શહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ
કાલથી જૈનોના પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ રહ્યો છે. દેરાસરો-ઉપાશ્રયોમાં મહાપર્વને વધાવવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનો મહાપર્વ છે ત્યારે જૈન લોકોના પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને આવતીકાલથી તા. 31 ઓગસ્ટ સુધી શહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ રાખવા મનપા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
જૈન લોકોનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ-મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સંબંધકર્તા તમામે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.