વધતું જતું તાપમાન ભવિષ્યમાં એક લાખની વસ્તીએ 23 લોકોનો ભોગ લઈ શકે છે: યુએનડીપીના કલાઈમેટ ઈમ્પેકટ લેબનો રિપોર્ટ
સદીના અંત સુધીમાં ભારતનું વાર્ષિક તાપમાન ત્રણ ડીગ્રી સુધી વધી શકે છે. દિલ્હીમાં આ વધારો 3.5 ડિગ્રી થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) અને જલવાયુ પરિવર્તનનું આકલન કરી રહેલ શોધ સંસ્થાન કલાઈમેટ ઈમ્પેકટ લેબના જાહેર થયેલ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર, ભારતમાં હાલમાં સરેરાશ વાર્ષિક તાપમાન 26.3 ડીગ્રી છે, જે આ સદીના અંત સુધીમાં ત્રણ ડિગ્રી વધીને 29.3 ડિગ્રીએ પહોંચી જશે. વધતા તાપમાનના કારણે દેશમાં સદીના અંત સુધીમાં સરેરાશ 181 દિવસ તાપમાન 35 ડીગ્રીથી વધુ રહેશે.
વધતા તાપમાનની શું અસર પડશે?: તાપમાન વધવાથી દેશમાં દર લાખની વસ્તીએ મૃત્યુ દરમાં 23 ટકાનો વધારો થશે એનો અર્થ એ થયો કે દર એક લાખની વસ્તીએ