દરરોજ અંદાજે 40 કિમી જેટલું અંતર કાપ્યું : 14 દિવસની પદયાત્રા
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દેશ વિદેશથી શિવભક્તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ઉમટી પડે છે ત્યારે ઘણા પ્રકારની શિવભક્તિ કરતા ભકતો જોવા મળે છે. તેવી જ અનેરી શિવભક્તિ 2 ભક્તોમાં જોવા મળી હતી. બનાસકાંઠાના ડીસાથી 14 દિવસની પદયાત્રા કરી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા અને સોમનાથ મંદિરના સ્વાગત કક્ષ ખાતે ટ્રસ્ટના સિક્યોરિટીના વડા ઉમેદસિંહ જાડેજા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
બનાસકાંઠાના ડીસાના રહેવાસી શિવશંકર ભોળાશંકર જોશી અને સુરેશભાઈ જોશી 5 ઓગસ્ટનાં ડીસાથી પગપાળા નીકળ્યા હતા અને 14 દિવસે 19 ઓગસ્ટના રોજ સોમનાથ મંદિરે પહોંચ્યા હતા.જ્યાં તેઓએ દશાંગ હોમવિધીમાં ભાગ લીધો હતો.