ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી સ્વ.અજયરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાના સ્મરણાર્થે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમેતે 20 જૂનને શુક્રવારના રોજ સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધી આશિર્વાદ મંડપ સર્વિસ, મા પેટ્રોલપંપની સામે નાના મવા મેઇન રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં કર્મવિરસિંહ અજયરાજસિંહ જાડેજા, જાડેજા પરિવાર, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રક્તદાતાઓને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.