આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં સમગ્ર પક્ષ ગુજરાતમાં અરાજકતાનું વાતવરણ ઉભુ કરવા “આપ”નો પ્રયાસ
સુરતથી લઈ ને સોમનાથ સુધી આમ આદમી પાર્ટીએ કરેલા તાયફાઓને કારણે ગુજરાતની રાજનીતિ પણ બદનામ થઈ
તમાશાઓ કરી ને સહાનુભૂતિ મેળવવાની “કેજરીવાલ સ્ટાઇલ”થી હવે આખો દેશ વાકેફ 4 લોકોને ભરમાવી નહીં શકાય
આમ આદમી પાર્ટીનાં નેતા ઈસુદાન ગઢવીએ એક વીડિયો શેઅર કરી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે જે અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે 4 ગુજરાતનાં રાજકારણમાં આમ આદમી પાર્ટી આજકાલની આવી નથી. પહેલા પણ હતી વર્ષોથી છે પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તેમાં હિન્દુત્વવિરોધી 4 અરાજકતાવાદી અને વ્હાઈટકોલર ક્રિમીનલ લોકોના પ્રવેશથી રાજ્યની શાંતિ તેમજ સલામતી જોખમાઈ છે. ગુનાઇત ઈતિહાસ ધરાવતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં સમગ્ર પક્ષ ગુજરાતમાં અરાજકતાનું વાતવરણ ઉભુ કરી રહી છે. સુરતથી લઈ ને સોમનાથ સુધી આમ આદમી પાર્ટીએ કરેલા તાયફાઓને કારણે ગુજરાતની રાજનીતિ પણ બદનામ થઈ છે. આમ આદમી પાર્ટીએ શાંત, સલામત ગુજરાતને અશાંત અને ભયભીત કરી દીધું છે. આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું કલંક છે.
“આપ” નેતા ઈશુદાન ગઢવીનું કહેવું છે કે 4 મને મારી નાખવાનું ષડયંત્ર ભાજપના કેટલાક ગુંડાઓ રચ્યું હતું ભાજપના ગુંડાઓએ કેટલીક જગ્યાએ જાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. અને હુમલો કરવાના ષડયંત્ર રચી રહ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. આ પ્રકારની ઈશુદાન ગઢવીની વાત તદ્દન ખોટી છે. જૂનાગઢમાં બનેલી ઘટનાનાં વીડિયોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં લોકો જોઈ શકાય છે. જનતા મુર્ખ નથી. ઈશુદાન ગઢવીએ હવે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના અન્ય રસ્તાઓ શોધી કાઢવા વિશે મહામંથન કરવું જોઈએ. હવેનાં સમયમાં પોતાના ઉપર જ હુમલાઓ કરાવી 4 પોતાની જાન જોખમમાં છે તેવું કહી 4 અન્ય પર આક્ષેપ કરી લોકોની સહાનુભૂતિ મેળવી શકાતી નથી. પ્રજા નીર-ક્ષિરનો ભેદ પારખતી થઈ ચૂકી છે. ભાજપનાં શાસનમાં કોઈની રાજકીય રીતે હત્યા થઈ નથી અને થશે પણ નહીં. ભારતીય જનતા પક્ષ છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહ્યો છે. આ ૨૭ વર્ષોમાં ક્યારેય બની ન હોય તેવી ઘટના ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાના આગમન સમયે બની છે. આ ઘટના પાછળ કોનો પંજો હોઈ શકે એ સમજી શકાય છે.
- Advertisement -
ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે 4 જૂનાગઢમાં ત્રણ દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના આગેવાનો પર જે હુમલો થયો હતો તે ભાજપના લોકોએ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગુંડાઓએ જ કરેલો હતો. કોંગ્રેસની બી ટિમ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાર્ય કરી રહી છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને ભાજપને બદનામ કરવા સામે ચાલીને પોતાના પર હુમલાઓ કરાવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી પ્રસિદ્ધિ માટે જાણી જોઈને પોતાના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતને બિહાર જેવું ચિતરવાનું આ ષડ્યંત્ર છે. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા નિમ્ન કક્ષાની રાજનીતિ અને દાવપેચ રમીને ભાજપને પછાડવા નીકળ્યા છે 4 લોકશાહીમાં સૌને વિરોધ કે દેખાવ કરવાનો અધિકાર છે પરંતુ ભાજપને પછાડવાના ચક્કરમાં આમ આદમી પાર્ટીનાં નેતાઓ ગુજરાતની ભોળી જનતાને હથિયાર બનાવશે કે ગુજરાતમાં તોફાનો અને રમખાણો કરશે એ ચલાવી નહીં લેવામાં આવે. ઈશુદાન ગઢવીને પ્રસિદ્ધિ જોઈતી હોય તો ફરી ટીવીના પડદે ચાલ્યા જાય 4 રાજનીતિમાં પ્રસિદ્ધિ કે પદ માટે નહીં પરસેવો પાડી ને લોકસેવા અને જનકલ્યાણ માટે આવવાનું હોય છે.
ભૂતકાળમાં અરવિંદ કેજરીવાલે પણ પોતાના પર કાળી શ્યાહી કે ચપ્પલ ફેંકાવ્યા હોય અથવા તમાચાઓ મરાવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ છે. આ બધા જ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના સરળ રસ્તાઓ છે. આમ આદમી પાર્ટીનાં નેતાઓ ગુજરાતમાં પણ હવે કેજરીવાલ સ્ટાઈલથી પ્રસિદ્ધિ મેળવવા સામે ચાલીને પોતાને જ નિશાન બનાવી રહ્યા છે. ભૂતકાળમાં ગોપાલ ઈટાલીયાએ નાયબમુખ્યમંત્રીને ફોન કરી કોલ રેકોર્ડ કરેલો અને ગૃહમંત્રી ઉપર જોડું ફેકેલું. હવે તેઓ પોતાના પર હુમલા કરાવે છે. જો જૂનાગઢની ઘટનાને બાદ કરતા સોમનાથમાં આપ નેતાઓના વિરોધની વાત કરવામાં આવે તો હિંદુ ધર્મ કે સંસ્કૃતિ વિશે કોઈપણ વ્યક્તિ લોકોની લાગણી દુભાવતું કે ભાવનાને ઠેંસ પહોચાડતું બોલે છે તો તેનો વિરોધ થવો સ્વાભાવિક છે. ઈશુદાન ગઢવી ભલે વારવાર ઈશ્વરની સોંગદ ખાતા ફરે પણ બીજી તરફ તેમના સાથી ગોપાલ ઈટાલીયા જ ઈશ્વર અને હિંદુ ધર્મને ગાળો આપે છે. વળી પાછા બંને હિન્દુત્વના નામે રાજનીતિ રમવા મંદિરો-મંદિરોમાં ચક્કર લગાવે છે. ગુજરાતની પ્રજા શાણી-સમજુ છે. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા જેવા નાટકબાજો ગુજરાતમાં ક્યારેય સફળ થઈ નહીં શકે. આપ નેતાઓના હિંદુ ધર્મ અને સંસ્કૃતિ વિરુદ્ધના વિવિધ નિવેદનોને અમે પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આપનો કોઈપણ નેતા ભવિષ્યમાં હિંદુ ધર્મ કે સંસ્કૃતિ વિરુદ્ધ એકપણ શબ્દ ન બોલે તેવી સમગ્ર હિંદુસમાજ વતી ચેતવણી આપીએ છીએ એવું ભડેરી-ભારદ્વાજે અંતમાં જણાવ્યું હતું.


