By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    11 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    11 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    10 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    11 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    13 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CM રૂપાણીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખૂલ્લો પત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > CM રૂપાણીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખૂલ્લો પત્ર
AuthorKinnar Acharya

CM રૂપાણીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખૂલ્લો પત્ર

Khaskhabar Editor
Last updated: 2022/01/22 at 2:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
13 Min Read
SHARE

પરમ આદરણીય વિજયભાઈ,

ગોદી મીડિયાનાં પત્રકાર કિન્નર આચાર્યનાં સાદર નમસ્કાર!

Contents
પરમ આદરણીય વિજયભાઈ,તમે લૉકડાઉન આપશો તો કહેશે કે, “ટંકે ટંકનું ખાનારનું શું થશે?” લૉકડાઉન નહીં આપો તો કહેશે, “સરકારને ધંધા-ઉદ્યોગની ફિકર છે, માનવ જિંદગીની નથી!” તમે વચલો રસ્તો કાઢી નાઈટ કરફ્યૂ આપશો તો લઘરાઓ ખીખિયાટા કરતા કહેશે કે, “કોરોના માત્ર રાત્રે જ નીકળે છે!” માની લો કે, તમે કોઈ જાદુઈ છડી વડે કોરોના ગાયબ કરી દેશો તો આ લોકો છાતી કુટી ને રૂ દાલી જેવું હૈયાફાટ રૂ દન કરશે અને કહેશે, “મહામારી હતી તો કેટલી હોસ્પિટલો અને તેનો સ્ટાફ નભતો હતો, લેબોરેટરી, કેમિસ્ટ્સ, ફ્રુટવાળાનાં ધંધા બંબાટ દોડતા હતા, બાળકોને ઘેરબેઠા ભણવાની લક્ઝરી હતી અને પરિવારો સહજપણે રાત્રે એકઠાં થતા… 

કુશળ હશો, તેવું કહેવું અસ્થાને છે. કારણ કે ગુજરાત કુશળ નથી- એટલે તમે પણ કુશળ ન જ હોવ. સ્વાભાવિક છે.
ગુજરાત પર ઘેરું સંકટ છે, કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આવા સમયે મેં જોયું કે, કેટલાંક લોકો કોરોનાને ટાર્ગેટ કરવાને બદલે તમને અને તમારી સરકારને ટાર્ગેટ કરી રહ્યાં છે. તેમનું નિશાન કોરોના નથી, તમે છો. આ વાઈરસ જાણે ચીનનાં વુહાનની વાયરોલોજી લેબમાંથી ન આવ્યો અને ગાંધીનગર સ્થિર સી.એમ. બંગલોમાંથી આવ્યો હોય એવી તેમની હરકતો છે. એક મિત્રએ લખ્યું કે, વિરોધીઓ તો એવી રીતે તૂટી પડયા છે- જાણે કોરોના કંઈ ચામાચિડિયામાંથી નહીં પણ કમળનાં ફુલમાંથી પેદા થયો હોય!

- Advertisement -

– કિન્નર આચાર્ય

લાગે છે, કેટલાંક લોકોએ કોરોના સંક્રમણ વધે તે માટે માનતાઓ માની છે, જેથી એ બહાને તમને વધુ ને વધુ ભાંડી શકાય. ગુજરાતની સ્થિતિ જાણે અપવાદ હોય તેમ ઘણાં લોકો રાસડાં લઈ રહ્યાં છે. આ કોઈ સરકારસર્જીત આપદા નથી. આટલી કોમન સેન્સ ક્યાંક વેંચાતી મળતી હોય તો હમણાં ખરીદીને એમને આપી આવું. આખા જગત પર આભ ફાટ્યું છે. કમનસીબે માણસજાત પાસે એવડી સોઈ અને એટલાં દોરાં નથી કે આસમાન સાંધી શકે. શું આપની પાસે એટલી સામાન્ય સમજ નથી કે, દુનિયાની ભલભલી મહાસત્તાઓ પણ આ મહામારી સામે લાચાર પુરવાર થઈ છે! જગતનું સર્વોત્તમ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા દેશો પણ આ મહામારી સામે લાચાર અને હતપ્રભ છે.

વિશ્ર્વની સર્વોત્તમ સ્વાસ્થ્ય- સારવાર વ્યવસ્થા ધરાવતું બ્રિટન ત્રણ-ત્રણ મહિનાનાં લૉકડાઉનમાંથી હજુ હમણાં બહાર આવ્યું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે જ્યાંની માળખાગત સુવિધાઓનાં ડંકા વાગે છે એ સ્પેન, નેધરલેન્ડ, જર્મની અને સ્વીડન પણ કોરોનાની જીવલેણ થપાટો ખાઈ ચૂક્યા છે. જેને આપણે જગતની મહાસત્તા માનીએ છીએ તે અમેરિકાએ પ્રતિદિન બે લાખ કેસનો આંકડો પણ જોયો છે. યુરોપનાં સુખી-સંપન્ન, માળખાગત સુવિધાઓથી છલોછલ દેશોમાં પણ લોકો રસ્તા પર દમ તોડી રહ્યાં હોય તેવાં વિઝ્યુઅલ્સ આપણે નિહાળી ચૂક્યાં છીએ. ઈટલીમાં તો કબ્રસ્તાન ખૂટી પડ્યા હતા અને ડોકટર્સ પાસે બે જ ચોઈસ હતી: યુવાઓને બચાવવા કે સિનિયર સિટિઝન્સને. આવી દારૂણ સ્થિતિ સદનસીબે આપણે હજુ જોઈ નથી.

- Advertisement -

દુનિયા આખીનાં મોટાભાગનાં દેશો હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓની અછતમાંથી પસાર થઈ ચૂક્યા છે અથવા થઈ રહ્યાં છે. ગુજરાતમાં કશું એવું ભયાનક બની રહ્યું નથી- જે બીજે ન બન્યું હોય. બેશક, સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. પરંતુ એ માટે કોઈ શાસક, સરકાર કે પ્રજાને દોષ આપી શકાય તેમ નથી. તમારા નેતૃત્વમાં સરકારે શક્ય એટલાં પ્રયત્નો કર્યા છે, હજુ અવિરત અને અથાક કરી રહ્યાં છો. પણ, આ સ્થિતિ આપણાં હાથમાં નથી. આ આપદાથી આપણે કોઈ પરિચિત નથી, ટેવાયેલા નથી. આ કોઈ અતિવૃષ્ટિ કે દુષ્કાળ નથી. જેની આપણને આદત હોય. એક નવી આફત છે, વિકરાળ, રૌદ્ર અને જીવલેણ છે. તેનો પ્રતિકાર તો ત્યારે થાય જ્યારે આપણે બધાં સ્તબ્ધ મટીને સ્વસ્થ થઈએ, સ્થિતિને સમજીએ.

વાઇરસ આગોતરી જાણ કરી ને કે ખત-ખબર લખી ને નથી આવ્યો, બીજી તરફ એની સાયકલ જગતનો કોઈ વૈજ્ઞાનિક પારખી શક્યો નથી. આ વાઇરસ વિશે આપણે જેટલું જાણીએ છીએ તેનાંથી અનેકગણી વાતો તેનાં વિશેની હજુ રહસ્ય છે

લાગે છે, કેટલાંક લોકોએ કોરોના સંક્રમણ વધે તે માટે માનતાઓ માની છે, જેથી એ બહાને તમને વધુ ને વધુ ભાંડી શકાય. ગુજરાતની સ્થિતિ જાણે અપવાદ હોય તેમ ઘણાં લોકો રાસડાં લઈ રહ્યાં છે, આ કોઈ સરકારસર્જીત આપદા નથી… આટલી કોમન સેન્સ ક્યાંક વેંચાતી મળતી હોય તો હમણાં ખરીદીને એમને આપી આવું

જગત આખાનાં સાયન્ટિસ્ટ્સ, ડોક્ટર્સ, શાસકો આ મહા કોયડાને ઉકેલવા ગોથા ખાઈ રહ્યા છે, લૉકડાઉન કે અનલોક કે કરફ્યૂ કે બધું મુક્ત… શું સૌથી બહેતર અને સૌથી અસરકારક છે, એ અંગે કોઈ જ છાતી ઠોકી ને દાવો કરી શકે એમ નથી

વિજયભાઈ, હું પણ જાણું છું કે, આ સહેલું નથી. કાળોતરો વાઈરસ રોજ સવાર પડે ને લખ્ખણ બદલી રહ્યો છે. આપણે ઊંદરડાં પકડવા પિંજરું ગોઠવીએ તો એ સસલું બનીને આવે છે અને સસલાનાં કદનું પાંજરૂ રાખીએ તો એ નાગ બની ફુંફાડા મારે છે. આસાન નથી. જ્યાં આજથી એક વર્ષ પહેલાં એન-95 માસ્ક કે પી.પી.ઈ. કિટ પણ બનતી નહોતી અને નેવું ટકા પ્રજાએ વેન્ટિલેટરનું નામ પણ સાંભળ્યું નહોતું- ત્યાં રાતોરાત હજારો બેડ, ઓક્સિજનવાળા બેડ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી- એ કેટલું કપરૂં કામ છે- એ સામાન્ય તથ્ય સમજવા આઈન્સ્ટાઈન કે ન્યૂટન જેવાં જિનિયસ દિમાગની જરૂર નથી.

સો-બસ્સો વર્ષે આવી ભીષણ આપદા, આવી મહાવ્યાધિ આવે છે. આ વાઇરસ ઝડપથી ફેલાય છે, દર્દીને ઝાઝી તકલીફો આપે છે, વધુ જીવલેણ છે. તેને આપણો રિસ્પોન્સ પણ એકદમ સ્પેશિયલ હોવો જોઈએ. અને એ માટે તૈયારીઓ જોઈએ. વાઇરસ આગોતરી જાણ કરી ને કે ખત-ખબર લખી ને નથી આવ્યો. બીજી તરફ એની સાયકલ જગતનો કોઈ વૈજ્ઞાનિક પારખી શક્યો નથી. આ વાઇરસ વિશે આપણે જેટલું જાણીએ છીએ તેનાંથી અનેકગણી વાતો તેનાં વિશેની હજુ રહસ્ય છે. જગત આખાનાં સાયન્ટિસ્ટ્સ, ડોક્ટર્સ, શાસકો આ મહા કોયડાને ઉકેલવા ગોથા ખાઈ રહ્યા છે. લૉકડાઉન કે અનલોક કે કરફ્યૂ કે બધું મુક્ત… શું સૌથી બહેતર અને સૌથી અસરકારક છે, એ અંગે કોઈ જ છાતી ઠોકી ને દાવો કરી શકે એમ નથી.

ગુજરાતમાં ગયા વર્ષે કેટલીક ભૂતાવળોએ એવું ધુપ્પલ ચલાવ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લીધે ગુજરાતમાં કોરોના ફેલાયો. વાસ્તવિકતા એ છે કે, ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો અને એ ભાઈ ઉમરા કરવા ગયા હતા, સાઉદીથી વાઇરસ લાવ્યા હતા! આ વર્ષે હવે ઇલેક્શનનાં નામે આ બધાએ ઉપાડો લીધો છે. સત્ય એ છે કે, જ્યાં ચૂંટણીઓ નહોતી એવા મહારાષ્ટ્રમાં રોજ 55 હજાર કરતા વધુ કેઇસ નોંધાઇ રહ્યા છે અને ઇલેક્શન નહીં હોવા છતાં દોઢ કરોડની વસ્તી ધરાવતા દિલ્હીમાં રોજ સાત હજાર કેઇસ આવી રહ્યા છે. અગત્યની વાત: ચૂંટણીઓ પણ ગુજરાતમાં કોર્ટના નિર્દેશથી જ યોજાઈ હતી. નિશ્ચિત તારીખ પહેલા ઇલેક્શન યોજવા કોર્ટે જ ડેડલાઈન આપી હતી. પણ, મેં કહ્યું એમ, આ ગિધ પ્રજાતિનું નિશાન કોરોના નથી, તમે છો. તેઓ આડકતરી રીતે કહે છે કે, દરેક હોસ્પિટલની અને કેમિસ્ટ શોપની બહાર ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રેમડેસિવિરનો થડો લગાવી ને બેસે, તેઓ ઈચ્છે છે કે, ઘેર-ઘેર જઈ ને તમે જાતે એન્ટિજન ટેસ્ટ કરો, બધાંને વેક્સિન આપો અને ઘરદીઠ વેન્ટિલેટર પહોંચાડો.

લાશો ભાળી ને ગિધડાં હવે આકાશમાં ચકરાવા લઇ રહ્યા છે. મહારાષ્ટ્રની ભયાવહ સ્થિતિ વિશે બે લીટી કહેતા જેમનાં મોતિયા મરી જાય છે એવા તકલાદી અને તકવાદી શૂરવીરો ગુજરાતની વાત આવે ત્યાં સાવજ બની જાય છે. સગવડિયા ધર્મની જેમ હવે સગવડિયું શૌર્ય પણ ઇન-થિંગ છે. રોજ એક પ્રજાતિ કકળાટ કરે છે કે, “રેમડેસિવિર નથી… રેમડેસિવિર નથી…” આ ઇન્જેક્શનનો કુંભ શું દેવ-દાનવોએ કરેલા સમુદ્રમંથનમાંથી નીકળ્યો હતો? હાઇકોર્ટે કરેલી ઘણી વાતો હસી કાઢીએ તો પણ એ વાત તો સાચી જ છે કે, રેમડેસિવિર કોઈ અમૃત નથી, બધાં પેશન્ટ માટે એ જરૂરી નથી અને જેમને જરૂર નથી એવા લોકો એ લે તો નુકસાન થાય છે. બધી બાબતોએ સરકારને ભાંડતી પોસ્ટ્સ અને લેખો લખતા લોકો આ તથ્ય અંગે કેમ કશું લખતાં નથી? વિચારવા જેવું છે.

દુનિયા આખીનાં મોટાભાગનાં દેશો હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓની અછતમાંથી પસાર થઈ ચૂક્યા છે અથવા થઈ રહ્યાં છે, ગુજરાતમાં કશું એવું ભયાનક બની રહ્યું નથી- જે બીજે ન બન્યું હોય. બેશક, સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. પરંતુ એ માટે કોઈ શાસક, સરકાર કે પ્રજાને દોષ આપી શકાય તેમ નથી

હું એવું હરગીઝ નથી કહેતો કે, ચોતરફ બધું ગુલાબી ગુલાબી છે અને લોકોને કોઈ તકલીફ નથી. એવું પણ નથી કહેવું કે, શાસકોથી કોઈ ભૂલ થઈ જ નથી. બ્યુરોક્રસીમાં ગોખણપટ્ટીથી ઘુસી ગયેલા ઉપલાં માળ વગરનાં કેટલાક અધિકારીઓએ પણ બહુ ભાંગરા વાટયા છે. પણ, તમારા નેતૃત્વમાં અનુભવે આ ભૂલો સુધારવામાં પણ આવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ અપાઈ કે થોડાં દિવસોમાં જ હોસ્પિટલો દ્વારા બેફામ લૂંટની ફરિયાદો આવી. તમે રૂમથી લઇ ને આઈ.સી.યુ. સુધીનાં પ્રતિદિન પેકેજનું ભાવ બાંધણું કર્યું, બેડ ઘટ્યા તો રાતોરાત નવી હોસ્પિટલો ઉભી કરી, રેમડેસિવિરનાં વિતરણમાં જ્યાં-જ્યાં છીંડા છે, ત્યાં તમે ગાબડાં પૂરતા જાઓ છો અને ડિસ્ટ્રીબ્યુશન વધુ પારદર્શક બનાવતા જાઓ છો. ઓક્સિજનની અછત જલ્દી દુર થાય એ માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે, રસિકરણમાં આજે ગુજરાત દેશમાં ટોચનાં ત્રણ રાજ્યોમાં સામેલ છે. ધન્વંતરિ રથનાં યુનિક આઈડિયાની પ્રશંસા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ ચૂકી છે. અત્યારે પણ નવા બેડ, નવી હોસ્પિટલો, નવા કામચલાઉ કોવિડ સેન્ટર્સ તમે ઉભા કરી રહ્યા છો. આટઆટલું થઈ રહ્યું છે ત્યારે સમજવું રહ્યું કે, આ વ્યાધિ-ઉપાધિ બહુ વિકરાળ છે. તેને નાથવાનું સરળ નથી.

જગત આખું સ્તબ્ધ અને જખ્મી છે. હાલ હયાત હોય એવી એકપણ પેઢીનાં કોઈ જ લોકોએ આવું સંકટ અગાઉ જોયું નથી. દુનિયાની મેડિકલ સિસ્ટમ ઘ્વસ્ત છે, ઇકોનોમી ઠપ્પ. કહેવાય છે કે, ભુખ્યાજનોની સંખ્યા આ મહામારીને લીધે 70 કરોડથી વધી એક અબજ લગી પહોંચી ચૂકી છે, સ્મોલ બિઝનેસ ખતમ થવા લાગ્યા છે અને મહાકાય ઉદ્યોગોમાં શ્રમ માટે માનવ કલાકો પર્યાપ્ત મળતા નથી. આપણે આ પૃથ્વી પર જ રહીએ છીએ, ગુજરાત કોઈ અલગ ગ્રહ કે નોખું બ્રહ્માંડ નથી. વત્તાઓછા અંશે આ બધાની અસર આપણને પણ થવાની. આવનારા દિવસો કદાચ બહેતર હોય અને હાલનાં કરતા બદતર પણ હોઈ શકે.

વિજયભાઈ, આ સ્થિતિને બહેતર બનાવવા, આ સંકટમાંથી ગુજરાતને બહાર કાઢવા યથાશક્તિ, યથાસંભવ કાર્યો કર્યે જાઓ, એવી એક સામાન્યજન તરીકે અપીલ છે. બોલનારા બોલવાનાં જ છે. તમે લૉકડાઉન આપશો તો કહેશે કે, “ટંકે ટંકનું ખાનારનું શું થશે?” લૉકડાઉન નહીં આપો તો કહેશે, “સરકારને ધંધા-ઉદ્યોગની ફિકર છે, માનવ જિંદગીની નથી!” તમે વચલો રસ્તો કાઢી નાઈટ કરફ્યૂ આપશો તો લઘરાઓ ખીખિયાટા કરતા કહેશે કે, “કોરોના માત્ર રાત્રે જ નીકળે છે!” માની લો કે, તમે કોઈ જાદુઈ છડી વડે કોરોના ગાયબ કરી દેશો તો આ લોકો છાતી ફૂટી ને રુદાલી જેવું હૈયાફાટ રુદન કરશે અને કહેશે, “મહામારી હતી તો કેટલી હોસ્પિટલો અને તેનો સ્ટાફ નભતો હતો, લેબોરેટરી, કેમિસ્ટ્સ, ફ્રુટવાળાનાં ધંધા બંબાટ દોડતા હતા, બાળકોને ઘેરબેઠા ભણવાની લક્ઝરી હતી અને પરિવારો સહજપણે રાત્રે એકઠાં થતા… વિજયભાઈએ આ બધું છીનવી લીધું!”

બોલવા દો. એટેન્શન સિકિંગ એક મનોરોગ છે. ક્રિકેટનાં ચાલું મેચે ભરચક સ્ટેડિયમ વચ્ચે ગ્રાઉન્ડમાં નિર્વસ્ત્ર થઈ ને હડી મૂકતા લોકો વાસ્તવમાં સ્ટ્રીકર હોય છે, એમનું ધ્યેય ઉટપટાંગ હરકતો થકી લોકોનું ધ્યાન ખેંચવાનું હોય છે. હું મોટો પંડિત નથી. પણ, એટલું સમજુ છું કે, સરકાર કે શાસક કામ ન કરતા હોય ત્યારે તેની આકરી ટીકા થવી જોઈએ. પણ, શાસક અને તંત્ર જ્યારે સદીઓમાં એકાદ વખત જ આવે તેવા કુદરતી મહા સંકટ સામે ઝઝૂમતાં હોય ત્યારે એનો દાવ લેવામાં કોઈ જ બહાદુરી નથી. સમજદારી પણ નથી. આવા વાંકદેખાઓને એમનું કામ કરવા દો. આપ આપની વિશિષ્ટ શૈલીમાં અર્ધી પિચે આવી ફટકાબાજી કરતા રહો. અગાઉ ગુજરાતને ક્યારેય આપની દુરંદેશી, વિઝન, પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતાની જેટલી જરૂર નહોતી, એટલી આજે છે. ભૂતકાળની તમામ કસોટીઓ તમે જેમ ડિસ્ટીંક્શન સાથે પાસ કરી તેમ આ પણ કરશો તેવી શ્રદ્ધા પણ છે અને શુભેચ્છાઓ પણ હોય જ.

-કિન્નર આચાર્ય (ગોદી મીડિયા)

તમે લૉકડાઉન આપશો તો કહેશે કે, “ટંકે ટંકનું ખાનારનું શું થશે?” લૉકડાઉન નહીં આપો તો કહેશે, “સરકારને ધંધા-ઉદ્યોગની ફિકર છે, માનવ જિંદગીની નથી!” તમે વચલો રસ્તો કાઢી નાઈટ કરફ્યૂ આપશો તો લઘરાઓ ખીખિયાટા કરતા કહેશે કે, “કોરોના માત્ર રાત્રે જ નીકળે છે!” માની લો કે, તમે કોઈ જાદુઈ છડી વડે કોરોના ગાયબ કરી દેશો તો આ લોકો છાતી કુટી ને રૂ દાલી જેવું હૈયાફાટ રૂ દન કરશે અને કહેશે, “મહામારી હતી તો કેટલી હોસ્પિટલો અને તેનો સ્ટાફ નભતો હતો, લેબોરેટરી, કેમિસ્ટ્સ, ફ્રુટવાળાનાં ધંધા બંબાટ દોડતા હતા, બાળકોને ઘેરબેઠા ભણવાની લક્ઝરી હતી અને પરિવારો સહજપણે રાત્રે એકઠાં થતા… 

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને કોરોના અંગે આપી આ અગત્યની સલાહ, જાણો અહીંયા
Next Article સ્વજન મૃત્યુના સપનાં અને સપનાંઓનું સત્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?