By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    24 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ
    8 minutes ago
    યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ
    12 minutes ago
    ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
    21 hours ago
    મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
    21 hours ago
    અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    24 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    24 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રીલંકામાં વિઝા વગર કરી શકશો એન્ટ્રી, અન્ય 34 દેશોને પણ મંજૂરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શ્રીલંકામાં વિઝા વગર કરી શકશો એન્ટ્રી, અન્ય 34 દેશોને પણ મંજૂરી
રાષ્ટ્રીય

શ્રીલંકામાં વિઝા વગર કરી શકશો એન્ટ્રી, અન્ય 34 દેશોને પણ મંજૂરી

Khaskhabar Editor
Last updated: 2024/08/23 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

ભારતના પડોશી દેશ શ્રીલંકાએ ભારતીયોને મોટી ખુશખબરી આપી છે. શ્રીલંકન સરકારની જાહેરાત મુજબ, હવે ભારત સહિત 34 દેશોના નાગરિકો વિઝા વગર શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે. શ્રીલંકાએ આ વિઝા-ફ્રી એક્સેસ 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. આમ કરવાથી તેના પ્રવાસનને પણ હરણફાળ ગતિ મળશે.
રિપોર્ટ મુજબ શ્રીલંકન સરકારની મંત્રીમંડળે 35 દેશોને વિઝા-ફ્રી એક્સેસની સુવિધા આપવા મંજૂરી આપી છે. આ દેશોમાં ભારત, ચીન, રશિયા, અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ સામેલ છે. આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી છ મહિના માટે લાગુ કરવામાં આવી રહ્યો છે.શ્રીલંકન પ્રવાસન મંત્રાલયના સલાહકાર હરિન ફર્નાન્ડોએ વધુમાં કહ્યું કે, આ નિર્ણય કોલંબોના વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવાના પ્રયાસોનો એક ભાગ છે.

- Advertisement -

શ્રીલંકાની સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન, રશિયા, ભારત, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના પ્રવાસીઓ માટે વીઝા ફી ન લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે ફર્નાન્ડોએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં વાર્ષિક 50 લાખ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકાર આ પાંચ દેશોમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે.

મીડિયા અહેવાલોમાં શ્રીલંકાના પ્રવાસન મંત્રી હારિન ફર્નાન્ડોને ટાંકીને કહેવાયું છે કે, પહેલી ઓક્ટોબરથી શ્રીલંકાની યાત્રા કરવા માટે 35 દેશોના નાગરિકોને વિઝાની જરૂર પડવાની નથી. આ પોલિસી છ મહિના માટે લાગુ કરવામાં આવી છે. જે દેશોને આ સુવિધાનો લાભ મળવાનો છે, તેમાં ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પોલેન્ડ, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, નેપાળ, ઈન્ડોનેશિયા, રશિયા અને થાઈલેન્ડના નામ સામેલ છે. આ ઉપરાંત મલેશિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, ચેક રિપબ્લિક, ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ઑસ્ટ્રિયા, ઇઝરાયેલ, બેલારુસ, ઈરાન, સ્વીડન, દક્ષિણ કોરિયા, કતાર, ઓમાન, બહેરીન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના પાસપોર્ટ ધારકોને પણ મફત પ્રવેશ સુવિધાનો લાભ મળશે.ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના અર્થતંત્ર માટે પ્રવાસન ખૂબ જ મહત્વનું પાસું છે. આ દેશમાં વિવિધ દેશોના લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. થોડા દિવસ પહેલા શ્રીલંકામાં વિઝા-ઓન-અરાઈવલની ફીમાં વધારો કરાતો હતો, જેના કારણે વિવાદ ઉભો થયો હતો. શ્રીલંકામાં વિઝા-ઑન-અરાઈવલ સુવિધાને એક વિદેશી કંપની દ્વારા હેન્ડલ કરવામાં આવતું હતું. શ્રીલંકામાં ભારત, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના લોકો કોઈપણ ફી વગર પ્રવાસી વિઝા મેળવે છે.

ભારતીય વિદ્યાર્થીઓનો બ્રિટન તરફ મોહભંગ : સ્ટુડન્ટ વિઝા અરજી 23% ઘટી

- Advertisement -

આકરા નિયમોને કારણે બ્રિટનમાં અભ્યાસનુ આકર્ષણ વધ્યુ
વિદેશોમાં ભણવા માટે સ્ટુડન્ટ વિઝાની મંજુરીમાં ભારતીય વિદ્યાર્થીઓ મોખરે છે પણ ડેટા દર્શાવે છે કે, અન્ય દેશોમાંથી આવતા લોકો પર વધતા નિયંત્રણને કારણે ભારતના વિદ્યાર્થીઓમાં બ્રિટનની યુનિવર્સિટીમાં અભ્યાસનું આકષણ ઘટ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ઉંચી ફી મેળવતી વિવિધ યુનિવર્સિટી આવા ટ્રેન્ડથી ચિંતીત છે.

બ્રિટનની હોમ ઓફિસનો ડેટા દર્શાવે છે કે, જૂન 2024 સુધીના એક વર્ષમાં ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23 ટકા ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ ‘ગ્રેજયુએટ રૂટ વિઝા’ દ્વારા બ્રિટનમાં રહેવાની મંજુરી આપતા વિઝાની બાબતમાં ભારતીય વિદ્યાર્થીઓ મોખરે છે.
‘ગ્રેજયુએટ રુટ વિઝા’ વિદેશી વિદ્યાર્થીને ડિગ્રી મેળવ્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવાની મંજુરી આપે છે. મોટાભાગના સ્ટુડન્ટ વિઝાધારકો પર નિર્ભર પરિવારના સભ્યોને સાથે લાવવાના અધિકાર પર નિયંત્રણની પ્રારંભીક અસર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા સાથે દેખાવાની શરૂ થઈ છે. ચાલુ વર્ષથી આવું નિયંત્રણ અમલી બનાવાયું હતું.

હોમ ઓફિસના જણાવ્યા અનુસાર “જૂન 2024માં પૂરા થયેલા વર્ષે ભારતના નાગરિક હોય એવા મુખ્ય અરજદારોને 1,10,006 સ્પોન્સર્ડ સ્ટડી વિઝાની મંજુરી આપવામાં આવી હતી, જે કુલ સંખ્યાના 25 ટકા છે. જો કે, અગાઉના વર્ષની તુલનામાં તેમાં 32,687 જેટલો ઘટાડો નોંધાયો છે. 2019થી 2023ના ગાળામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિનો મોટો હિસ્સો ભારત અને નાઈજીરીયાના સ્ટુડન્ટસનો હતો.

હોમ ઓફિસના ડેટા મુજબ જૂન 2024માં ગ્રેજયુએટ રુટસ દ્વારા બ્રિટનમાં રહેવાની મંજુરી મેળવનારા વિદ્યાર્થીઓમાં ભારતીયો (67,529) મોખરે હતા. મંજુર કરાયેલા આ કેટેગરીના વિઝામાં ભારતના વિદ્યાર્થીઓનો હિસ્સો 46 ટકા હતો. એપ્રિલ-જૂન 2024ના ગાળામાં ‘હેલ્થ એન્ડ કેર વર્કર’ને અપાયેલા વિઝાની સંખ્યામાં 81 ટકા ઘટાડો નોંધાયો છે.

હોમ ઓફિસમાં માઈગ્રેશન અને નાગરિકતા મંત્રી અને મૂળ ભારતીય સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘બ્રિટનની આર્થિક વૃદ્ધિ અને દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં આ ક્ષેત્રો મહત્વના છે. હેલ્થકેરથી માંડી આઈટીમાં બ્રિટનમાં યોગ્ય ટ્રેનીંગના અભાવે વિદેશી પ્રોફેશનલ્સ પર મોટા પાયે નિર્ભર રહેવું પડે છે.

You Might Also Like

રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ

ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે

મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી

અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા

TAGGED: Sri Lanka, visa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાહન ચોરી સ્પેર પાર્ટસ વેચી નાખવાનું કૌભાંડ ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ
Next Article 33 વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

આજથી શનિ ચાલ બદલતાં 1 મહિના સુધી તમામ રાશિઓ પર જુઓ કેવી અસર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ
યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ
પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાષ્ટ્રીય

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?