By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    24 hours ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    21 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    21 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    24 hours ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    23 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    23 hours ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી
Author

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 4:57 PM
Khaskhabar Editor 7 months ago
Share
12 Min Read
SHARE

વિશેષ: ડૉ. કૌશિક ચૌધરી

1 ઇસ 1802 માં રામાનંદ સ્વામીના મૃત્યુ પછી સહજાનંદના હાથમાં ઉધ્ધવ સંપ્રદાય આવ્યો, જેમાં આવે તેમને હજી ત્રણ જ વર્ષ થયા હતા, અને તેમની ઉંમર 21 વર્ષ જ હતી. આ જે કારણે પણ બન્યું એનાથી રામાનંદ સ્વામીના કેટલાક સ્ત્રી અને પુરુષ શિષ્યો વિરોધ કરી અલગ થઈ ગયા. ખાલી મુક્તાનંદ નામનો એક શિષ્ય જે સહજાનંદથી 22 વર્ષ મોટો હતો, તેમણે વિરોધ ન કર્યો એટલે સહજાનંદને રામાનંદ સ્વામીના શિષ્યોની એક ટોળકીએ પોતાના મુખ્યા તરીકે સ્વીકારી લીધા.

- Advertisement -

2 હવે લોકોએ કોઈનો વિરોધ કરેલો હોય એટલે એને ઊંચો અને મહાન બતાવવા જેમ વધુ કોશિશો થાય એમ સહજાનંદને ભગવાન નારાયણના બધા નામ આપવામાં આવ્યા. સહજાનંદે પોતાને સ્વામિનારાયણ નામ આપ્યું અને સંપ્રદાયમાં કૃષ્ણ ભક્તિ માટે કિર્તન થતા ’કૃષ્ણ કૃષ્ણ’, ’રાધે કૃષ્ણ’, ’રાધે ગોવિંદ’ વગેરે મંત્ર બંધ કરાવીને પોતાના આ સ્વામિનારાયણ નામને જ એક સર્વોપરી મંત્ર બતાવી તેનું કીર્તન શરૂ કરાવ્યું. ભગવાન કૃષ્ણનું નામ હટાવવાનો આ પહેલો મોટો પડાવ હતો. કૃષ્ણને મૂળ ઇશ્વર બતાવવા સાથે પોતાને કૃષ્ણ બતાવવાનું શરૂ થયું, અને મંત્ર સ્વામિનારાયણ જ રહ્યો. એટલે ઘેટાં સ્વામિનારાયણ મંત્ર સાથે સહજાનંદને નજરમાં રાખતા ત્યાંથી જ થઈ ગયા. આ ટોળકીને પહેલું બળ ત્યારે મળ્યું જ્યારે દાદા ખાચર નામના એક કાઠી જમીનદારને સહજાનંદ નારાયણ છે એવું ઠસાવી ભોળવવામાં આવ્યા, અને તેમની જાગીર હેઠળના 13 – 14 ગામમાં સહજાનંદને માનવાનું ચલણ વધ્યું. પણ આજે એજ સંપ્રદાયના સ્વામીઓ એ કાઠી દરબારો વિશે અપમાનજનક વાતો પોતાની કથાઓમાં કરે છે.

3 બસ, આ આખી ટોળકીનો ઇસ 1802 થી 1817 સુધી સનાતન ધર્મના લગભગ દરેક સંપ્રદાયે વિરોધ કર્યો. રામાનુજ, માધવાચાર્ય અને વિષ્ણુ માર્ગી જેવા વૈષ્ણવ સંપ્રદાયથી લઈને સૂર્ય ઉપાસક, કૂડાપંથી, કબીર પંથી, શક્તિ પૂજકો, જીવોપાસક, જૈન ધર્મી અને નાસ્તિકના માર્ગી એ તમામ હિંદુ મતોએ આ ટોળકીનો વિરોધ કર્યો. સૌથી પ્રચંડ વિરોધ નાગા બાવાઓ અને ગોરખનાથ પંથના શૈવોએ કર્યો. ઘણીવાર આ લોકોને જ્યાં દેખાય ત્યાં મારવાના કિસ્સા પણ સામે આવવા લાગ્યા. અમદાવાદના પેશ્વાએ આ ટોળકીના અમદાવાદમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો.

‘સ્વામિનારાયણ હિંદુવાદ’ વિશે અંગ્રેજીમાં પ્રથમ કૃતિ મનાય છે

- Advertisement -

વિલિયમ હોજ મિલની એજ ડાયરીમાં સહજાનંદને હિંદુ શાસ્ત્રોના અર્થઘટનોને શુદ્ધ કરી હિંદુ-ખ્રિસ્તી એકતાને જન્મ આપનારા એક સમાજ સુધારક તરીકે વર્ણવવામાં આવ્યા છે

4 ઇસ 1817 નવેમ્બરમાં પેશ્વાની અંગ્રેજો સામે હાર થઈ, અને ફેબ્રુઆરી 1818 માં અંગ્રેજોએ સહજાનંદને અમદાવાદ બોલાવ્યા. જે અંગ્રેજ અમલદારે સહજાનંદને અમદાવાદ બોલાવ્યા તે ઇડવીન આયર્નસાઇડ હતો, જે સહજાનંદને નવ વર્ષ પહેલા એટલે કે 1809 માં ખેડામાં મળી ચૂક્યો હતો જ્યાં તે પોતે મેજિસ્ટ્રેટ ઓફિસમાં હતો. આયર્નસાઇડે સહજાનંદ સામે અમદાવાદના કાલુપુરમાં મંદિર બનાવવા માટે જમીન અને ધન આપવાનો પ્રસ્તાવ મૂક્યો. સહજાનંદે એ ખુશીથી સ્વીકાર્યો. 1819 માં આયન્ર્સાઇડના ગયા પછી અમદાવાદના કલેક્ટર તરીકે જ્હોન એન્ડ્રુ ડનલોપ આવ્યા, જેમણે કાલુપુરમાં સહજાનંદી મંદિર માટે જમીન ફાળવવાની મંજૂરી બ્રિટનથી મેળવી આપી અને 1820 થી ત્યાં મંદિર નિર્માણ શરૂ થયું, જે 1823 સુધી ચાલ્યું.

5 કલેક્ટર એન્ડ્રુ ડનલોપે કાલુપુર મંદિર નિર્માણ સમયના બે વર્ષોમાં સહજાનંદ સ્વામીના જીવન અને કાર્ય વિશે એક અહેવાલ તૈયાર કર્યો, જેનું નામ હતું ’હિન્દુઓનો એક નવો સંપ્રદાય (અ ક્ષયૂ તયભિં જ્ઞર ઇંશક્ષમીત)’. ડનલોપે આ લેખિત અહેવાલને સૌથી પહેલા કલકત્તાની બિશપ કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ બનેલા વિલિયમ હોજ મિલ સાથે શેર કર્યો. કાલુપુર મંદિરના ઉદઘાટનના ચાર મહિના બાદ વિલિયમ હોજ મિલ જૂન 1822માં ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે ડનલોપે તેમને આ નિબંધ બતાવ્યો, જેની મિલે તેમની ડાયરીમાં નકલ કરી હતી, જે હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલીયન લાઇબ્રેરીમાં સચવાયેલો છે. આ આહેવાલનું 1822 માં વિસ્તૃત સંસ્કરણ બોમ્બે કુરિયરમાં અજ્ઞાતપણે પ્રકાશિત થયું હતું, જે ‘સ્વામિનારાયણ હિંદુવાદ‘ વિશે અંગ્રેજીમાં પ્રથમ કૃતિ મનાય છે. વિલિયમ હોજ મિલની એજ ડાયરીમાં સહજાનંદને હિંદુ શાસ્ત્રોના અર્થઘટનોને શુદ્ધ કરી હિંદુ-ખ્રિસ્તી એકતાને જન્મ આપનારા એક સમાજ સુધારક તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ રીતે હિન્દુ ધર્મના તમામ માન્ય સંપ્રદાયો, પંચદેવ ઉપાસકો તેમજ જૈનો દ્વારા વિરોધ અને પ્રતાડના મેળવી રહેલી સહજાનંદી ટોળકીને અમદાવાદમાં એક મંદિર બનાવડાવી આપી અને તેને હિંદુ ધર્મના એક નવા પંથ તરીકે ઓળખ આપતો પહેલો લેખ પ્રકાશિત કરી આપી સમાજમાં સ્વીકૃતિ આપવાનું કાર્ય અંગ્રેજોએ કર્યું. એ પછી અંગ્રેજોએ એ નવા પંથને એક હિંદુ જિસસનો પંથ કેવી રીતે બનાવ્યો તે આગળ સમજીએ

6 ઇસ 1823માં કાલુપુર મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું, અને તે માટે અંગ્રેજોએ 50,000 લોકોની ભીડ એકઠી કરી આપી જ્યાં સહજાનંદને હિંદુઓમાં સ્વીકૃતિ અપાવવાની અને માન્ય હિંદુ સંપ્રદાયોથી મોટા બનાવવાની કોશિશ થઈ. સહજાનંદને 200 થી વધુ અંગ્રેજ સૈનિકોની સુરક્ષા આપવામાં આવી જે હંમેશા તેમની સાથે રહેતા. આમ, એક અંગ્રેજ શાસન પ્રાયોજિત ભગવાન ઉભો કરવામાં આવ્યો, તેને હિંદુઓનો એક નવો પંથ કહેવામાં આવ્યો અને ગુલામ હિંદુ પ્રજાને તેનો રાજાઓ જેવો તાક જામ બતાવી આંજવાની કોશિશ થઈ.

ખ્રિસ્તી જિસસ જેવા એ એકમાત્ર સર્વોપરી ઇશ્વરની સંકલ્પના સહજાનંદી ટોળીમાં શરૂ થઈ

મુખ્ય પ્રપંચ : કૃષ્ણથી પુરુષોત્તમ અલગ કરવું, અને વિષ્ણુથી નારાયણ અલગ કરવું

શિક્ષાપત્રીનું પ્રપંચ

7 ઇસ 1824 માં સહજાનંદે શતાનંદ નામના બ્રાહ્મણ પાસે શિક્ષાપત્રી લખાવી જેમાં ભગવાન કૃષ્ણને જ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર કહી પોતાના આરાધ્ય કહેવામાં આવ્યા, અને ખાલી કૃષ્ણની જ આરાધ્ય રૂપે પૂજા કરવાનું કહ્યું. પણ 1825 માં કલકત્તાથી અન્ય એક પાદરી બિશપ હેબર ગુજરાત આવ્યા, અને સહજાનંદ તેમને મળવા નડિયાદ આવ્યા. સહજાનંદે વડતાલ મંદિર, તેની બાજુમાં સભાગૃહ અને હોસ્પિટલ નિર્માણ માટે પૈસા માંગ્યા. બિશપ હેબરે સહજાનંદને તેમના પંથમાં ઇશ્વરની સંકલ્પના વિશે પ્રશ્નો પૂછ્યા. ત્યાં સહજાનંદે કહ્યું કે કૃષ્ણ ઈશ્વરનો એ પ્રાચીન અવતાર છે જેની તેમનો પંથ પૂજા કરે છે, પણ એજ ઈશ્વરનો કે સૂર્યનો બીજો અર્વાચીન અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો છે. બિશપ હેબરને હજી તે પૂર્ણ રૂપે ખ્રિસ્તી સ્વરૂપ જેવું ન લાગ્યું, કારણકે ત્યાં ઇશ્વર અવતાર રૂપે ફક્ત એક જ વાર અને એક જ જિસસના સ્વરૂપે આવ્યા છે. એટલે હેબરે મંદિર માટે પૈસા આપવાની ના પાડી, પણ સભાગૃહ અને હોસ્પિટલ માટે પૈસા આપવાનું સ્વીકાર્યું. આ મુલાકાત પછી એજ વર્ષે સહજાનંદે વડતાલ મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિની બાજુમાં આશીર્વાદ આપતી મુદ્રામાં ’હરિકૃષ્ણ મહારાજ’ નામે પોતાની મૂર્તિ સ્થાપી. આજના સંપ્રદાયના સ્વામીઓના કથનો અને લખાણો મુજબ તે સમયે તેમણે કહ્યું કે જ્યારે લોકો તેમના ઇષ્ટદેવના દર્શન માટે આ મંદિરમાં આવશે ત્યારે અહીંનું સંત મંડળ તેમને ધીરે ધીરે સહજાનંદની સર્વોપરી હોવાની વાતમાં નિષ્ઠા અપાવશે.

8 આમ, અહીંથી ખ્રિસ્તી જિસસ જેવા એ એકમાત્ર સર્વોપરી ઇશ્વરની સંકલ્પના સહજાનંદી ટોળીમાં શરૂ થઈ, અને સનાતન ધર્મના તમામ વૈદિક ઈશ્વરોને તે એકમાત્ર સર્વોપરી ઇશ્વરના નીચે તેના સેવક કે નિષ્ફળ ગયેલા અવતાર તરીકે લાવવાનું શરૂ થયું. ત્યારબાદ સહજાનંદની એ ટોળકીના એ બધા નજીકના લોકોએ નવા નવા પુસ્તકો લખે રાખ્યા જેમાં સનાતન ધર્મના તમામ આરાધ્ય દેવી દેવતાઓને નીચા દેખાડતી, તેમનું વિકૃત અપમાન કરતી અને તે પોતે જ હિંદુઓ સામે આવીને પોતાને સહજાનંદના સેવક કહેતાં હોય અને હિન્દુઓને પોતાની પૂજા છોડી સહજાનંદની ઉપાસના કરવાનું કહેતા હોય તેવી કથાઓ લખાઈ. સૌથી વધુ આક્રમણ અને વિકૃત અપમાન કરાયું એ ભગવાન શિવનું જેમના શૈવ પંથી સન્યાસીઓ અને નાગા બાવાઓએ આ ટોળકીનો સૌથી આક્રમક વિરોધ કર્યો હતો. બસ, ત્યારથી આજસુધી આ સંપ્રદાયમાં જે જે ફસાયું છે કે પ્રવેશ્યું છે તે એજ વિકૃત કથાઓને હિંદુ ધર્મના શાસ્ત્રો માને છે, અને એ હિંદુ જિસસ જેવા સહજાનંદને સનાતન ધર્મનો એકમાત્ર પૂજવા યોગ્ય સર્વોપરી ઇશ્વર માને છે. એ બધા અંગ્રેજોના રમતા મુકાયેલા એ ષડયંત્રના પીડિત છે. મુખ્ય પ્રપંચ – કૃષ્ણથી પુરુષોત્તમ અલગ કરવું, અને વિષ્ણુથી નારાયણ અલગ કરવું

9 લોકો કહે છે કે સહજાનંદ સ્વામીએ જે મંદિરો બનાવ્યા એ કૃષ્ણ મંદિરો જ હતાં. શિક્ષાપત્રીમાં કૃષ્ણને જ આરાધ્ય દેવ કહેવાયા છે વગેરે. પણ એમાં એક બહુ મોટું પ્રપંચ છે. સહજાનંદે સ્થાપેલા તમામ મંદિરોમાં ક્યાંય ભગવાન વિષ્ણુનું નામ નથી, દરેક મંદિરમાં નારાયણ નામે ઇશ્વર છે, કારણકે તેમણે એ બધા મંદિરોના નિર્માણના પંદર વર્ષ પહેલાથી પોતાને જ સ્વામિનારાયણ નામ આપી દીધું હતું. અને વિષ્ણુ પંચદેવમાં હોવાથી નારાયણ નામને વિષ્ણુથી અલગ કરવાની આખી ચાલ શરૂથી તેમની ટોળકીમાં કાર્યરત હતી. બીજી બાજુ એજ કાર્ય તેમણે વૈષ્ણવ દર્શનમાં વિકૃતિ લાવવાની કોશિશ રૂપે ભગવાન કૃષ્ણ સાથે કર્યું. સનાતન ધર્મ અને વૈષ્ણવ માર્ગમાં ભગવાન કૃષ્ણ વિષ્ણુના પૂર્ણ અવતાર હોવાથી તેમને પંચદેવમાંના એક વિષ્ણુ રૂપે સીધા પરમેશ્વર તરીકે દર્શાવી શકાય છે, અને તેમની સાથે વિષ્ણુ માટે પરમેશ્વર રૂપે વપરાતા એ ’ પુરુષોત્તમ ’ શબ્દને જોડી પૂર્ણપુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. સહજાનંદી ટોળીમાં ભગવાન કૃષ્ણનો મહિમા બસ તેમનાથી આ પૂર્ણપુરુષોત્તમનું પદ છીનવવા માટે ગાવામાં આવ્યો છે.

10 સહજાનંદી ટોળી ભગવાન કૃષ્ણને એક લાઠી કે નિસરણી તરીકે ઉપયોગ કરે છે. તે પહેલા ભગવાન કૃષ્ણને સર્વોપરી ઇશ્વર, પૂર્ણપુરુષોત્તમ અને અક્ષરધામના (અવિનાશી ધામ રૂપે વૈકુંઠના) અધિપતિ કહે છે, અને પછી કહે છે કે સહજાનંદ કૃષ્ણ છે. એની સ્પષ્ટતા આપતાં તે આગળ કહે છે કે એ પુરુષોત્તમ પરમેશ્વરનો પ્રાચીન અવતાર કૃષ્ણ છે અને અર્વાચીન અવતાર સહજાનંદ છે. એટલે જ તેણે પોતે પોતાને સ્વામિનારાયણ નામ આપ્યું હતું. આ રીતે કૃષ્ણને નિસરણી બનાવી તે શીર્ષ પર ચઢે છે, અને પછી એ નિસરણીને ફેંકી દઈ તેને પોતાના નીચે કરી દે છે. એ શિક્ષાપત્રી તેમની મૂળ નિયત નથી, તે બસ એક ષડયંત્રની શરૂઆત છે, જેથી હિન્દુઓ વચ્ચે રહી શકાય અને પછી આગળની વાત કહી તે હિંદુઓને વટલાવી શકાય. આગળ આ ટોળી કહે છે કે એ પુરુષોત્તમ પરમેશ્વર સહજાનંદ છે, અને આજ સુધીના બધા અવતાર સહજાનંદના હતા. આ માટે એ વારંવાર કહેવાય છે કે સહજાનંદ સર્વોપરી છે, અને એ અવતાર નથી, એ સર્વ અવતારના અવતારી છે. એમના પૂર્વ અવતારો હિંદુ પ્રજાને જિસસ જેવા એકમાત્ર ઈશ્વર પાછળ ચાલતા ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા એકાંતિક ધર્મમાં ન ઢાળી શક્યા, એટલે સહજાનંદને એ એકમાત્ર સર્વોપરી ઇશ્વર રૂપે નીચે આવવું પડ્યું. બિલકુલ એ રીતે જેમ જીસસને ઈશ્વરનું રાજ્ય સ્થાપવા આવવું પડ્યું હતું. જેમ જીસસને દીક્ષા આપનાર જ્હોન બાપટીસ્ટ માટે કહેવાય છે કે તેણે મુખ્ય ઇશ્વર માટે માર્ગ તૈયાર કર્યો, એવું રામાનંદ સ્વામી માટે આ સહજાનંદી ટોળકીમાં કહેવાય છે. બહુ સમાન છે, બસ હિંદુ પ્રજાને છેતરવામાં આવી છે નારાયણ નામ અને ભગવાં વસ્ત્રો અને ટીકા તિલકના પ્રપંચથી.

11 આ એ બુધ્ધિહિન વિચાર પર એક તમાચો છે કે સનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિ આ ભગવા વસ્ત્રો અને ટીકા તિલકના એ બાહ્ય દેખાવમાં છે. કારણકે ભગવા વસ્ત્રો અને ટીકા તિલક વિનાના અનેક લોકો, મહાપુરુષો હિંદુ આધ્યાત્મથી ભરેલા છે અને તેમણે હિંદુ આધ્યાત્મની સમયે સમયે રક્ષા કરી છે. હિંદુ સનાતન ધર્મનું નિરાકાર ૐ થી સાકાર પંચદેવ સુધીનું શાસ્ત્રોનું અને ઉપાસ્ય દેવનું સ્વરૂપ હિન્દુત્વ છે. અને તે સ્વરૂપ પાછળ જીવાતું જીવન હિંદુ સભ્યતા છે.

You Might Also Like

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

એનિમલની મુલાકાત લેવી

એક જ પરિવારમાં ટકરાવ

TAGGED: hindu, Sanatani, swami samprday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત દરેક પરિસ્થિતિ માટે સજ્જ
Next Article હડતાળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Author

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Author

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?