વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ- કાશી વિશ્વનાથ મંદિર વિવાદની વચ્ચે હવે આગરાના તાજમહેલ પણ ચર્ચામાં આવ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેચમાં તાજમહેલને લઇને એક અરજી દાખલ કરવામાં આવી છે,
જેમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલના 22 રૂમ ખોલવામાં આવે જેથી ખબર પડે કે તેમની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ અને શિલાલેખ છે કે નહીં?
- Advertisement -
તાજમહેલ ફારસી, ભારતીય અને ઇસ્લામીક વાસ્તુકળાની અનોખી શૈલીથી બનેલો તાજમહેલને પ્રેમની નિશાની ગણવામાં આવેછે. એવો દાવો કરવામાં આવે છે કે મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્નિ મુમતાઝની યાદમાં યમુના કિનારે સફેદ સંગેમરમરથીબનાવવામાં આવ્યો હતો. તાજમહેલ જેટલો સુંદર છે, તેટલા જ વિવાદોથી ઘેરાયેલ છે.
1666માં શાહજહાંનું મૃત્યુ થઇ ગયુ, પરંતુ વિવાદ તો ચાલુ જ રહ્યો. વચ્ચે તો એવી અફવા ફેલાઇ હતી કે, તાજમહેલ એક તેજોમહાલય છે અને હિંદુઓની આસ્થઆનું કેન્દ્ર છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેચમાં અયોધ્યામાં બીજેપીના મીડિયા હેડરજનીશ સિંહએ એક અરજી દાખલ કરી છે.
માનસિંહના મહેલના તર્ક-વિતર્ક
અરજીકર્તાએ માગણી કરી છે કે ભારતીય પુરાતત્વ સર્વક્ષણને મંજુરી આપવામાં આવે કે તાજમહેલની અંદરના 22 રૂમ ખોલે, જેમાંથી ખબર પડે કે ત્યાં હિંદુ મૂર્તિઓ અને શિલાલેખઓ છુપાયેલા છે કે નહીં? રજનીશ સિંહના વકીલ રૂદ્ર વિક્રમ સિંહનું માનવું છે કે, ઇ.સ.1600ની સદીમાં આવેલા તમામ પ્રવાસીઓ પોતાની યાત્રાના વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે.
- Advertisement -
તાજમહેલ ઇ.સ. 1653માં બનાવવામાં આવ્યો હતો, વર્ષ 1651માં ઓરંગઝેબનો એક પત્ર સામે આવ્યો જેમાં એ લખવામાં આવ્યુ છે કે અમ્મીના મકબરાનું સમારકામ કરાવવાની જરૂર છે, આવી તમામ બાબતોના આધારે એવું જાણવા મળ્યું કે, તાજમહેલના આ 22 બંધ રૂમમાં શું છે?
તેમણે હાઇકોર્ટ પાસે માગણી કરી છે કે, આ બાબતમાં સરકાર એએસઆઇ તેમજ ઇતિહાસકારોની એક ફૈક્ટ ફાઇડિંગ કમીટી બનાવીને રિપોર્ટ દાખલ કરવામાં આવે. જેવી આ અરજી કરવામાં આવી કે, તેને લઇને રાજનૈતિક વિવાદ શરૂ થયો. કોંગ્રેસએ આરોપ લગાવ્યો કે, બીજેપી જાણી જોઇને મુદા પરથી ભટકવાની કોશીશ કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અયોધ્યામાં તપસ્વી છાવનીના પીઠાધીશ્વર આચાર્ય પરમહંસને પણ અયોધ્યા જવા પર મનાઇ ફરમાવી દીધી હતી. આ પહેલા પણ હવે વિવાદ વધ્યો છે, જ્યારે કેટલાક હિંદુ દળોની કાર્યકર્તાઓએ તાજમહેલની અંદર હનુમાન ચાલીસાનું પઠન પણ કર્યુ હતું.
ક્યાંથી થઇ આ વિવાદની શરૂઆત?
તાજમહેલને લઇને વિવાદની શરૂઆત ઇતિહાસકાર પીએન ઓકની બૂક ટ્રૂ સ્ટોરી ઓફ તાજથી શરૂ થયો હતો. આ બૂકમાં તાજમહેલને શિવ મંદિર હોય તેવા કેટલાય દાવા કરવામાં આવ્યા હતા. કેટલાક ઇતિહાસકારોનો દાવો છો કો તાજમહેલમાં મુખ્ય મકબરા તેમજ ચમેલી ફર્શની નીચે 22 રૂમ બનેલા છે, જેને બંધ કરવામાં આવ્યા છે.
ઇતિહાસકારોનું માનવું છે કે, ચમેલી ફર્શ પર યમુના કિનારા પાસેના બેઝમેન્ટની નીચે જઇને બે જગ્યા પર સીડીઓ બનેલી છે, જેના પર લોખંડની જારી લગાવીને બંધ કરવામાં આવ્યુ છે. લગભગ 45 વર્ષ પહેલા સુધી સીડીની નીચેના રસ્તા ખુલેલા હતા. જેના 22 રૂમ ખોલવાની અરજી દાખલ કરવામાં આવી છે.