ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચૈત્ર નવરાત્રિનાં પ્રથમ દિવસે ચોટીલા ચામુંડાધામ ખાતે હજારો માઈ ભક્તોનાં ઘોડાપુર ઉમટ્યાં હતા. ધર્મ જાગરણ આયોજિત સાડા પાચ કિમીની ડુંગર પરિક્રમામાં એક લાખથી વધુ માનવ મેદની માતાજીના જયઘોષ સાથે જોડાઈને માતાજીનાં પર્વત ફરતી પદયાત્રા પુર્ણ કરી હતી. ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા છેલ્લા પાચ વર્ષથી યાત્રાનું આયોજન કરાય છે.આ વર્ષે યાત્રા પૂર્વે ધર્મસભા યોજાઇ હતી. જેમા મહંત પરિવારના અમૃતગિરિબાપુ (ગોપીનાથ), આત્માનંદ સરસ્વતીજી,શંભૂપ્રસાદ ટુંડીયા (ઝાઝરકા), પ્રેમબાપુ (સતરંગ) સાથે નામી-અનામી સંતો અને માયાભાઈ આહિર, હેમંત ચૌહણ,સોનાલીબેન દોષી સહિતના ખ્યાતનામ કલાકારો, સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભામાં નવરાત્રીના મહાતમ્ય સાથે જીવનમાં પ્રથમ રાષ્ટ્ર, ધર્મ અને સાંસ્કૃતિક ધરોહર માટે માઈ ભક્તોને આહવાન કરેલ હતું.ચામુંડા માતાજીના જયકારા સાથે ધર્મ ધ્વજા દંડ આપી પરિક્રમાં યાત્રાનો શુભારંભ કરાવાયો હતો.
જેમા એક લાખથી વધુ માઇભક્તો જોડાયા હતા. ડુંગર ફરતે 5 કિમી જેટલી પદયાત્રા કરતા ભાવિકો માટે ઠંડા ફ્રુટ, પાણી, સરબત, સહિતની પદયાત્રીઓ માટે સુવિધા સેવાભાવી લોકો દ્વારા ઉભી કરવામાં આવી હતી. દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આ યાત્રાનાં રૂટ ઉપરનાં કાટા, કાકરા વાળા રસ્તાને કારણે નાના બાળકો અને વૃધ્ધોને તેમજ ખુલ્લા પગે શ્રધ્ધાભેર પદયાત્રા કરતા માઈ ભક્તોને હાલાકી ભોગવવી પડી હોવાની રાવ ઉઠી છે.
આગામી વર્ષે ડુંગર પરિક્રમાનો માર્ગ યોગ્ય બનાવવામાં આવે તેવી માગ માઇભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. ચોટીલા હાઇવે ઉપર આજે અડધા દિવસ સુધી ભાવિકોની ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્ર્યો સર્જાયા હતા. જેને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આરોગ્ય ટીમને એમ્બ્યુલન્સ સાથ ેતૈનાત રખાઇ હતી.
ચૈત્ર નવરાત્રિનાં પ્રથમ દિવસે ચોટીલામાં ડુંગરની એક લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા કરી
