રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમેરિકાની JAINA દ્વારા 80 લાખનું રાજકોટની પંચનાથ હૉસ્પિટલમાં 2 oxygen plants માટે અનુદાન
‘માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો આ અવસર છે’ આવા ઉચ્ચતમ ભાવો સાથે ભારતથી દૂર રહેવા છતા USAના JAINA સંસ્થાના ભાવિકોએ, ભારત દેશની કોરોના મહામારીની અતિ વિકટ પરિસ્થિતિ નિહાળી, ઓક્સિજન અને દવાઓના અભાવે અનેક જીવોને મૃત્યુ પામતા નિહાળી, હજારો ગરીબ પરિવારોની આર્થિક વિષમતાને નિહાળી તેવા દરેક પરિવારોને સહારો આપવા, તેઓને મૃત્યુના મુખથી બચાવવા માટે માનવતાના મસીહા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી 80 લાખનું અનુદાન સાથે રાજકોટની પંચનાથ હૉસ્પિટલમાં AIROX Technologies Pvt. Ltd.ના 2 oxygen plants ટુંક સમયમાં install થઈ રહ્યાં છે.

- Advertisement -
JAINA – Jain Association in north America, USAની એક એવી સંસ્થા છે, જે વષોથી North Americaના હજારો જૈનોને જોડીને જૈન ધર્મનું સંરક્ષણ કરી તેનો પ્રચાર કરવોનો પુરુષાર્થ કરે છે. જેમાં 72 જેટલાં જૈન સેન્ટર્સ જોડાયેલાં છે અને 1,50,000 જેટલાં સભ્યો છે.
8th May, 2021ના રોજ Emergency India Covid Relief Sadharmik fund and Humanitarian aidsના પ્રોગ્રામ હેઠળ JAINAના president મહેશભાઈ વાધર, હરેશભાઈ શાહ, ડૉ. જશવંતભાઈ મોદી, નિતીનભાઈ શાહ આદિની ભાવભરી વિનંતીથી અને સોનલબેન અજમેરાના પ્રયત્નથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને આચાર્ય ઉદયવલ્લભસૂરીજી મહારાજ સાહેબનું Zoom live દ્વારા JAINAના ભાવિકો માટે એક માંગલિક અને પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.


- Advertisement -
Emergency India Covid Relief Sadharmik fund and Humanitarian aids અંતર્ગત આયોજિત માંગલિક પ્રવચનમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે માતૃભૂમિ પ્રત્યે ભક્તિ અર્પણ કરવાની પ્રેરણા અને માતૃભૂમિથી દૂર રહેવા છતાં માતૃભૂમિ માટેની સદભાવના અને પરોપકારના કાર્યોની પ્રશસ્તિ એવી અંતરસ્પર્શી બની કે, એ જ સમયે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ અને રિકાબેન શાહ, વાધર ફેમિલી ફાઉન્ડેશનના મહેશભાઈ વાધર અને વર્ધમાન ચેરિટેબલ ફાઉન્ડેશનના ડૉ. જશવંતભાઈ અને ડૉ. મીરાબેન મોદીએ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાને વધાવતાં 7 લાખ dollarsનું matching fund અર્પણ કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો અને સાથે-સાથે ભાવના વ્યક્ત કરી કે અન્ય સંસ્થાઓ, ભાવિકો, જૈન centres આદિ જેટલુ અનુદાન અર્પણ કરશે એટલું જ અનુદાન સામે અમે પણ માતૃભૂમિ માટે અર્પણ કરીશું.
ભારતના કપરા સમયમાં JAINAના અમૂલ્ય સાથની એતિહાસિક સાક્ષી બનવાની મંગલ પ્રેરણા કરતાં, પરમ ગુરુદેવની પ્રેરણાથી પ્રેરિત થઈ ઉપસ્થિત અનેક જૈન સેન્ટર્સ, સંસ્થાઓ અને ભાવિકોએ પણ ભક્તિભાવે જોડાઈને પોતાનું અનુદાન જાહેર કર્યુ હતું.
JAINAનાં અનુદાન અને સદભાવનાથી ભારતની આ 13 હૉસ્પિટલમાં oxygen plant install કરવા માટે અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી 1948 beds અને 148 ICU ને સહાય મળશે.
કાલિદાસ હોસ્પિટલ- વ્યારા, સેવા Rural હોસ્પિટલ-ઝગડિયા, મદ્ રાજચંદ્ર હોસ્પિટલ-ધરમપુર, અલીપોર હોસ્પિટલ-નવસારી, જીવન જ્યોત જનરલ હોસ્પિટલ / PMS Maternity Nursing Home, કાશ્મીરની હોસ્પિટલ, ગુજરાતની હોસ્પિટલ, પંચનાથ હોસ્પિટલ-રાજકોટ, વીરાયતન, સમર્પણ હોસ્પિટલ-જામનગર,દયાનંદ હોસ્પિટલ-તલાસરી, કાંદિવલીની હોસ્પિટલ,વીરાયતન-કચ્છ Oxygen plants એ માત્ર વર્તમાન covid – 19 પરિસ્થિતિ માટે નથી પણ oxygen plants દ્વારા બીજા 15-20 વર્ષ સુધી અનેક દર્દીઓને oxygenના અભાવનું સમાધાન પ્રાપ્ત થશે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણા અને JAINA ના પુરુષાર્થથી, ઉદારહૃદયા દાતાઓના અનુદાનથી ટૂંક સમયમાં જ ભારતની રાજાણી નગરી રાજકોટમાં પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત પંચનાથ hospitalમાં oxygen generation plant શરૂ થવા જઈ રહ્યો છે એ માટે 80 લાખનું ફંડ hospitalને પ્રાપ્ત થઈ ગયું છે.
પંચનાથ hospitalના oxygen plant માટે મનુભાઈ અને રિકાબેન શાહ, મહેશભાઈ વાધર અને ડૉ. જશવંતભાઈ અને ડૉ. મીરાબેન મોદીએ 40 લાખનું અનુદાન અર્પણ કર્યુ છે અને Jain centre of Metropolitian – Washingtonના પ્રમુખ શરદભાઈ દોશીએ સંઘના ભાવિકોના સહયોગથી 40 લાખનું અનુદાન અર્પણ કર્યુ છે.
પંચનાથ હોસ્પિટલ રાહત દરે દર્દીઓની સારવાર કરે છે. પંચનાથ covid – 19 રજિસ્ટર hospital છે. પંચનાથ hospitalના પ્રમુખ દેવાંગભાઈ માંકડ અને મંત્રી મયુરભાઈ શાહ એ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવને જણાવ્યું કે, ભવિષ્યમાં અમે ગોંડલ સંપ્રદાયના સર્વ સાધુ-સાધ્વીજીઓની સર્વ પ્રકારની સેવા-સુશ્રુસા નિઃશુલ્ક કરીશું. તે માટે પૂજ્ય નમ્રમુનિની પ્રેરણાથી પ્રવીણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, મયુરભાઈ શાહ અને હિતેશભાઈ મહેતાની નિમણૂંક કરેલ છે.
પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, મંત્રી મયુરભાઈ શાહ, કોષાધ્યક્ષ ડી.વી.મહેતા, ટ્રસ્ટીઓ ડૉ. રવિરાજ ગુજરાતી, વસંતભાઈ જસાણી, મહેન્દ્રભાઈ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઈ ડોડીયા, જૈમીનભાઈ જોશી, નિરજભાઈ પાઠક, નિતીનભાઈ મણિયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઈ પટેલ આદિ સેવાભાવી ભાવિકો Hospitalના વિકાસ માટે સદાય તત્પર રહે છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી પંચનાથ હોસ્પિટલમાં શરૂ થનાર Oxygen generation plant, વર્ષો સુધી અનેક ભાવિકોને જીવનદાન અર્પણ કરવામાં સહાયરૂપ બનશે.જૈન સંત એ પંચનાથ હોસ્પિટલને અનુદાન અર્પણ કરાવી સર્વધર્મ સમભાવનું ઊંચું ઉદાહરણ સર્જેલ છે.


