By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    3 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    1 day ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    21 minutes ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    26 minutes ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    29 minutes ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    30 minutes ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    32 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વજન મૃત્યુના સપનાં અને સપનાંઓનું સત્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > સ્વજન મૃત્યુના સપનાં અને સપનાંઓનું સત્ય
AuthorNaresh Shah

સ્વજન મૃત્યુના સપનાં અને સપનાંઓનું સત્ય

Khaskhabar Editor
Last updated: 2022/01/22 at 2:38 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

શાહનામા
– નરેશ શાહ 

કોરોનાએ આજકાલ જીવતર ઝેર કરી નાખ્યાં છે તો મનોચિકિત્સકો પાસે આવતી ભાતભાતની તકલીફોમાં એક કમ્પલેઈન એવી પણ આવી છે કે હવે, સપનાં પણ બહુ ખરાબ આવી રહયાં છે. ખરાબ કે માઠાં કે ભૂંડા સપનાં જોકે કોરોના નહોતો ત્યારે પણ લોકોને પરેશાન કરતાં હતા. પોતાના જીવીત માતા-પિતા, ભાઈ બહેન કે અત્યંત કરીબનું સ્વજન-પ્રિયજન મૃત્યુ પામે એવું સપનું સરેરાશ વ્યક્તિઓને ક્યારેકને ક્યારેક આવ્યું હોય છે. તમને ન આવ્યું હોય તો બાલાજીને સવા રૂપિયાનું તેલ ચડાવજો પણ આવા સપનાં જોઈ ચૂકેલાંઓને રસ પડે એવી વાત મનોવિજ્ઞાનના તાતશ્રી ગણાતા સિગ્મંડ ફ્રોઈડે (જન્મ : 18પ6 મૃત્યુ : 1939) સાત દશકા પહેલાં કરી હતી. એમાં કોઈ શંકા નથી કે પાછલા પચાસ-સાંઈઠ કે સિતેર વરસમાં મનોવિજ્ઞાન – સાઈક્રિયાટ્રીના ક્ષ્ોત્રે જબ્બર સ્ટડી અને રિસર્ચ થયા અને દુનિયા મનોવિશ્ર્વની અનેક ભૂલભૂલામણીઓને ઉકેલી શકાય છે પરંતુ સપનાઓના સત્યનું કોકડું હજુ ભેદભરમમાં અટવાયેલું છે. આજના અભ્યાસુઓ જેમ સિગ્મંડ ફ્રોઈડના સ્ટડી-રિસર્ચને ધ્યાનમાં રાખીને પોતાના નવા તારણો પર પહોંચવાની કોશિશ કરે છે તેમ ફ્રોઈડે પોતાના પૂર્વસૂરીઓના સપના-સ્ટડી અને પોતાના અભ્યાસને તોલીને પોતાના તારણો અને કારણો આપ્યા હતા. બેશક, સપનાંઓનું શાસ્ત્ર એવું વિરાટ તેમજ જટિલ છે કે તેને એક કે અગિયાર લેખોમાં પૂરું ન કરી શકાય એટલે આપણે સ્વજન મૃત્યુના સપનાની વાત જ કરીશું પરંતુ એ પહેલાં સિગ્મંડ ફ્રોઈડે સોઈ ઝાટકીને સપનાંઓ વિષે ઉચ્ચારેલું સત્ય જાણી લો કે, એકપણ સપનું પોતાને કોઈ સાધારણ કે મામુલી વાત સાથે સાંકળતું હોતું નથી, કારણકે મામુલી બાબતોને આપણે ક્યારેય આપણી ઊંઘ બગાડવા દેતાં નથી

અર્થ એ થયો કે તમને અને મને આવતા સીધા, સરળ, વિચિત્ર, કરુણ, ઉટપટાંગ કે વિકૃત સપનાંઓ કોઈકને કોઈક રીતે આપણી જિંદગી કે આસપાસની ઘટના – વ્યક્તિ કે આપણી જાણ બહાર આપણા અચેતન મન-દિમાગમાં આકાર લઈને સ્ટોર થઈ જતી ઈચ્છાઓ તેમજ વિચારોની આડપેદાશમાંથી જ જન્મતાં હોય છે. ટેસ્ટ કેસ તરીકે એક સપનું જોઈએ આપણે : આ લેખકની સ્મશાનયાત્રામાં જોડાયેલાં ખાસ ખબરના ગૃપ એડિટર ક્ધિનર આચાર્યને કેટરિના કેફ સાથે ચાલતાં તમે સપનામાં જુઓ છો… સિગ્મંડ ેફ્રોઈડે અનેક સપનાવીરો સાથે ડિટેઈલમાં વાત કરીને શોધી કાઢયું છે કે આવા અસંબધ્ધ સપનાંઓ જુદી જુદી કડીના મણકા હોય છે, જેને સ્પષ્ટ સ્વરૂપે આપણે સમજી શક્તાં નથી. ફ્રોઈડની શૈલીમાં સ્મશાનયાત્રાના સપનાંનો ભેદ ઉકેલીએ તો એવો નીકળે કે, ક્ધિનર આચાર્ય તમારા ફેવરિટ લેખક હોય. કેટરિના કેફ તમારો સિક્રેટ સોફટ કોર્નર હોય અને નથુરામ ગોડસે પરનો લેખ વાંચીને તમને આ લેખક પર પતાવી દેવાનું(મનોમન) ખૂન્નસ પણ ચડયું હોય.

- Advertisement -

આવી બહુ ગંભીરતાથી ન લીધેલી પણ દિલ-દિમાગ પર અસર કરી ગયેલી વ્યક્તિ, વાતો કે વિચારો ઠીક લાગે ત્યારે (જો કે સિગ્મંડ ફ્રોઈડના કહેવા પ્રમાણે તો જે તે દિવસે આમાંનું કશું અથવા તો તેને લગતું કશું બન્યું હોય) એ રાતે તે વ્યક્તિની ઊંઘમાં સપનાનો આકાર ધરે છે. છૂટપૂટ પણ ગહરી ઘટનાઓ અને અસરકારક વ્યક્તિઓ કે વસ્તુઓ સાથેનું એબ્સર્ડ કે અનોખું સપનું એટલે જ મોટાભાગના લોકોને જાગ્યા પછી, જેમનું તેમ કે આખેઆખું યાદ નથી હોતું. સ્વજન કે પ્રિયજનના મૃત્યુ બાબતના સપનામાં પણ જો તેની તબિયત કે હોસ્પિટલ કે ડોકટર સાથેની વાતો બની હોય તો એ સપનું(જાગ્યા પછી) આપણને એટલું બધું ડરામણું નહીં લાગે પણ ખડેધડે પિતા-માતા કે ભાઈ-બહેન કે અન્ય પ્રિયજનના મૃત્યુનું (કારણ કે કોઈ ઘટના વગર) સપનું આવે તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ અને સમજી શક્તા નથી કે આવું કમીનું સપનું આવ્યું શું કામ ?

એ સપનું ખરેખર તો એટલે આવ્યું હોય છે કે ક્યાંકને ક્યાંક અથવા અજાણતાં પણ ક્યારેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે જે-તે જીવીત વ્યક્તિ (મા-બાપ, ભાઈ-બહેન કે સ્વજન) હાજર કે હયાત ન હોય તો સારું… આપણા અચેતન મનમાં રહેલાં વિચારો કે ઈચ્છાઓ પછી સપનાંઓનો આકાર ધારણ કરી લેતા હોય છે : આવું કહ્યાં પછી સિગ્મંડ ફ્રોઈડ કહે છે કે, આવું જાણીને મોટાભાગના લોકો મારી સાથે અસહમત થશે અને ખિજવાશે પણ ખરા. ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રિમમાં સિગ્મંડ ફ્રોઈડે આ પછી ખૂબ બધા તારણો-કારણો અને કિસ્સાઓ ટાંકીને સમજાવવાની કોશિશ કરી છે કે જીવીત પ્રિયજનના મૃત્યુનું સપનું એ જ દર્શાવે છે કે ક્યારેકને ક્યારેક આપણે એવું ઈચ્છયું હોય છે કે આ વ્યક્તિ ન હોય તો સારું. અહીં ન હોય તો વાળો બચપણનો વિચાર સમજણ આવ્યા પછી મૃત્યુ પામવાનો વિચાર આકાર ધરી લેતો હોય છે યે બાત ભી નોટ કી જાએ, સરકાર.

બાળપણમાં નાના ભાઈ કે બહેનના જન્મ સાથે મોટા ભાઈ કે બહેનને પ્રાધાન્ય મળતું ઓછું થઈ જાય ત્યારે કે મોટા સંતાનોને મરજી પ્રમાણેનું જીવવા મળે ત્યારે નાના સંતાનોને એવું લાગતું હોય છે કે નાની બહેન કે ભાઈ (અથવા મોટો ભાઈ કે બહેન) ન હોત તો ેકેટલું સારું થાત. માતા કાયમ પુત્રનો પક્ષ્ા લે ત્યારે કે પિતા પુત્રીની બધી વાત સર આંખો પર ચઢાવે ત્યારે પુત્રને પિતા માટે અને પુત્રીને માતા માટે અણગમો જાગતો હોય છે. ખૂબ ગમતું સ્વજન કે પ્રિયજનની કોઈ ચેષ્ટા ખટક્તી હોય ત્યારે એવું ઈચ્છી જવાતું હોય છે કે આ લોકો ન હોય તો કેવું સારું… બસ, તાતશ્રી સિગ્મંડ ફ્રોઈડનું કહેવું છે કે બચપણમાં સ્ટોર થયેલી આવી ફિલિંગ્ઝને મોટા થયા પછી ચિંગારી મળતાં જ (દાખલા તરીકે, પોતાને ગમતી ફિલ્મને બદલે આજે ભાઈ-બહેન કે માને ગમતી ફિલ્મ જોવા કમને બન્યું હોય તો) એ રાતે સપનાનું રૂપ ધારણ કરી લે, જે સવારે આપણને સૌને એક દહેશત સાથે જગાડે. ઉમ્મીદ છે કે આવું દહેશતગર્દ સપનું તમને ન આવે, કમ સે કમ આજની રાતે તો નહીં જ.

- Advertisement -

અત્યંત નજીકનું સ્વજન-પ્રિયજન મૃત્યુ પામે એવું સપનું સરેરાશ વ્યક્તિઓને ક્યારેકને ક્યારેક આવ્યું હોય છે, તમને
ન આવ્યું હોય તો બાલાજીને સવા રૂપિયાનું તેલ ચડાવજો…!

ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રિમમાં સિગ્મંડ ફ્રોઈડે આ પછી ખૂબ બધા તારણો-કારણો અને કિસ્સાઓ ટાંકીને સમજાવવાની કોશિશ કરી છે કે જીવીત પ્રિયજનના મૃત્યુનું સપનું એ જ દર્શાવે છે કે ક્યારેકને ક્યારેક આપણે એવું
ઈચ્છયું હોય છે કે આ વ્યક્તિ ન હોય તો સારું. 

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article CM રૂપાણીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખૂલ્લો પત્ર
Next Article શક્તિની ભક્તિ માટે ચૈત્રી નવરાત્રિનો સમય શ્રેષ્ઠ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ
ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત
અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!
પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?