ખાસ-ખબર સંવાદદાતા
‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ-આગેવાનો અને ખાસ કરીને ગુજરાતના કાર્યકર્તાઓમાં થનગનાટ-ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સામાજિક, આર્થિક, રાજકીય એમ ત્રણ મહત્વના ન્યાયની વાત કરવામાં આવી છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7મી માર્ચે ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 વાગ્યે પ્રવેશ કરશે.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 77 જીલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં આદરણીય રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસીક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન 6 પબ્લીક મીટીંગ, 27 કોર્નર મીટીંગ, 70 થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરાયું છે.
ગુજરાત વિધાનસભા કોગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવશે ત્યારે વિવિધ આદિવાસી સંગઠનો રાહુલ ગાંધીને મળશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની 14 જાન્યુઆરી 2024થી મણીપુર શરૂૂ થઈ હતી. આ યાત્રા 60થી વધુ દિવસોમાં 6700 કિ.મી. નો પ્રવાસ કરશે. આ યાત્રા સમગ્ર દેશના 110 જીલ્લાઓ, 15 રાજ્યોને આવરી લેશે.
- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલએ જણાવ્યું હતું કે 10 તારીખે રાહુલ ગાંધી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. વર્ષ 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઇ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો. વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ આશ્રમમાં રહ્યા હતા. વર્ષ 1936થી 1941 સુધી મહાત્મા ગાંધીજી સ્વરાજ આશ્રમમાં એક એક મહિનો રહેતા હતા. રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે અને ન્યાય માટેની લડાઈ માટે પ્રતિબદ્ધતા બતાવી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આગળ ધપાવશે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારએ જણાવ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન મહાશિવરાત્રી અને વિશ્ર્વ મહિલા દિવસ આવતા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાતની અસ્મિતા ઓળખ સમાન રાસના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગેની રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા, ઉપપ્રમુખ બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી, એન.એસ.યુ.આઈ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, કો-ક્ધવીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા, હિરેન બેંકર, ડો. અમીત નાયક, રત્નાબેન વોરા ઉપસ્થિત રહ્યાં હતાં.