બનાસકાંઠા જિલ્લામાં 24 મે સુધી ફટાકડાં ફોડવા-ડ્રોન ઉડાડવા
પર પ્રતિબંધ; સરહદી જિલ્લાઓની સ્થિતિ અંગે ઈખએ સમીક્ષા કરી
ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ: ઈમર્જન્સીને પહોંચી
વળવા એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ, રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈને જનરેટર સહિતની સુવિધા સજ્જ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ભારત-પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વનાં સ્ટેશનો પર સુરક્ષા વધારી ડોગ સ્ક્વોડ-બોમ્બ સ્ક્વોડથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે મોરચા પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે. તો સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે. હાલની સ્થિતિને લઈ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, ઈમર્જન્સીને પહોંચી વળવા એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે અને રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈને જનરેટર સહિતની સુવિધા સજ્જ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીથી લઈ ગૃહ રાજ્યમંત્રી સતત બેઠકો કરી રહ્યા છે. તેમજ આ મામલે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કરી હતી. રાજ્યમાં 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે શુક્રવારે (9 મે, 2025) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગતરોજ ગૃહમંત્રીએ જિલ્લા વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરી આવા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
- Advertisement -
મુખ્યમંત્રીએ સરહદ પર પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સરહદી કચ્છ, બનાસકાંઠા, પાટણ તથા જામનગર જિલ્લાઓ સહિત સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપવાની સાથોસાથ નાગરિકોને ભય ન રાખવા, અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આ વિસ્તારોની આસપાસ ડ્રોન ઉડાડી સંવેદનશીલ જગ્યાઓની ફોટોગ્રાફી/વીડીયોગ્રાફી કરી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓ રહેલી છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને ’નો ડ્રોન ફલાય ઝોન’ એટલે કે જિલ્લાના કોઈ પણ સ્થળે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.24-05-2025 સુધી જાહેરનામું અમલમાં રહેશે.
સરહદી જિલ્લા તરીકે પાટણ જિલ્લા કલેકટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આયોજનથી પાટણની તમામ બ્લડ બેન્કોમાં આગામી ત્રણ દિવસ સુધીમાં 6,000 જેટલા રક્તના યુનિટ એકત્ર કરી અને અગમચેતીના ભાગરૂપે સ્ટોર રાખવાની જવાબદારી તમામ બ્લડ બેંક ને આપવામાં આવી છે
રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પણ તેમના તમામ કર્મચારીઓની રજા રદ કરી ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે.
અમદાવાદ કલેકટર ઓફિસર પર સવારથી જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. સવારે આરોગ્ય વિભાગ, ફૂડ સપ્લાય વિભાગ બાદ હાલ ગઈઈ સાથે બેઠક ચાલી રહી છે.
સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ સીબી પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં 50 બેડથી વધુની 59 ખાનગી હોસ્પિટલમાં દવા, વેન્ટિલેટર સાથેના બેડ, ડોક્ટરોની ટીમ, સર્જરી માટે જરૂરી પડતા તમામ ઈક્વિપમેન્ટ સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરતી કરી દેવામાં આવી છે. જો કોઈ એવી સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આજે પાંચ વાગ્યે ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે એક બેઠક રાખવામાં આવી છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હાલ સુરતમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ સર્જાય તો તમામ હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે. હોસ્પિટલો પર રેડ ક્રોસ લગાવવા બાબતેની ચર્ચા બેઠકમાં પણ થશે.