4300થી વધુ ઘાયલ, કાટમાળ નીચેથી અવાજો આવી રહ્યા છે
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં ૨૩૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ૪૩૦૦થી વધુ લોકો ઘાયલ છે. વેનેઝુએલામાં બુધવારે ૧૮૨૧ના કારાબોબો યુદ્ધની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. તેથી મોટાભાગના લોકો ઘરોમાં હતા અને ફીફા વર્લ્ડ કપ મેચ જોઈ રહ્યા હતા. આનાથી કાટમાળ નીચે દટાયેલા લોકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, કાટમાળની અંદરથી અવાજો આવી રહ્યા છે. સરકારે મોડી રાત્રે જણાવ્યું કે ૩૯ હજારથી વધુ લોકો ગુમ છે. ભૂકંપની ભયાનકતાની અસલી તસવીર હજુ આવવાની બાકી છે. અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપથી ૧૦ હજારથી વધુ લોકોના મોત થવાની ૪૪% આશંકા છે. જ્યારે, એક લાખ લોકોના જીવ ગુમાવવાની પણ 30% આશંકા છે. આ આફતથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને ૯.૫ લાખ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કટોકટી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ્રિગેઝ સાથે વાત કરીને મદદની ઓફર કરી છે.




