ભારત સરકારના ‘ઓપરેશન કગાર’થી માઓવાદીઓ-નકસલવાદીઓની કમર તૂટી ગઈ: સરકારને પત્ર લખી શાંતિની અપીલ: સરકારને ઓપરેશન રોકવા વિનંતી: ગૃહમંત્રીએ 2026ની આપી હતી ડેડલાઈન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારત ઘણા વર્ષોથી માઓવાદીઓના ત્રાસથી પરેશાન હતું. જે પછી ભારત સરકારે ઓપરેશન કાગર ચલાવીને માઓવાદીઓની કમર તોડી નાખી. પરિસ્થિતિ એવી બની ગઈ કે અંતે શરણાગતિ સ્વીકારવાની વાત થઈ રહી છે. જે સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઓવાદી સંગઠને અચાનક હથિયારો મૂકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ બિનશરતી હથિયારો છોડી દેવા માટે તૈયાર છે. તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે સરકાર તાત્કાલિક ઓપરેશન કાગર બંધ કરે અને કોઈ એન્કાઉન્ટર ન થાય.
આ ઓપરેશન છત્તીસગઢ અને તેલંગાણાના જંગલોમાં ચાલી રહ્યું છે, જ્યાં સુરક્ષા દળો માઓવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. હથિયારો છોડી દેવાની વાત એક પત્ર જારી કરીને કહેવામાં આવી છે. આ પત્ર સીપીઆઈ (માઓવાદી) ના સત્તાવાર પ્રવક્તા અભયના નામે જારી કરવામાં આવ્યો છે.
અભયે પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જો સરકાર શરતો સાથે સંમત થાય, તો તેઓ શાંતિ પ્રક્રિયામાં જોડાશે. આ સમાચાર 16 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર આવ્યા હતા, અને સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો સુધી તેની ચર્ચા થઈ રહી છે. સીપીઆઈ (માઓવાદી) ના પ્રવક્તા અભયે 15 ઓગસ્ટ, 2025 ના રોજ કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહને પત્ર લખીને બિનશરતી શરણાગતિ અને કામચલાઉ યુદ્ધવિરામની માંગણી કરી છે. પરંતુ તેમણે એક મહિનાનો સમય માંગ્યો છે જેથી તેઓ તેમના કાર્યકરો અને નેતાઓ સાથે સલાહ લઈ શકે. આ પત્ર છત્તીસગઢમાં પત્રકારોને સોંપવામાં આવ્યો હતો, જે હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે.
ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં ભારતને નક્સલમુક્ત બનાવવાની સમયમર્યાદા આપી છે. તેમણે માઓવાદીઓને ચેતવણી આપી હતી કે, તમારા શષાો નીચે મૂકો, નહીં તો તમારો નાશ થઈ જશે. શાહે દાંતેવાડામાં કહ્યું, શરણાગતિ સ્વીકારો, બસ્તરના વિકાસમાં જોડાઓ. તેમણે શરણાગતિ સ્વીકારનારા ગામોને 1 કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનું પણ વચન આપ્યું હતું. તેમની કડક નીતિ અને સુરક્ષા દળોની કાર્યવાહીએ માઓવાદીઓને ઘૂંટણિયે પાડી દીધા છે. 2025માં અત્યાર સુધીમાં 521 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે 2024માં 881 માઓવાદીઓએ શષાો મૂકયા છે.
એપ્રિલ 2025માં શરૂ થયેલ ઓપરેશન કાગર છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર માઓવાદીઓ સામે ચાલી રહ્યું છે. તેણે રેડ ટેરરની કમર તોડી નાખી છે. વિકિપીડિયા અનુસાર, આ ઓપરેશનમાં 31 માઓવાદીઓ માર્યા ગયા હતા, જેમાં મોટા કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે. મે 2025માં ગુંડેકોટા એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા બસવરાજ સહિત 28 લોકો માર્યા ગયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, માઓવાદીઓ ઇચ્છે છે કે સરકાર સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર બંધ કરે, જેથી શાંતિ મંત્રણા થઈ શકે.



