રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં નવું નાળું બનશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોક ખાતે ગત ઓગષ્ટ માસમાં નાળા પરનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ આ મામલે મનપા દ્વારા જોખમી દુકાનો-ઓફિસો બંધ કરવા સહિત કામગીરી કરવામાં આવી હતી. હાલ પણ પતરાની આડશ લગાવી રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે હવે મનપા દ્વારા બોક્સ કલવર્ટ સિસ્ટમથી આ નાળું નવેસરથી બનાવવા કવાયત્ હાથ ધરવામાં આવી છે. રૂૂ. 3.87 કરોડનાં ખર્ચે આ નવું નાળું બનાવવા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
- Advertisement -
ગત ઓગષ્ટ માસમાં એક વ્યક્તિનો ભોગ લેનાર સર્વેશ્ર્વર ચોક દુર્ધટનામાં મનપા દ્વારા હવે નવેસરથી વોંકળા ઉપર સ્લેબ બનાવવા તેમજ યાજ્ઞીક રોડ ઉપરના રાજાશાહી વખતના નાળા (કલવર્ટ)ને ફરીથી બનાવવા માટે ટેન્ડર કરવામાં આવનાર છે. જેમાં મેહુલ્સ કિચનથી રોડની બીજીબાજુ નાગરિક બેંક સુધી 130 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈનું નવું નાળું બોક્સ કલવર્ટ સિસ્ટમથી બનાવવામાં આવશે. જેની ઊંચાઈ 2.5 મીટર રહેશે. આગામી બે દિવસમાં આ માટે ૠજઝ વિનાનું રૂૂ. 3.87 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં આ કામગીરી શરૂૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
સર્વેશ્ર્વર ચોકનો અંદાજે 30 વર્ષ જૂનો સ્લેબ તૂટી પડયો હતો. વોકળા ઉપરનો સ્લેબ પૂરાણો હોવાથી અકસ્માત સર્જાયા બાદ હાલ ત્યાં પતરા મારીને રસ્તા બંધ રખાયા છે. વોકળા ઉપર બનેલી ઈમારતમાં દુકાનો અને ઓફિસો પણ બંધ રખાવવામાં આવી છે. આ સ્લેબ નવો બનાવવા માટે મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને હવે ટેન્ડર કરવામાં આવનાર છે. જેમાં યાજ્ઞીક રોડ નાગરિક બેંકની ઈમારત પાસેથી નાળું ન બની જાય ત્યાં સુધી બંધ કરવો પડે તેમ હોવાથી વૈકલ્પીક રસ્તા શોધવામાં આવી રહ્યા છે. જોકે, એસ્ટ્રોન પાછળથી રસ્તો નિકળે છે અને સરદારનગરમાંથી પણ જાગનાથમાં જવા માટે ડાયવર્ઝન કાઢી શકાય તેમ છે. ત્યારે આ માટે અભ્યાસ ચાલી રહ્યો છે.
ઓગષ્ટમાં ગણપતિ ઉત્સવ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સર્વેશ્ર્વર ચોક વોકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેને લઇને તંત્ર હરકતમાં આવ્યું હતું અને આખું બિલ્ડિંગ વોકળા પર હોવાથી સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ ત્યાં અવરજવર બંધ કરવા માટે પતરા લગાવી રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાવચેતીના ભાગરૂૂપે આખું નાળું નવેસરથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.