રાજકોટમાં વિહિપ દ્વારા ઐતિહાસિક શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોની જાહેરાત
ગોપી-કિશન સ્પર્ધા, રાષ્ટ્રભક્તિનો ડાયરો, સૂત્ર સ્પર્ધા, તાવા પ્રસાદ, કાન-ગોપી રાસ મંડળ, લતા સુશોભન અને ફ્લોટ સુશોભન સ્પર્ધા યોજાશે
- Advertisement -
માવજીભાઈ ડોડિયાએ સમસ્ત સનાતની સમાજને એક થવા, સંગઠિત થવા, ધર્મરક્ષા અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું
સૂત્રો સ્પર્ધા દ્વારા વૈચારિક ક્ષમતા, ધાર્મિક ભાવના તેમજ સામાજિક સંદેશ વ્યક્ત કરવાની તક લોકોને મળે છે : પરેશભાઈ રૂપારેલિયા
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું શનિવારે નાગર બોર્ડિંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ ખાતે ભવ્ય અને ભગવામય વાતાવરણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
‘યદા યદા હી ધર્મસ્ય…’ શ્લોકના ઉચ્ચારણ સાથે યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક-ધાર્મિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ વિહિપ અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
હતા. કાર્યક્રમના પ્રારંભે સંતો-મહંતો, માર્ગદર્શક સમિતિના સભ્યો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તકે માવજીભાઈ ડોડિયા અને શાતુંભાઈ રૂપારેલિયાએ સમસ્ત સનાતની
સમાજને એક થવા, સંગઠિત થવા તેમજ ધર્મરક્ષા અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું. સમગ્ર ઉદ્ઘાટન સમારોહનું સ્ટેજ સંચાલન સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ વિનય કારિયા અને
પારસ શેઠે કર્યું હતું.
- Advertisement -
માર્ગદર્શક સમિતિના વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે આ વર્ષે અનેક કાર્યક્રમો યોજાશે. જેમાં ગોપી-કિશન સ્પર્ધા, રાષ્ટ્રભક્તિનો ડાયરો, સૂત્ર સ્પર્ધા, તાવા પ્રસાદ, કાન-ગોપી રાસ મંડળ, લતા સુશોભન અને ફ્લોટ સુશોભન
સ્પર્ધા, અગાઉના વર્ષના વિજેતાઓનો સન્માન સમારોહ તથા જન્માષ્ટમીના દિવસે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલિયાએ સમગ્ર આયોજનમાં સમસ્ત
સનાતની સમાજને સહભાગી બનવા આમંત્રણ આપ્યું હતું. તેમણે યુવાનોને અખંડ ભારત સંકલ્પ દિવસનું મહત્વ સમજાવી ત્રિશૂળ દીક્ષા અને મશાલ રેલી જેવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સમિતિના માર્ગદર્શક તથા રાજકોટ મહાનગરના સદભાવ સંયોજક અશોકભાઈ મકવાણાએ પોતાના સંબોધનમાં નશામુક્ત ભારત અભિયાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતને વિકસિત બનાવવું હોય તો
દેશના યુવાનોને તમામ પ્રકારના નશાની આદતોથી મુક્ત કરવા જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણની ભક્તિ કર્મયોગ દ્વારા જીવન જીવવાની કળા શીખવે છે, જ્યારે નશાની લત વ્યક્તિને દુષ્કર્મ તરફ દોરી જઈ જીવનનું
લક્ષ્ય ભુલાવી દે છે. યુવા શક્તિને સાચી, સારી, સંસ્કારી અને યોગ્ય દિશામાં લઈ જવી એ વર્તમાન સમયની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું. જન્માષ્ટમીના પર્વ થકી ‘નશામુક્ત ભારત’નો સામાજિક સંદેશ ફેલાવી ભારતને
પરમ વૈભવ સુધી લઈ જવાનો સંકલ્પ લેવા તેમણે શહેરીજનોને આહવાન કર્યું હતું. આ સાથે પરમરાજસિંહ રાણાએ ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી જરૂરિયાત મુજબ વાહનોની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.
મહંત સ્વામી કનૈયા પુરી બાપુએ યુવાનોને શાસ્ત્ર અને શસ્ત્રનું મહત્વ સમજાવ્યું હતું. માત્ર શસ્ત્ર રાખવા પૂરતું નહીં પરંતુ શસ્ત્રકલામાં નિપુણતા મેળવવાની, તેનું પૂજન કરવાની અને તેની મર્યાદા જાળવવાની પણ તેમણે સલાહ
આપી હતી. હિંદુ સભ્યતાના ગૌરવપૂર્ણ ઇતિહાસનો ઉલ્લેખ કરતાં તેમણે હિંદુ સમાજની એકતા પર ભાર મૂક્યો હતો. પદમલોચન ક્રિષ્ના દાસ સ્વામીએ ભક્તિયોગ અને કર્મયોગનું મહત્વ સમજાવી ઉપસ્થિત લોકોને આશીર્વચન
આપ્યા હતા. રણુજા મંદિર, કોઠારીયાથી પધારેલા પૂ. રઘુનાથગીરી બાપુએ મુખ્ય વક્તા તરીકે આશીર્વચન આપતાં લોકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું સ્મરણ કરાવ્યું હતું. તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અંગે સમજણ
આપી હતી. તેમણે શ્રીરામ અને શ્રીકૃષ્ણના જીવનચરિત્રમાંથી પ્રેરણા લેવાની અને ધર્મ તથા સમાજની રક્ષા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કરી હતી. મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ કરતાં તેમણે યુવાનોને ધર્મરક્ષા તથા
બહેન-દીકરીઓની રક્ષા માટે સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કાર્ય કરવા આહવાન કર્યું હતું. સાથે જ તેમણે વહેલા જાગવું, તિલક કરવું, વડીલોને પગે લાગવું, ભગવાનનું ભજન કરવું, પોતાની વેશભૂષા અને સંસ્કારોને જાળવી
રાખવા જેવી પરંપરાઓનું પાલન કરવાની હાકલ કરી હતી. આ સંસ્કારો શ્રેષ્ઠ અને ઉત્તમ જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા
ઉદ્ઘાટન પ્રસંગે માર્ગદર્શક સમિતિના માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને
અશોકભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. રણુજા મંદિર, કોઠારીયાથી પૂ. રઘુનાથગીરી બાપુ, મહંત સ્વામી શ્રી કનૈયા પુરી બાપુ, રાજકોટના હરે કૃષ્ણ મંદિરમાંથી પદમલોચન ક્રિષ્ના દાસ સ્વામી, પૂ. રાધેશ્યામ બાપુ અને શંકર
મહારાજ સહિત સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. સામાજિક ક્ષેત્રના રાજાભાઈ (વાવડી), અશોકસિંહ ડોડિયા, ગૌતમભાઈ ધમસાણિયા, પ્રફુલભાઈ નડીયાપરા, જીમીભાઈ અડવાણી, પરમરાજસિંહ રાણા,
તિર્થરાજસિંહ ગોહિલ, જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રંગીલા હનુમાન ધૂન મંડળ, જુનાગઢના વિશ્વકર્મા સમાજ મંડળ સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક મંડળોએ પણ હાજરી આપી હતી.
રાજકીય આગેવાનોમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ગોવિંદભાઈ પટેલ, લલિતભાઈ વાડોલીયા, વિજયભાઈ કારિયા, જશુમતીબેન વસાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રાજકોટના મેયર નેહલભાઈ શુક્લા અને સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિહિપના પ્રાંતીય અને વિભાગ અધિકારીઓ દેવજીભાઈ મિયાત્રા, અશ્વિનભાઈ ગોસાઈ, મનોજભાઈ ડોડિયા, મીતાબેન સોમૈયા, ડો. મનીષાબેન પંડ્યા,
સોનલબેન ચારણીયા, રાહુલભાઈ જાની, ભાવેશભાઈ લાઠીયા, જિલ્લા અધ્યક્ષ અજયભાઈ વાડોલીયા, ડો. મનીષ ગોસાઈ, કમલેશભાઈ ગમારા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ પટેલ અને જિલ્લા ઉપાધ્યક્ષ મનીષભાઈ વડેરીયા
સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિહિપ અને બજરંગ દળના ભાઈઓ-બહેનોની મોટી સંખ્યામાં હાજરીથી કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
શોભાયાત્રાના રૂટ પર રોડ-રસ્તા રિપેરની મેયરની ખાતરી
રાજકોટના મેયર નેહલભાઈ શુક્લાએ જન્માષ્ટમીની જાહેર જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે શોભાયાત્રાના રૂટમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે રોડ-રસ્તાની જરૂરી મરામત કરાવવામાં આવશે.
ઉપરાંત જાહેર જનતાની સુરક્ષા અને સગવડતા માટે ફાયર સેફ્ટી, એમ્બ્યુલન્સ સહિતની જરૂરી વ્યવસ્થાઓ તૈનાત રાખવાની ખાતરી પણ તેમણે આપી હતી. ધારાસભ્ય દર્શીતાબેન શાહ અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે
શ્રીકૃષ્ણની ભક્તિમાં તરબોળ થવાના આધ્યાત્મિક મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું. છેલ્લા ૪૧ વર્ષથી યોજાતી શોભાયાત્રાની ઐતિહાસિક પળોને યાદ કરી આગામી આયોજન માટે જરૂરી તમામ પ્રકારના સાથ-સહકારની ખાતરી
આપી હતી.
રાજકોટના નાગરિકો પાંચ પૈકી કોઈપણ એક વિષય પર સૂત્ર મોકલી શકશે
1. નશામુક્ત ભારત
2. કુટુંબ પ્રબોધન
3. પર્યાવરણનું જતન
4. સામાજિક સમરસતા
5. નાગરિક કર્તવ્ય
સૂત્ર સ્પર્ધકના વિજેતાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
– નિર્ણાયક સમિતિ દ્વારા પ્રાપ્ત સૂત્રોમાંથી એક સૂત્ર પસંદ કરવામાં આવશે
– પસંદ થયેલું સૂત્ર જન્માષ્ટમી મહોત્સવની પત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવશે
– જન્માષ્ટમી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર પ્રદર્શિત કરવામાં આવશે.
સૂત્ર સ્પર્ધાના નિયમો
એક વ્યક્તિએ માત્ર એક જ સૂત્ર મોકલવાનું રહેશે.
સૂત્ર માત્ર બે લાઇનનું હોવું જોઈએ.
સૂત્રમાં જન્માષ્ટમી મહોત્સવ તથા ઉપરોક્ત પાંચમાંથી કોઈ એક વિષયનો સંદેશ આવરી લેવો જરૂરી રહેશે.
સૂત્રો મોબાઇલ નંબર પર અથવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયે મોકલી શકાશે.
સૂત્ર મોકલવાની અંતિમ તારીખ ૧૩ ઑગસ્ટ ૨૦૨૬ છે.
૧૩ ઑગસ્ટના રોજ રાત્રે ૮ વાગ્યા બાદ સૂત્રો સ્વીકારવામાં આવશે નહીં.
સૂત્ર મોકલવા માટેના સંપર્ક નંબરો
રાહુલભાઈ જાની : ૮૫૧૧૩ ૧૧૦૦૮
લલિતભાઈ ગોહેલ : ૮૪૬૦૬ ૭૦૦૦૭
સુશીલભાઈ પામ્ભર : ૯૮૭૯૨ ૧૬૭૪૭




