દિલ્હીના શાહીનબાગમાં ગેરકાયદેસર ચાલી રહેલી કાર્યવાહી પર સુપ્રિમ કોર્ટએ પ્રશ્ન કર્યો છે કે જયારે આ કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી હતી, તેમ છતાં બુલડોઝર કેમ પહોંચ્યુ?
સાઉથ એમસીડીની ટીમને લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો. લોકોના વિરોધને જોતા સીઆરપીએફની એક કંપની દિલ્હી પોલીસની સાથે લો એન્ડ ઓર્ડર માટે લગાવવામાં આવી હતી. સીઆરપીએફના પણ 100 સૈનિકોને સુરક્ષા માટે ખડે પગે લગાવવામાં આવ્યા છે.
- Advertisement -
દિલ્હીના શાહિનબાગમાં ગેરકાયદેસર બાંધકામ અને જપ્ત કરેલી જમીનની સામે નગર નિગમ દ્વારા તેના પર બુલડોઝર ફેરવવાનો એકશન પ્લાન ચાલી રહ્યો છે. દક્ષિણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં નગર નિગમ દ્વારા પહેલા સ્ટેજની કાર્યવાહી 4 મેથી 13 મે સુધી ચાલુ રહેશે.
સાઉથ એમસીડીના દબાણ હટાવો અભિયાન હેઠળ પહેલા દિવસે એમબી રોડ અને કરણી સિંહ શુટીંગ રેંજવાળા વિસ્તારમાં બુલડોઝર ચલાવ્યુ હતુ. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ DCPના લખેલા પત્રોમાં કહેવામાં આવ્યુ છે કે 9 મેના રોજ શાહીન બાગ વિસ્તારમાં બુલડોઝર ચાલશે. નિગમના આ વિસ્તાર માટે પોલીસએ સુરક્ષાદળની માંગણી કરી છે.
શાહીન બાગ જી બ્લોકથી જસોલા અને જસોલા નાળાથી કાલિંદી કુંજ પાર્ક સુધી ગેરકાયદેસર દબાણ સામે પહેલેથી જ એકશન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને બાદમાં દબાણને હટાવવામાં આવ્યું.
- Advertisement -
Locals protest anti-encroachment drive in Delhi's Shaheen Bagh
Read @ANI Story | https://t.co/7jVDeuRfEW#shaheenbagh #AntiEncroachmentDrive #Delhi pic.twitter.com/zj9lz1a20J
— ANI Digital (@ani_digital) May 9, 2022
આ વચ્ચે દક્ષિણ દિલ્હીમાં શાહીનબાગમાં ગેરકાયદેસર નિર્માણ પર બાંધવામાં આવેલા ઘરને હટાવવાના આદેશ સામે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી એટલે કે સીપીએમએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રશાસન આ ગેરકાયદેસર બાંધવામાં આવેલા ઘરોને તોડવાની તૈયારી કરી લીધી છે અને આવતા અઠવાડિયે આ નિર્ણયનો અમલ પણ કરવામાં આવશે. અરજીમાં વધુમાં જણાવ્યુ કે, આ અઠવાડિયની 4 મેના રોજ સંગમ વિહારમાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યુ. આજ રોજ ઓખલા શાહીન બાગમાં પણ આવું કરવાનું જાહેર કરવામાં આવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે શાહીન બાગ એસડીએમસીના અધિકૃત ક્ષેત્રમાં આવે છે અને આ વિસ્તારમાં ડિસેમ્બર 2019માં સંશોધિત નાગરિકતા કાનૂનના વિરોધમાં લાંબા સમય સુધી પ્રદર્શન અને વિરોધ ચાલ્યો હતો. આ ધરણ પ્રદર્શન કોવિડ મહામારીના ફેલાયા પછી માર્ચ 2020માં પૂર્ણ કર્યુ હતું.
ઉત્તર દિલ્હી નગર નિગમના જહાંગીરપુરી વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસાના ચાર દિવસ પછી ગેરકાયદેસર બાંધકામ હટાવવાનુ અભિયાન ચાલુ થયુ હતુ. સુપ્રિમ કોર્ટએ એનડીએમસીને આ સમયે પરિસ્થિતિ કાબુમાં રાખવાનો આદેશ પણ આપ્યો હતો.
ક્યારે અને ક્યાં ચાલશે બુલડોઝર
9 મે – શાહીન બાગ જી બ્લોકથી જસોલા અને જસોલા નાળાથી કાલિંદી કુંજ પાર્ક
10 મે- ન્યુ ફ્રેંડસ કોલોનીથી બૌદ્ધ ધર્મ મંદિર અને ગુરૂદ્વારા રોડમાં અને તેમની આસપાસ.
11 મે- લોધી કોલોની, મેહરચંદ માર્કટ, સાઇ મંદિરમાં અને તેમની આસપાસના અને પછી જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ
12 મે- દિનસેન માર્ગ ઇસ્કોન ટેમ્પલ માર્ગ અને તેમની આસપાસ
13 મે- ખડ્ડા કોલોની