હેરી સોલંકી
આપણો ભારત દેશ ખૂબ જ સહિષ્ણુ દેશ છે. આ પ્રદેશ પર અનેક વિદેશી આક્રમણકારોએ દેશને બરબાદ કરવાનો મનસૂબો રાખ્યો, પરંતુ દર વખતે ભારતીય પ્રજાએ ખૂબ સહિષ્ણુતાથી સામનો કરી પોતાની પ્રજાનું રક્ષણ કરીને નીતિમત્તા અને માનવતાને આધારે સમાજનું નિર્માણ અને વિકાસ કર્યો. પરંતુ દરેક વ્યક્તિ કે દેશની સહનશીલતાની પણ એક હદ હોય. 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરનાં પર્યટન સ્થળ પહેલગામ (જ્યાં અમરનાથ યાત્રાનો એક પડાવ છે) પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને ત્યાં સહકુટુંબ ફરવા આવેલા લોકોને નામ અને ધર્મ પૂછીને તેના પરિવાર સામે જ તેમને ગોળી મારી દેવામાં આવી. 26 હિંદુ લોકોની તેનાં જ પરિવારજનો સામે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો, દેશ ખળભળી ગયો, દેશનાં બધાં જ ધર્મનાં લોકો સમસમી ગયા. બસ, હવે બહુ થયું. દેશની સહનશીલતાની આ હદ હતી. હવે તો આતંકના આકાઓને પાઠ ભણાવવો જરૂરી હતો. કોઈ આપણી સહનશીલતાને કાયરતા સમજે તે અસહ્ય હતું. હવે કંઈક નવું થવાનું હતું. પાડોશી દેશ પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા આતંકના આકાઓને પાઠ ભણાવવો જરૂરી હતો. તેથી ભારતે પંદર દિવસના સંયમ અને સટીક આયોજનથી ગઈંઅ અને છઅઠ વગેરે જાસુસી સંસ્થાઓ તથા ટેકનોલોજીની મદદથી વાયુસેનાએ (ઈંક્ષમશફ અશિ ઋજ્ઞભિય) પાકિસ્તાનની અંદર 100 કિ.મી. ઘુસી 9 આતંકી અડ્ડાઓને તા. 7 મે 2025ના રાતના 1-40 વાગે ધ્વસ્ત કર્યા. સર્જીકલ સ્ટ્રાઈક, બાલાકોટ એર સ્ટ્રાઈકથી પણ મોટા પાયે એક પરમાણુ સંપન્ન દેશમાં અંદર ઘુસીને આતંકી અડ્ડાઓમાં છુપાયેલા 100 જેટલા આતંકીઓનો સફાયો કર્યો. આ અત્યારે આધુનિક યુગમાં થયેલા મીલીટરી ઓપરેશનમાં સૌથી સટીક અને સુનિયોજિત સફળ કાર્યવાહી હતી. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુનિયાને કડક સંદેશો આપ્યો કે આ એ ભારત નથી કે જે બધું જોયા કરશે અને કંઈ જવાબ નહીં આપે, આ તો એ ભારત છે જે જવાબ પણ આપશે અને ભરપૂર પ્રહારથી આપશે. પરંતુ આ મીલીટરી કાર્યવાહીથી આતંકીઓને પોતાના ખોળે બેસાડીને ખવરાવનાર પાકિસ્તાનના પેટમાં ચુક ઉપડી અને ગિન્નાયુ અને વધુ એક ભૂલ કરી બેઠું. બીજા દેશોની મદદથી ઉછળતું પાકિસ્તાન ભારત પર ડ્રોન હુમલા કરવા લાગ્યું.
- Advertisement -
તુર્કી અને ચીનના ઉછીના માંગેલા હથિયારોથી ભારત પર હુમલા કરવા લાગ્યું. પંદર દિવસના ‘Operation Sindoor’ પછી તા. 6, 7 મે 2025ની રાતના 1-40 વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનો અને ડ્રોન દ્વારા પાકિસ્તાનના 9 આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા. આવુ સટીક આયોજન અને સુનિયોજિત સૈન્ય કાર્યવાહી દુનિયાએ પહેલી વાર જોઈ. સવાર પડતાં જ સમગ્ર પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો. આતંકીઓને પોષનારા તથા તેના થકી પોતાની મેલીમુરાદ પાર પાડનારા પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ વધુ બેબાકળા બન્યા. તેમણે વિદેશી મદદથી ઉછીના મેળવેલા ડ્રોનથી ભારત પર નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે જેમાં રશિયાથી મેળવેલી જ-400 તેમજ ભારતીય સ્વદેશી બનાવટની એર ડિફેન્સ ગન તથા ઉછઉઘ દ્વારા વિકસિત સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમથી પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા ઉછીના ડ્રોન હવામાં જ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા. તા. 7, 8, 9 મે એમ ત્રણ દિવસ સુધી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું. દરરોજ રાતના ભારતીય આકાશમાં પાકિસ્તાનના ડ્રોન દેખાય અને ભારતના સુદર્શન ચક્ર જેવી એર ડિફેન્સે પાકિસ્તાનના ઉછીના માંગેલા ડ્રોન અને ચીની મિસાઈલને હવામાં જ ધ્વસ્ત કરીને પાકિસ્તાનને પડ્યા ઉપર પાટુ મારવા જવું થયું. ભારતના વળતા પ્રહારમાં પાકિસ્તાનને ખૂબ જ મોટું નુકસાન થયું. ભારતે લગભગ 12 જેટલા સૈન્ય એરબેઝને નિશાન બનાવ્યા. તેની સીમામાં અંદર ઘુસીને તેની રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી. એરબેઝ તબાહ થયા, ડ્રોન નિષ્ફળ રહ્યા અને મિસાઈલ નાકામ રહી તથા એર ડિફેન્સ સિસ્ટમ કામ ન આવી જેથી પાકિસ્તાનને કરોડોનું નુકસાન થયું અને પાક ઘુંટણિયે પડ્યું. પાકિસ્તાનના ઉૠખઘ તરફથી ભારતના ઉૠખઘને ફોન કરીને યુદ્ધવિરામ (સીઝ ફાયર)ની વિનંતી કરવામાં આવી. સીઝ ફાયર તો થયું બંને દેશ તરફે ગોળીબાર અને અન્ય યુદ્ધ ઉદ્દેશક હુમલાઓ બંધ થયા પરંતુ હજુ સુધી આ આગ બુઝવાનું નામ નથી લેતી. કારણ કે ભારત સરકારે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે ‘ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે.’
ઓપરેશન સિંદૂરનું શું પરિણામ આવ્યું, ભારત માટે ફલશ્રુતિ શું?
ઓપરેશન સિંદૂરથી સાબિત થયું કે
ભારત હવે સહનશીલ નહીં પણ પ્રહારક બન્યું છે.
દુશ્મન દેશની અંદર જઈને ભારત કાર્યવાહી કરી શકે છે.
100 કિ.મી. અંદર જઈને 100થી વધુ આતંકીઓનો ખાત્મો.
હવેથી કોઈપણ આતંકી હુમલો ‘અભિં જ્ઞર ઠફિ’ કહેવાશે.
હવેના યુદ્ધ સૈનિકોનો સંખ્યાના બળબળ પર નહીં પરંતુ દેશની વાયુસેનાની તાકાત અને ટેકનોલોજી પર નિર્ભર રહેશે.
ભવિષ્યના યુદ્ધ મોટાભાગે અવકાશી યુદ્ધ હશે.
ડ્રોન અને મિસાઈલ દ્વારા યુદ્ધો લડાશે.
યુદ્ધમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે.
જેની પાસે વધુ સારી ટેકનોલોજી તે દુશ્મન પર ભારે પડશે.
દેશની વાયુસેના મજબૂત તે દેશ વિજેતા બનશે, સાથે એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ અગત્યની છે.
આમ ‘ઓપરેશન સિંદૂર’થી એટલું તો ખાસ સાબિત થાય છે, ભારતે શૌર્ય અને પરાક્રમથી સટીક સૈન્ય કાર્યવાહી કરી છે આમ પણ હજુ ભારતે પોતાના સંરક્ષણ બજેટમાં અને આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે. હજુ પાંચમી પેઢીના વિમાનો લાવવાના બાકી છે. હજુ ભારતે ઘણું કરવાનું બાકી છે.
Operation Sindoor
- Advertisement -
મીલીટરી ઈતિહાસનું સૌથી સટીક અને સફળ ઓપરેશન.
વિદેશી ધરતી પર 9 આતંકી અડ્ડાને જમીનદોસ્ત કર્યા.
100થી વધુ આતંકીઓને સજા-એ-મોત.
ભારતીય વાયુસેનાનું અપ્રિતમ અને અદ્ભુત સાહસ.
ભારતીય નારીઓનું સિંદૂર ઉઝાડનારાઓને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા યોગ્ય જવાબ.