લાલચ આપતી રોકાણ યોજનાનો ભાંડો ફૂટે છે ત્યારે સામાન્ય રીતે સમગ્ર દોષનો ટોપલો છેતરપિંડી કરનારી પેઢી અને પૈસા ઉઘરાવનારાઓ પર જ ઢોળવામાં આવે છે. નિ:સંદેહ આવા લોકો કાયદાકીય રીતે ગુનેગાર છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે, શું આવા કૌભાંડોમાં પૈસા રોકનારાઓ સંપૂર્ણપણે નિર્દોષ હોય છે? શું આપણે એ ક્યારેય વિચાર્યું છે કે આ કૌભાંડો એટલા મોટા કદના કેમ બને છે? જવાબ છે: લોકોનો અતિશય લોભ. શું ઊંચા વ્યાજની લાલચે અંધ બનીને પોતાની મૂડી આવી સ્કીમોમાં રોકનાર લોકો પણ આ ગુનામાં સરખા ભાગીદાર નથી?
ભારતમાં બેંકો, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ, સરકારી બોન્ડ અને અન્ય કાયદેસર નાણાકીય સાધનો ઉપલબ્ધ છે. દરેક જગ્યાએ રોકાણ પર મળતું વળતર એક ચોક્કસ મર્યાદામાં હોય છે. જો કોઈ વ્યક્તિને બેંકમાં 6થી 8 ટકા વ્યાજ મળે છે અને કોઈ બીજી યોજના તેને દર મહિને 10 ટકા કે વર્ષનું 40-50 ટકા વળતર આપવાનું વચન આપે છે તો સામાન્ય સમજ ધરાવતી વ્યક્તિએ તરત જ સાવધાન થઈ જવું જોઈએ. અર્થશાસ્ત્રના મૂળભૂત નિયમો પ્રમાણે આવું વળતર લાંબા ગાળે શક્ય જ નથી.
ઊંચા વળતળની લાલચે હજારો લોકો કોઈ તપાસ કર્યા કે વિચાર્યા વિના ખાનગી યોજનાઓમાં પૈસા મૂકે છે. તેનું કારણ અજ્ઞાનતા કરતાં વધુ લાલચ હોય છે. ઘણા રોકાણકારો જાણતા હોય છે કે યોજના શંકાસ્પદ છે, છતાં તેઓ એવું માને છે કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કમાણી કરી લઈએ. કેટલાક લોકો તો પોતાના સગાં-સંબંધીઓ અને મિત્રોને પણ તેમાં જોડે છે જેથી તેમને વધુ કમિશન અથવા નફો મળે. આવી સ્થિતિમાં તેઓ માત્ર રોકાણકાર નહીં, પરંતુ સમગ્ર ગેરવ્યવસ્થાના પ્રચારક બની જાય છે.
પોન્ઝી સ્કીમનું મૂળ તત્વ જ એ છે કે જૂના રોકાણકારોને નવા રોકાણકારોના પૈસામાંથી નફો ચૂકવવામાં આવે છે. એટલે શરૂઆતમાં જોડાયેલા લોકોને મળતો નફો વાસ્તવમાં પાછળથી જોડાયેલા લોકોના નુકસાનમાંથી આવે છે. જે વ્યક્તિ ઊંચા વળતરની આશાએ તેમાં જોડાય છે તે જાણે-અજાણે એવી પ્રણાલીને મજબૂત બનાવે છે જે અંતે અનેક લોકોને આર્થિક નુકસાન પહોંચાડવાની છે.
પોલીસ, રિઝર્વ બેંક, સેબી અને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા વારંવાર લોકોને ચેતવણી આપવામાં આવે છે કે અસામાન્ય વળતર આપતી યોજનાઓથી દૂર રહો. અખબારો, ટીવી અને સોશિયલ મીડિયા પર પણ સતત જાગૃતિ અભિયાન ચાલે છે. છતાં લોકો આવી યોજનાઓમાં કરોડો રૂપિયા રોકે છે. પછી જ્યારે યોજના તૂટી પડે છે ત્યારે તેઓ પોલીસ સ્ટેશન, કોર્ટ અને સરકારી કચેરીઓના ચક્કર કાપે છે.
કાયદાની દ્રષ્ટિએ છેતરપિંડીનો મુખ્ય ગુનો નાણાકીય યોજનાના સંચાલકોનો જ છે. પરંતુ સામાજિક દ્રષ્ટિએ રોકાણકારોની જવાબદારીને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. જો લોકો અસંભવિત નફાની લાલચ રાખવાનું બંધ કરે તો આવી મોટાભાગની યોજનાઓ શરૂ જ ન થઈ શકે. છેતરનારાઓ ત્યાં જ સફળ થાય છે જ્યાં લાલચ ધરાવતા લોકો ઉપલબ્ધ હોય.
આ બાબતને એક અન્ય દ્રષ્ટાંતથી સમજીએ. જો કોઈ વ્યક્તિ જાણે છે કે કોઈ માલ ચોરીનો હોઈ શકે છે છતાં સસ્તામાં ખરીદી લે છે તો કાયદો તેને પણ નિર્દોષ માનતો નથી. કારણ કે તેની ખરીદી ચોરીના વ્યવસાયને પ્રોત્સાહન આપે છે. તેવી જ રીતે ગેરવાજબી નફાની આશાએ કરવામાં આવેલું રોકાણ પણ ઘણી વખત ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓને બળ આપે છે.
જે લોકો સ્પષ્ટપણે ગેરવાજબી નફાની લાલચમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે, તેમના માટે કાયદાકીય જવાબદારી નક્કી કરવાની જરૂર છે. ઓછામાં ઓછું તેઓ દ્વારા મેળવવામાં આવેલો ગેરવાજબી નફો પરત લેવો, અન્ય લોકોને જોડવા બદલ જવાબદાર ઠેરવવા અથવા દંડની જોગવાઈ અંગે વિચારણા થઈ શકે.
સમાજમાં છેતરપિંડી માત્ર છેતરનારાઓના કારણે જ નહીં, પરંતુ ઝડપી અને સહેલી કમાણી કરવાની માનસિકતાના કારણે પણ ફેલાય છે. જ્યાં સુધી લોકો ઓછા સમયમાં બમણા પૈસા જેવી વાતોમાં વિશ્વાસ રાખશે, ત્યાં સુધી નવા-નવા ઠગો જન્મતા રહેશે. આ આર્થિક કૌભાંડ રોકવા માત્ર એક મની સ્કીમના નામે છેતરપિંડી કરનારા વિરુદ્ધ જ નહીં, ઊંચા વળતળની લાલચે રોકાણ કરનારા પર પણ કાર્યવાહી થવી જોઈએ.

પોલીસની ચેતવણી અને લોકોની બેદરકારી
પોલીસ અને નાણાકીય નિયમનકારી સંસ્થાઓ વારંવાર જાહેરાતો, અખબારો અને સોશિયલ મીડિયા દ્વારા ચેતવણી આપે છે કે અજાણી કે બિનઅધિકૃત સ્કીમોમાં પૈસા રોકશો નહીં. તેમ છતાં લોકો પોલીસની ચેતવણીને અવગણીને આવી લાલચમાં ફસાય છે. જ્યારે પૈસા ડૂબી જાય, ત્યારે પોલીસ સ્ટેશનમાં દોડી જઈને ફરિયાદ નોંધાવે છે. અહીં પોલીસની કામગીરીનું ભારણ અનેકગણું વધી જાય છે. જે પોલીસ સ્ટાફ ગુનાખોરી ડામવા કે અન્ય મહત્વના કામોમાં રોકાયેલો હોવો જોઈએ, તેને માત્ર લોકોના ’લોભ’ને કારણે સર્જાયેલા કૌભાંડો ઉકેલવામાં સમય અને શક્તિ ખર્ચવી પડે છે. શું આ વાજબી છે? પોલીસની ચેતવણીને ગંભીરતાથી ન લેવી એ પોતે જ એક પ્રકારની નાગરિક બેજવાબદારી છે.

રોકાણકારો વિરુદ્ધ કેમ કાર્યવાહી થવી જોઈએ?
જે લોકો વારંવાર ચેતવણીઓ છતાં કોઈ કાયદેસર દસ્તાવેજ વિના, કોઈ નિયમનકારી મંજૂરી વિના અને અસામાન્ય નફાની આશાએ મોટી રકમો રોકે છે તો તેમની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. કાયદો માત્ર ગુનો કરનારને જ નહીં, પણ ગુનાને પ્રોત્સાહન આપનારને પણ જવાબદાર ઠેરવી શકે છે. ઘણી સ્કીમોમાં એવું જોવા મળે છે કે રોકાણકારો શરૂઆતમાં જાણતા હોવા છતાં અન્ય લોકોને જોડે છે જેથી તેમને કમિશન મળે. આવા લોકો માત્ર પીડિત નથી, તેઓ તો કૌભાંડના પ્રસારક છે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જ જોઈએ.

- Advertisement -

You Might Also Like

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
Next Article 48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?