ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા. 12થી તા. 14 મહાપુરુષો તથા શૂરવીરોની પ્રતિમાની આસપાસ સફાઈ અભિયાન અને પુષ્પાંજલી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે અંતર્ગત વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા શહેરના વોર્ડ નં. 5માં શ્યામજી કૃષ્ણ વર્મા ગાર્ડન ખાતે તેમજ વોર્ડ નં. 6માં સીતારામ સોસાયટીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. ત્યારબાદ ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા દ્વારા શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ભાવવંદના કરાઈ હતી. આ તકે શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ઘરોડીયા, વોર્ડના કોર્પોરેટરો તેમજ વોર્ડ સંગઠનના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભરમાં મહાપુરુષો અને શૂરવીરોની પ્રતિમાની આસપાસ સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનના માધ્યમથી દેશવાસીઓને એક તાંતણે જોડી દેશમાં સામુહિક રાષ્ટ્ર ભાવનાની જ્યોત જલાવી છે.