આ પુલ તોડી નવો બ્રિજ બનાવાશે
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું : તા.22-5-2024થી લઈ સાંઢિયા પુલનું નવનિર્માણ ન થઈ જાય ત્યાં સુધી જાહેરનામાનો અમલ થશે : ડાયવર્ઝન રૂટ જાહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ પર બુધવારથી તમામ વાહનો માટે પ્રવેશબંધી કરાઈ છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તા.22-5-2024થી લઈ સાંઢીયા પુલનું નવનિર્માણ ન થઈ જાય ત્યાં સુધી જાહેરનામાનો અમલ થશે. ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે. જાહેરનામામાં જણાવ્યું છે કે, સાંઢીયા પુલના ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવે છે.
હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી તરફ
ટુ-વ્હીલર વાહનો, કાર, એમ્બુલેન્સ, જેવા તમામ પ્રકારના લાઈટ વેઈટ વ્હીકલ વાહનો હોમફોર બોયઝ (પેટ્રોલ પંપ) થી ભોમેશ્વર રોડ થી ભોમેશ્વર ફાટક થી ભોમેશ્વર મંદિર થી જામનગર રોડ તરફ જઈ શકશે. (ટુ-વ્હીલર સિવાયના તમામ વાહનો માટે વન-વે રહેશે)
માધાપર ચોકડી થી હોસ્પિટલ ચોક તરફ
1. ફક્ત ટુ-વ્હીલર વાહનો ભીમેશ્વર મંદિર થી ભોમેશ્વર ફાટક થી હોમફોર બોયઝ (પેટ્રોલ પંપ) થી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. 2. થ્રી વ્હીકલ, કાર, એમ્બુલેન્સ, જેવા લાઈટ વેઈટ વ્હીકલો રેલનગર અંડર બ્રિજ થી રેલનગર મેઇન રોડ થી પોપટપરા મેઇન રોડ થી પોપટપરા નાલા માથી રેલ્વે સ્ટેશન મેઈન રોડ થી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે તેમજ માધાપર ચોકડી થી 150 ફૂટ રીંગ રોડ થી રૈયા ચોકડી થી રેષકોર્ષ થી હોસ્પિટલ ચોક તરફ જઈ શકશે. થી વ્હીકલ તથા કાર જેવા લાઈટ વેઈટ વ્હીકલો માટે એરપોર્ટ બગીચા (રેલનગર અંડર બ્રિજ ચોક) થી ભોમેશ્વર રોડ તરફ જવા માટે પ્રવેશ બંધ રહેશે. તમામ એસ.ટી. બસો માધાપર ચોકડી થી રૈયા ચોકડી થી આમ્રપાલી અંડર બ્રિજ થી એસ.ટી બસ સ્ટેશન તરફ જઈ શકશે. ભારે વાહનો અને પ્રાઈવેટ લકઝરી બસો માટે પ્રવેશ બંધીના સમય સિવાય/બાદ માધાપર ચોક થી રૈયા ચોકડી થી આમ્રપાલી અંડર બ્રિજ થી અવર-જવર કરી શકશે. તા.22/05/2024 થી સાંઢીયા પુલનો રોડ નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ થાય ત્યા સુધી આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે. ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક શિક્ષાને પાત્ર ઠરશે.
- Advertisement -
રેલનગર અંડર બ્રિજમાં ટ્રાફિકજામ થવાની સંભાવના વધશે કિમીની મહારેલી
સાંઢીયા પુલનું નવ નિર્માણ થવાનું છે ત્યારે બાઈક સહિતના વાહનોને હોસ્પિટલ ચોક જવા માટે રેલનગર બ્રિજમાંથી ડાયવર્ઝન અપાયું છે. થ્રી વ્હિલ, ફોર વ્હિલ વાહનની અવર જવર રેલનગર અંડર બ્રિજમાં વધશે તો ત્યાં ટ્રાફિક જામ થવાની સંભાવના રહેશે. રેલનગર અંડર બ્રિજની ડિઝાઇન મુજબ, ટ્રાફિકજામ થાય તો કેટલાય વાહનો ફસાઈ શકે છે. જેથી શહેર મધ્યે આવવા મુખ્યત્વે વાહન ચાલકો હવે બજરંગવાડીથી અથવા માધાપર ચોકડીથી 150 ફૂટ રિંગ રોડ તરફ આવવાનું પસંદ કરશે.