By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    46 minutes ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 hour ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    34 minutes ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    50 minutes ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    1 hour ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    1 hour ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
રાજકોટ

જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં

Khaskhabar Editor
Last updated: 2026/08/11 at 3:26 PM
Khaskhabar Editor 28 minutes ago
Share
6 Min Read
SHARE

સંસ્થાપક સ્વ. રઘુનંદનભાઈ સેજપાલની જન્મજયંતી

ડો. યાજ્ઞિક રોડ સ્થિત શો-રૂમનું નવીનીકરણ, 13 ઓગસ્ટે ખુલ્લો મુકાશે

- Advertisement -

વારસા અને આધુનિકતાના સમન્વય સાથે મિથિલાબેન સેજપાલ પટેલ અને ચંદ્રેશભાઇ પટેલે બિઝનેસને આપી રહ્યા છે નવી ઊંચાઈ

રાજકોટનું નામ આવે અને મોઢામાં મીઠો સ્વાદ ઘોળતા ભગતજીના પેંડા યાદ ન આવે એવું ભાગ્યે જ બને. રાજકોટની ઓળખ અને સ્વાદ પરંપરાનો એક અભિન્ન હિસ્સો બની ચૂકેલી જયસીયારામ ભગત પેંડાવાળા વર્ષ 1933થી પોતાની ગુણવત્તા અને સ્વાદની પરંપરા જાળવી રહી છે. હવે ડો. યાજ્ઞિક રોડ પર આવેલા પોતાના શો-રૂમનું રિનોવેશન કરી તેને નવા સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના સંસ્થાપક અને દીર્ઘદ્રષ્ટા સ્વ. રઘુનંદન હરજીવનભાઈ સેજપાલ (રઘુભાઈ)ના પ્રાગટ્ય દિને, 13 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ સવારે 8:30 વાગ્યાથી આ નવનીકૃત શો-રૂમ ગ્રાહકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ પ્રસંગે સેજપાલ પરિવાર દ્વારા રાજકોટના તમામ સ્નેહીઓ, ગ્રાહકો અને શુભેચ્છકોને ઉપસ્થિત રહી મોં મીઠું કરવા તથા આશીર્વાદ આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 1933માં શેરીઓમાં ફેરી કરીને શરૂ થયેલી એક નાની સ્વાદયાત્રા આજે રાજકોટની ઓળખ સમાન બની છે. ત્રણ પેઢીઓની મહેનત, સંસ્કાર, ગુણવત્તા અને બદલાતા સમય સાથે નવીનતાને અપનાવવાની દૃષ્ટિના કારણે જયસીયારામ ભગત પેંડાવાળા રાજકોટની મીઠાઈ પરંપરાનું એક આગવું નામ બની રહ્યું છે.

1933માં ફેરીથી શરૂ થયેલી સ્વાદયાત્રા
આજે જયસીયારામ ભગત પેંડાવાળા એક જાણીતી બ્રાન્ડ તરીકે સ્થાપિત છે, પરંતુ તેની શરૂઆત અત્યંત સાદગીભરી હતી. વર્ષ 1933માં જ્યારે બજારમાં માવાના પેંડાનું ચલણ વધુ હતું, ત્યારે શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવતા પેંડાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. તૈયાર કરેલા દૂધના પેંડા થેલામાં લઈ જઈ ફાટક અને શેરીઓમાં ફેરી કરીને વેચવામાં આવતા હતા. આ રીતે શરૂ થયેલો નાનો વ્યવસાય સમયની સાથે લોકોના વિશ્વાસ અને સ્વાદને કારણે સતત વિસ્તરતો ગયો. સંસ્થાના મૂળ સંસ્થાપકનું નામ હરજીવનભાઈ હતું. જોકે તેઓ સતત ‘સીતારામ’ના જપમાં લીન રહેતા અને ‘જય સીયારામ’ બોલવાની તેમની વિશિષ્ટ આદતને કારણે લોકોમાં તેઓ ‘જયસીયારામ ભગત’ તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં આ જ નામ રાજકોટના પેંડાની એક આગવી ઓળખ બની ગયું.

- Advertisement -

રાજકોટથી અમદાવાદ સુધી વિસ્તરેલો વારસો
વ્યવસાયને સમયાંતરે વિસ્તરણ મળતું ગયું અને ધર્મેન્દ્ર રોડ, પંચનાથ રોડ તથા ડો. યાજ્ઞિક રોડ પર શાખાઓ શરૂ કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 1980માં અમદાવાદ ખાતે પણ નવી શાખા શરૂ કરવામાં આવી હતી. આજે જયસીયારામના પેંડા માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતા સીમિત રહ્યા નથી. દેશ-વિદેશમાં વસતા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે જયસીયારામના પેંડા જાણે રાજકોટની યાદ સાથે જોડાયેલી એક અનિવાર્ય ભેટ બની ગયા છે. રાજકોટ આવનાર લોકો પોતાના પરિવારજનો, મિત્રો કે સંબંધીઓ માટે પેંડા સાથે લઈ જવાનું પસંદ કરે છે.

નાની ઉંમરે જવાબદારી સંભાળી, દીકરીએ પરંપરાને નવી દિશા આપી
સ્વ. રઘુભાઈ સેજપાલનું જીવન સંઘર્ષ, જવાબદારી અને મૂલ્યોનું ઉદાહરણ રહ્યું છે. માત્ર 13 વર્ષની ઉંમરે માતાનું અને 19 વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમણે નાની ઉંમરે જ જીવનની મોટી જવાબદારીઓ સંભાળી હતી. ભગવાન શ્રીરામના ચુસ્ત ભક્ત એવા રઘુભાઈ ‘કર્મ એ જ ધર્મ’ના સિદ્ધાંતમાં દૃઢ વિશ્વાસ ધરાવતા હતા. તેઓ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા અને દીકરા-દીકરીને સમાન ગણતા હતા. તેમના આ જ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને આગળ ધપાવતા તેમની પુત્રી મિથિલાબેન આર. સેજપાલ પટેલ માત્ર 18 વર્ષની નાની ઉંમરે પેંડાના વ્યવસાયમાં જોડાયા હતા. પિતાના અવસાન બાદ મિથિલાબેને વ્યવસાયની બાગડોર સંભાળી હતી. તેમણે પરંપરાગત મીઠાઈઓની ગુણવત્તા અને મૂળ સ્વાદને જાળવી રાખવાની સાથે આધુનિક સમયની માંગને ધ્યાનમાં રાખીને ફ્યુઝન મીઠાઈઓના નવા વિચારો રજૂ કર્યા. પરંપરા અને આધુનિકતાના આ સંગમથી તેમણે વ્યવસાયને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુણવત્તાના કારણે ‘બ્રાન્ડ ઓફ રાજકોટ’નો ખિતાબ
જયસીયારામ ભગત પેંડાવાળા પોતાની અપ્રતિમ ગુણવત્તા અને આગવા સ્વાદને કારણે સતત ચર્ચામાં રહ્યા છે. વિવિધ જાણીતા મીડિયા માધ્યમોએ પણ આ પેંડા હાઉસની વિશિષ્ટતા અને રાજકોટ સાથેના તેના લાંબા સંબંધની નોંધ લીધી છે. રાજકોટ શહેરની 400 વર્ષની ઉજવણી દરમિયાન પણ નાગરિક બેંક તરફથી જયસીયારામ ભગત પેંડાવાળાને ‘બ્રાન્ડ ઓફ રાજકોટ’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સંસ્થાની લાંબી પરંપરા, ગુણવત્તા અને રાજકોટ સાથેના તેના ભાવનાત્મક જોડાણનું પ્રતિબિંબ માનવામાં આવે છે.

નવસર્જિત શો-રૂમમાં પરંપરા સાથે આધુનિકતાનો સંગમ
ડો. યાજ્ઞિક રોડ પરના શો-રૂમના નવીનીકરણ સાથે જયસીયારામ પરિવાર પોતાની પરંપરાગત ઓળખને જાળવી રાખીને ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક અનુભવ આપવાની દિશામાં આગળ વધી રહ્યો છે. 13 ઓગસ્ટે નવા સ્વરૂપમાં શો-રૂમ શરૂ થતાં રાજકોટવાસીઓને જાણીતા સ્વાદ સાથે નવીન વાતાવરણનો અનુભવ મળશે. સેજપાલ પરિવાર જયશ્રીબેન રઘુનંદન સેજપાલ, મિથિલાબેન સેજપાલ પટેલ તથા જયસીયારામ પરિવાર દ્વારા આ પ્રસંગે રાજકોટના તમામ સ્નેહીઓ અને ગ્રાહકોને ઉપસ્થિત રહી મોં મીઠું કરવા તથા આશીર્વાદ આપવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ડુપ્લીકેટ પેંડાથી સાવચેત રહેવા ગ્રાહકોને અપીલ
આ સાથે પરિવાર દ્વારા ગ્રાહકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે બજારમાં ‘જયસીયારામ’ના નામે ચાલતી ડુપ્લીકેટ બનાવટોથી સાવચેત રહેવું અને પેંડા તથા અન્ય મીઠાઈની ખરીદી માત્ર અધિકૃત શો-રૂમ પરથી જ કરવી. દાયકાઓથી જાળવવામાં આવેલી ગુણવત્તા અને વિશ્વાસને જાળવી રાખવા ગ્રાહકો પણ અધિકૃત વેચાણ કેન્દ્ર પરથી જ ખરીદી કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

You Might Also Like

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા

વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી કોણ ટાળે છે ?

‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
Next Article વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટ

વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?