સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
જોકે દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઓછા લોકો ભૂખ્યા રહે છે; દેશમાં જંક ફુડનું ચલણ વધ્યું: છેલ્લા એક દાયકામાં લોકોમાં સ્થૂળતા બે ગણી થઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
સંયુકત રાષ્ટ્ર તરફથી જાહેર રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં પૌષ્ટિક ભોજન મેળવવામાં મોટાભાગનાં લોકો અસમર્થ છે. ભારતમાં દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછા લોકો ભૂખ્યા રહે છે. પણ જંકફૂડનું ચલણ વધી રહ્યું છે.
દેશની અડધાથી વધુ વસ્તી હજુ પણ સ્વસ્થ આહાર વધી લઈ રહી. ગત એક દાયકામાં સ્થૂળતાં બે ગણી થઈ ગઈ છે. સંયુકત રાષ્ટ્રની પાંચ, એજન્સીઓ તરફથી દુનિયામાં ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ ટાઈટલથી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં દેશો વચ્ચે તુલના છે. રિપોર્ટ અનુસાર ભારતમાં કુપોષણ કે ભૂખની વ્યાપકતા 2004-06 માં 21.4 ટકા વસ્તીથી ઘટીને 2021-23 માં 13.7 ટકા થઈ ગઈ છે. પરંતુ ચિંતા એ વાતની છે કે ભારતની 55.6 ટકા વસ્તી એટલે કે લગભગ 79 કરોડ લોકો 2022 માં સ્વસ્થ આહારનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ હતા.
ભૂખને શાંત કરવા માટે ચોખા અને ઘઉં જેવી ઓછા પોષણવાળી ચીજો ઘણી છે. પરંતુ ભારતમાં હજુ પણ મોટાભાગનાં લોકો પૌષ્ટીક આહાર નથી લઈ રહ્યા ફળ, શાકભાજી, પ્રોટીન અને ડેરી યુકત સ્વસ્થ આહાર મોંઘા છે. ભારતમાં સ્થુળતા પણ વધી ગઈ છે. 2012 અને 2022 દરમ્યાન સ્થુળતાનો સામનો કરી રહેલી વસ્તી 4.1 ટકાથી વધીને 7.3 થઈ ગઈ છે. ભારતમાં હવે 7 કરોડથી વધુ વયસ્કો સ્થૂળતાથી ગ્રસ્ત છે.
- Advertisement -
ભારતમાં દુનિયાનો સૌથી મોટો નિ:શુલ્ક ખાદ્ય કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત દર મહિને 81 કરોડથી વધુ લોકોને 5 કિલો અનાજ આપવામાં આવે છે. આ યોજના ફકત ભૂખ ભાંગવા સુધી સીમીત છે.