By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વનાં ઉદ્ભવ બાદ સામયિકોના પ્રમાણમાં અખબારોનો વિકાસ અમદાવાદમાં મંદ રહ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > પત્રકારત્વનાં ઉદ્ભવ બાદ સામયિકોના પ્રમાણમાં અખબારોનો વિકાસ અમદાવાદમાં મંદ રહ્યો
AuthorBhavy Raval

પત્રકારત્વનાં ઉદ્ભવ બાદ સામયિકોના પ્રમાણમાં અખબારોનો વિકાસ અમદાવાદમાં મંદ રહ્યો

Khaskhabar Editor
Last updated: 2022/12/31 at 4:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

અમદાવાદમાં પત્રકારત્વની શરૂઆતનાં પત્રો

અમદાવાદમાં પહેલું મુદ્રણાલય, પહેલું માસિક અને પહેલું વર્તમાનપત્ર શરૂ કરનાર હતી, વર્નાક્યુલર સોસાયટી

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વના ઉદભવ બાદ અમદાવાદમાં અખબારો અને સામયિકોની શરૂઆત મોડી થવા પામી હતી. ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં અમદાવાદ મુખ્યત્વે સામયિકોનું કેન્દ્ર રહ્યું હતું. અહીં અખબારોનો વિકાસ મંદ રહ્યો હતો. જો ગુજરાતી પત્રકારત્વના પ્રથમ સદીના ઈતિહાસનો અભ્યાસ કરીએ તો અમદાવાદમાંથી સામયિકોની તુલનાએ અખબારો બહું જ ઓછા બહાર પડતા હતા. આજે ભલે અમદાવાદ ગુજરાતી પત્રકારત્વમાં પ્રમુખસ્થાન ધરાવતું હોય, ગુજરાતી મીડિયાનું મુખ્યકેન્દ્ર બની ગયું હોય પરંતુ આજથી દોઢ સદી અગાઉ અમદાવાદ હજુ પત્રકારત્વના ક્ષેત્રમાં પાપાપગલી કરતું હતું. ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના તબક્કામાં અહીંથી કોઈ મોટા – માતબાર અખબારો – સામયિકો પ્રગટ થતા ન હતા. હા, અમદાવાદ સાહિત્ય વિષયક સામયિકના પ્રકાશનમાં ચોક્કસથી અગ્રેસર રહેતું આવ્યું છે.
અમદાવાદમાં પહેલું મુદ્રણાલય, પહેલું માસિક અને પહેલું વર્તમાનપત્ર શરૂ કરનાર વર્નાક્યુલર સોસાયટી હતી. 1849માં અહીંથી પ્રથમ પત્ર અમદાવાદ વર્તમાનપત્ર પ્રસિદ્ધ થવાનું શરૂ થયું હતું. અમદાવાદ સોસાયટી વતી અમરેશ્ર્વર કુબેરદાસ દ્વારા આ પત્ર દર બુધવારે પ્રગટ થતું હોવાથી બુધવારીયું કહેવાતું હતું. અમદવાદ વર્તમાનપત્રનું વાર્ષિક લવાજમ છ રૂપિયા હતું અને તેની 125 નકલ બહાર પડતી હતી. અમદાવાદ વર્તમાનપત્ર બાદ બીજું એક પત્ર મોહનલાલ ઘેલશાનું ખબરદર્પણ હતું. ખબરદર્પણ એ સામયિક હતું જે મંગળવાર અને શનિવાર એમ અઠવાડિયામાં બે વાર પ્રસિદ્ધ થતું હતું. 1854માં લલ્લુભાઈએ શમશેર બહાદુર બહાર પાડ્યું હતું. અમદાવાદમાં જ 1860થી લલ્લુ સૂરચંદનું અઠવાડિક પત્ર અમદાવાદ સમાચાર અને 1863થી સરૂપચંદ દલીચંદનું પત્ર પ્રજાભિલાષ શરૂ થયું હતું, તેનું વાર્ષિક લવાજમ પાંચ રૂપિયા હતું. ગુજરાતી પત્રકારત્વના ઉદભવ બાદ અમદાવાદમાંથી પ્રારંભ થયેલા આ પત્રો અલ્પજીવી હતા, તેની ખાસ ગણના થઈ નથી. અમદાવાદમાંથી 1854માં શરૂ થયેલું બુદ્ધિપ્રકાશ સામયિક ગુજરાતી પત્રકારત્વમાં નોંધપાત્ર રહ્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી – ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર એટલે બુદ્ધિપ્રકાશ. 1850માં બુદ્ધિપ્રકાશ નામના એક મંડળે બુદ્ધિપ્રકાશ નામથી જ એક ચોપાનિયું બહાર પાડ્યું હતું. એ 16 પાનાંનું પાક્ષિક હતું, તેની કિંમત દોઢ આનો હતી અને તે લિથોમાં છપાતું હતું. આ બુદ્ધિપ્રકાશ લાંબુ ન ચાલ્યું અને બંધ પડ્યું, ત્યારબાદ સોસાયટીના સહારે 1854માં વિદ્યાભ્યાસક મંડળે તે પ્રસિદ્ધ કર્યું. બુદ્ધિપ્રકાશ પાક્ષિકમાંથી માસિક બન્યું. આ માસિકનું વાર્ષિક લવાજમ આગોતરા ગ્રાહકો માટે પોણો રૂપિયો હતું અને પાછળથી ગ્રાહક થાય તેને માટે દોઢ રૂપિયો હતું. બુદ્ધિપ્રકાશ માસિક નિયમિત રીતે ચલાવવાની જવાબદારી મંડળને ભારે પડવા માંડી એટલે ખુદ સોસાયટીએ જ તે માસિક પોતાને હસ્તક લીધું અને તેનું સંપાદનકાર્ય તે વખતના સોસાયટીના સહાયક મંત્રી હરિલાલ મોહનલાલને સોંપ્યું,

હરિલાલ મોહનલાલ બાદ મગનલાલ વખતચંદે તેનું તંત્રીપદ સંભાળ્યું અને અંતે 1855માં દલપતરામે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ સંભાળી લીધું હતું.

1862માં મહિપતરામ રૂપરામ નિલકંઠે શિક્ષણને લગતું સરકારી સામયિક ગુજરાત શાળાપત્ર અમદાવાદ વર્નાક્યુલર કોલેજમાંથી પ્રકાશિત કર્યું હતું

- Advertisement -

વર્તમાન સમયમાં ગુજરાતી પત્રકારત્વની કલ્પના
અમદાવાદનાં પત્રકારત્વ વિના કરવી અશક્ય છે, સૌરાષ્ટ્રના પત્રકારત્વ બાદ અમદાવાદનું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા ઘડી રહ્યું છે

હરિલાલ મોહનલાલ બાદ મગનલાલ વખતચંદે તેનું તંત્રીપદ સંભાળ્યું અને અંતે 1855માં દલપતરામે બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ સંભાળી લીધું હતું.

1862માં મહિપતરામ રૂપરામ નીલકંઠે શિક્ષણને લગતું સરકારી સામયિક ગુજરાત શાળાપત્ર અમદાવાદ વર્નાક્યુલર કોલેજમાંથી પ્રકાશિત કર્યું હતું. શિક્ષણ અને કેળવણીના પ્રશ્નોની ચર્ચા કરવા, શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો વિકસાવવા, શિક્ષણક્ષેત્રે થતાં સંશોધનો અને નવા પ્રયોગોની શિક્ષકોને જાણકારી આપવા માટે મુંબઈ સરકારના શિક્ષણખાતા દ્વારા ગુજરાત શાળાપત્ર સામયિકનો પ્રારંભ થયો હતો. ડેમી કદના આ પત્રના મુખપૃષ્ઠ પર શિક્ષકની ફરજ સમજાવતો નવલરામે લખેલો દોહરો છપાતો તેમજ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સામયિકનું નામ અને અનુક્રમ છપાતાં હતા. 1870માં આ પત્રનું તંત્રીપદ કેળવણી ખાતાએ નવલરામને સોંપ્યું હતું. 30 રૂપિયાનું વાર્ષિક મહેનતાણું લઈને તંત્રીપદ સંભાળનાર નવલરામ ગુજરાત શાળાપત્રનો ઘણીવાર આખોય અંક લખી નાખતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓને લગતા સંખ્યાબંધ લેખો ગુજરાત શાળાપત્રમાં પ્રગટ થયેલા હતા. ગુજરાત શાળાપત્ર મૂળ તો 1862માં અમદાવાદમાંથી શરૂ થયેલું હતું. 1876માં નવલરામ રાજકોટ આવ્યા અને 1888માં તેમનું અવસાન થયું ત્યાં સુધી ગુજરાત શાળાપત્ર રાજકોટથી બહાર પડતું રહ્યું હતું.
અમદાવાદથી 1871માં માસિકમિત્ર નામનું માસિક પ્રગટ થવાનું શરૂ થયું હતું. નામ મુજબ આ પત્ર માસિક હતું અને તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું હતું. માસિકમિત્ર મેળવવા માટે બહારગામના વાંચકોને 12 આના ટપાલ ખર્ચ વધુ ચૂકવવો પડતો હતો. કાયદા, કેળવણી અને સાધારણ સરકારી ઠરાવ સંબંધિત માહિતીઓ ફેલાવવાના હેતુસર માસિકમિત્ર બહાર પાડવામાં આવતું હતું. એ જ રીતે ખેતી વિષયક માહિતીના ફેલાવા માટે 1879માં ખેડા ખેતીવાડી પત્ર નામનું ચોપનીયું અમદાવાદથી પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. ખેડા ખેતીવાડી પત્રમાં ખેડૂત અને ખેતી વિષયક લેખો છપાતા હતા, આ પત્ર અમદાવાદ અને આસપાસના ગામના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી બની રહ્યું હતું. તો અમદાવાદથી જ 1902માં આનંદશંકર ધ્રુવે સાહિત્યિક સામયિક વસંત શરૂ કર્યું હતું. વસંતનો ઉદ્દેશ ગુજરાતી વાંચકોમાં સાહિત્ય અને ભાષાની જાણકારીને મજબૂત બનાવવાનો હતો. ગુજરાતી સાહિત્યિક સામયિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા વસંતે ગુજરાતી ગદ્યના વિકાસમાં નોંધપાત્ર નામના મેળવી હતી. વસંતમાં વિજ્ઞાન વિષયક લેખો પ્રકાશિત કરવામાં આવતા હતા. કેટલાંક વર્ષો બરાબર ચાલ્યા બાદ વસંતનું પ્રકાશન અનિયમિત થઈ ગયું હોવાથી 1936માં એ ત્રૈમાસિક બન્યું અને 1939માં એનું પ્રકાશન બંધ થઈ ગયું હતું.
રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે 1904માં સુંદરી સુબોધ માસિક શરૂ થયેલું હતું. આ સામયિક અમદાવાદના બંધુસમાજનું મુખપત્ર હતું. સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવાના લક્ષ્યાંકથી બંધુસમાજે સુંદરી સુબોધ શરૂ કર્યું હતું. સુંદરી સુબોધનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા અને આઠ પૈસા હતું. સુંદરી સુબોધ સામયિકના પ્રથમ પૃષ્ઠ ઉપર સ્ત્રી ઉન્નતિ માટેના સાહસિક ગોવર્ધન ત્રિપાઠીના વિચારો ઘણા વર્ષો સુધી પ્રસિદ્ધ થતા રહ્યા હતા. સુંદરી સુબોધમાં સ્ત્રીઓને અનુકૂળ આનંદદાયક, સદબોધક વાચનસામગ્રી પ્રકાશિત કરવામાં આવતી હતી. આ સામયિકની વિશિષ્ટ વાત એ હતી કે, તેમાં સ્ત્રીઓને લેખ, કાવ્ય અને અનુભવ લખી મોકલવાની અપીલ કરવામાં આવતી હતી. આ સાથે જ જુદીજુદી લેખન સ્પર્ધા દ્વારા સ્ત્રીઓને લખવા માટે પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. મહિલા વાંચકો પણ સુંદરી સુબોધમાં પોતાના લખાણ મોકલતી હતી, અનેક સ્ત્રીઓનાં લખાણો આ સામયિકમાં આવતા હતા. 1907માં બ્રહ્મક્ષત્રિય ત્રિમાસિક પત્ર, 1909માં બુદ્ધિપ્રભા સામયિક, 1913માં ભાગ્યોદય માસિક, 1915માં ધર્મપ્રકાશ સામયિક, 1919માં ડાહ્યાભાઈ મનોરદાસ પટેલનું સેવક સામયિક અમદાવાદમાંથી બહાર પડતા હતા. આ સિવાય આજે સો વર્ષનો પ્રકાશનકાળ વટાવી ચૂકેલું નવચેતન સામયિક પણ 1922માં અમદાવાદમાંથી જ બહાર પડવાનું શરૂ થયું હતું. ભારતના મેન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલાં અને સાબરમતીના કિનારે આવેલાં અમદાવાદ શહેરની ભૂમિએ ઘણા પત્રકારો – લેખકોને જન્મ આપ્યો છે તો બધા લેખકો – પત્રકારોને ઘડવામાં પણ સારો એવો ભાગ ભજવ્યો છે. વર્તમાન સમયમાં ગુજરાતી પત્રકારત્વની કલ્પના અમદાવાદના પત્રકારત્વ વિના કરવી અશક્ય છે, સૌરાષ્ટ્રના પત્રકારત્વ બાદ અમદાવાદનું પત્રકારત્વ ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા ઘડી રહ્યું છે.
વધારો : ગુજરાતી પત્રકારત્વની પ્રથમ સદીમાં અમદાવાદમાં અખબારોનો વિકાસ મંદ રહ્યો હોવા પાછળનું એક કારણ એ પણ છે કે, અહીં મુંબઈ અને સૌરાષ્ટ્રમાંથી પત્રો આવતા હતા. અહીંની આબોહવામાં પણ સમાચાર કરતા સાહિત્ય વધુ ફેલાયેલું હતું. વેપાર અને વાણિજ્યના આ શહેરમાં વેપારીઓ – ઉદ્યોગપતિઓને કાગળ કરતા કાપડના ધંધામાં વધુ રસ રહ્યો હતો. શિક્ષિત અને સમૃદ્ધ અમદાવાદીઓનો અખબારો કરતા સામયિકો પ્રત્યે ઝોક વધુ રહેતો આવ્યો છે. સમયની સાથે અમદાવાદના પત્રકારત્વમાં સાહિત્ય ભળ્યું એટલે આઝાદીકાળ આસપાસ અહીંથી નવા બહાર પડવાના શરૂ થયેલા અખબારો સચવાઈ ગયા અને સમગ્ર રાજ્યમાં સ્વીકૃત બન્યા. હવે મોટા ગજાના દર બીજા-ત્રીજા બિઝનેસમેન અમદાવાદના મીડિયામાં ઝંપલાવી રહ્યા છે. અત્યારે અમદાવાદ ગુજરાતી પત્રકારત્વમાં અવ્વલ દરજ્જો ધરાવતા અખબારો, સામયિકો, રેડિયો અને ન્યૂઝ ચેનલ્સનું હબ બની ચૂક્યું છે. એક સમયે જે અમદાવાદમાંથી કોઈ ખાસ અખબાર બહાર પડતું નહતું તે અમદાવાદમાં આજે દરેક આમ ઔર ખાસ અખબારથી લઈ સામયિકો, રેડિયો અને ન્યૂઝ ચેનલ્સનું કાર્યાલય આવેલું છે.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

TAGGED: JOURNALISM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોટા બનવા માટે દિલ પણ મોટું જોઈએ
Next Article મવડીમાં મિત ઉર્ફે ભાજીનો આતંક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?