By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા રાજકોટ જીલ્લાના ૧૬ ગામોમાં વિવિધ પ્રશ્ને લોકદરબાર યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા રાજકોટ જીલ્લાના ૧૬ ગામોમાં વિવિધ પ્રશ્ને લોકદરબાર યોજાયો
ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા રાજકોટ જીલ્લાના ૧૬ ગામોમાં વિવિધ પ્રશ્ને લોકદરબાર યોજાયો

Khaskhabar Editor
Last updated: 2021/06/21 at 10:51 AM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

ગામના તમામ પ્રશ્નોનો જેવાકે રોડ-રસ્તા રીપેરીંગ, સિંચાઈ, શાળા અને આંગણવાડી, પશુ દવાખાના તેમજ આરોગ્ય અને રસીકરણ અને મનરેગા સબંધિત પ્રશ્નોના હલ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના અને માર્ગદર્શન આપતા પ્રમુખ શ્રી ભૂપતભાઈ બોદર

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે સોળ(૧૬) ગામોમાં યોજાયેલ લોકદરબારમાં વિવિધ ચેકડેમ અને તળાવના રીપેરીંગ અને ઊંડા ઉતારવાના પ્રશ્નોને હલ કરવા અગત્યતા આપવામાં આવી છે અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ સ્થળ પર જ આપવામાં આવી હતી.

- Advertisement -

તારીખ ૧૮ અને ૧૯ જૂન ૨૦૨૧ના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદરે (૧) બેડલા (૨) મઘરવાડા (૩) સાઇપર (૪) ગુંદા (૫) બારવણ (૬) ચાચડીયા (૭) જામગઢ (૮) મેસવડા (૯) પારેવાળા (૧૦) કુચીયાદડ (૧૧) બામણબોર (૧૨) રામપર બેટી (૧૩) હિરાસર (૧૪) નવાગામ (બામણબોર) (૧૫) ગુંદાળા અને (૧૬) ગારીડા ગામોની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાતનો હેતુ ગામના તમામ પ્રશ્નોનો જેવાકે રોડ-રસ્તા રીપેરીંગ, સિંચાઈ, શાળા અને આંગણવાડી સબંધી પ્રશ્નો, પશુ દવાખાના તેમજ આરોગ્ય અને રસીકરણ સંબંધી પ્રશ્નો તેમજ મરેગા સબંધિત પ્રશ્નોના હલ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના અને માર્ગદર્શન આપીને ગામનો સર્વાંગી વિકાસ કરવાનો છે.

- Advertisement -

આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. સી. પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી અક્ષેશભાઈ વામજા, IRD શાખાના મનરેગા વિભાગના શ્રી મયુરભાઈ ગોંડલીયા અને શ્રી નીરવભાઈ પટેલ, પશુધન નિરીક્ષકશ્રી(ત્રંબા) મેહુલ એન રામાણી, ગ્રામ સેવક ડાયાલાલભાઈ વગેરે અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન ભરતભાઈ ગોહેલ(બેડલા), રાજાભાઈ ચાવડા(બેડી), સંજયભાઈ રંગાણી(કુવાડવા), તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભીખાભાઇ ગોવાણી(બેડલા) , ગઢકા ગામના સરપંચશ્રી કેયુરભાઈ ઢોલરીયા તેમાંજ આગેવાનો કિશોરભાઈ બોદર, નાથાભાઈ સોરાણી, સી ટી પટેલ વગેરે પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે ખાસ હાજર રહેલ હતા અને તમામ પ્રશ્નો હલ કરવામાં માટે પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સરપંચશ્રી અને ગ્રામજનોની રજુઆતને ધ્યાનમાં લઈને નવા કામોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં બેડલા ગામ ખાતે આજરોજની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી અવનીબેન રામાવત, જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન ભરતભાઈ ગોહેલ, તાલુકા પંચાયત સદસ્ય ભીખુભાઇ ચોથાભાઈ ગોવાણી, સરપંચ ભારતીબેન કિશોરભાઈ બોદાર તેમજ ગામના આગેવાનો મુળજીભાઈ બોદર, કિશોરભાઈ બોદર, ધીરુભાઈ રામાણી, નાથાભાઈ સોરાણી, દેવશંકર ચાવ, પ્રવીણભાઈ રામાણી, વીરજીભાઈ રાઠોડ, શંભુભાઈ રામાણી, દીપકભાઈ સોરાણી, અનિલભાઈ રાવળદેવ, વિઠ્ઠલભાઈ બોદર, જેન્તીભાઇ મકવાણા, દલાભાઈ મકવાણા, અરજણભાઈ બોદર, મનુભાઈ બોદર, ભાવુભાઇ સોરાણી, નારણભાઇ ગોવાણી, ફરશુરામ દેસાણી, મેહુલભાઈ રામાણી, જગદીશભાઈ બોદર, અરવિંદભાઈ પાટડીયા, બચુભાઈ રાવળદેવ, અમિતભાઇ સોરાણી, રાવજીભાઈ ધનવાલીયા, ઘનશ્યામભાઈ નારણભાઇ રાજપરા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

તેમજ મઘરવાડા ગામના અનેક પેન્ડિંગ અને નવા કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી વી કે ભટ્ટ, સરપંચ શ્રી રામજીભાઈ રાઠોડ, ગામના અન્ય આગેવાનો ધીરૂભાઈ સોજીત્રા, વશરામભાઇ રાઠોડ, દુર્ગેશ વ્યાસ, જગદીશભાઈ વ્યાસ, રૂડાભાઈ રાઠોડ, શૈલેષભાઇ ગોહેલ, રીકીનભાઈ ટોળીયા, જયેશભાઇ ટોપીયા, પીન્ટુભાઇ પાટડીયા, હિતેષભાઇ ટોપીયા, કમાભાઈ રાઠોડ, રમેશભાઈ ટોપીયા, ગિરધરભાઈ લીંબાસીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

ત્યારબાદ સાઇપર ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તલાટીમંત્રી એસ એમ રાણા, સરપંચ શ્રીમતી અરુણાબેન પરમાર, ગામના અન્ય આગેવાનો અમૃતભાઈ પરમાર, કનાભાઇ ભાંખર, દામજીભાઇ આસોદરીયા, શૈલેષભાઇ આસોદરીયા, રઘુભાઇ ટોલીયા, સુરાભાઈ સભાડ, આલાભાઈ સભાડ, પ્રેમજીભાઈ ભાખર, દિનેશભાઇ ટોલીયા, અરવિંદભાઈ ભલગામીયા, જીતેન્દ્ર આસોદરીયા, મેરાભાઈ ટોલીયા, પાંચાભાઇ ટોલીયા, મૈસુરભાઈ ટોલીયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

આ તકે ગુંદા ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી શ્રી એન એચ બગડાઈ, આચાર્ય શ્રી રંજનબેન ટાઢાણી, સરપંચ પારૂલબેન અગ્રાવત, ગામના આગેવાનો સુરેશભાઈ રૈયાણી, જીતુભાઇ રૈયાણી, બાબુભાઇ રૈયાણી, મુકેશભાઈ રૈયાણી વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

તેમજ બારવણ ગામના સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ સાથે તલાટી મંત્રી ડી કે મેઘનાથી, શાળા પ્રિન્સિપાલ કિરીટસિંહ વાળા, સરપંચશ્રી ભગવાનજીભાઈ સાકરીયા, ગામના અન્ય આગેવાનો ભગતભાઈ સાકરીયા, પાંચાભાઇ ભડાલીયા, ભગાભાઇ મકવાણા, ચોથાભાઈ સોરાણી, મગનભાઈ સાકરીયા, વિનુભાઈ સોરાણી, કેશાભાઈ મકવાણા, દેવાભાઇ સોરાણી, નાથાભાઈ ચુડા, વિઠ્ઠલભાઈ સાકરીયા, ડાહ્યાભાઈ ચુડા, મેહુલભાઈ સાકરીયા, મનસુખભાઇ મકવાણા, ગેલાભાઇ સાકરીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

ત્યારબાદ ચાચડીયા ગામના અનેક કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી કે પી વાડોલિયા, સરપંચ શ્રી નાનજીભાઈ કુમારખાણીયા, ગામના અન્ય આગેવાનો નાથુભાઈ કુમારખાણીયા, કનુભાઈ દાણીધારીયા, રાયાભાઈ કુમારખાણીયા, ભનુભાઇ, અરવિંદભાઈ કુમારખાણીયા, સંજયભાઈ કુમારખાણીયા, શંભુભાઈ કુમારખાણીયા, રમેશભાઈ કુમારખાણીયા, જયસુખભાઇ દાણીધારીયા, સંજયભાઈ કુમારખાણીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

આ તકે જામગઢની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી કે પી વાડોલિયા, સરપંચ લાડુબેન રાજાણી, ગામના અન્ય આગેવાનો ઘુસાભાઇ રાજાણી, સંજયભાઈ વાવડીયા, કુરજીભાઈ મેટડીયા વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

તેમજ મેસવડા ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જેમાં તલાટી મંત્રી વી જી ચાવડા, સરપંચ હસમુખભાઈ લીંબાસીયા, ગામના અન્ય આગેવાનો દલસુખભાઈ જાગાણી, મીઠાભાઇ, મનસુખભાઇ જાદવ વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

પારેવાળા ગામના પ્રશ્નો વિષે સ્થળ પર જ સરપંચ શ્રીમતી કંચનબેન ઘોરડીયા, તલાટી મંત્રી શિલ્પાબેન પલાળીયા, ગામના આગેવાનો જગદીશભાઈ ગોહેલ, છગનભાઇ ડાભી, ગોરધનભાઈ ગોહેલ, સુરેશભાઈ લીંબડીયા, જેન્તીભાઇ માલકિયા, મીઠાભાઇ માલકિયા, મુકેશભાઈ ડાભી, દેવાભાઇ ચાવડા, માધાભાઇ માલકિયા, દીપકભાઈ જાધવ, અરવીંદભાઈ વાળા, કિશોરભાઈ લીંબડીયા, શૈલેષભાઇ જાધવ, મગનભાઈ કુંભાણી, અરવિંદભાઈ ધોરાવીયા, જેસાભાઇ ચાવડા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

કુચીયાદડ ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી શ્રી વી જી ચાવડા, સરપંચ હરેશભાઇ આશોદરિયા, ગામના આગેવાનો ચકુભાઇ અજાણી, ભગાભાઇ અજાણી, અમરશીભાઇ મેવાસીયા, વિપુલભાઈ ચૌહાણ, વિહતુભાઇ અજાણી, મુકેશભાઈ ભટ્ટી, ભીખાભાઇ અજાણી, ચંદુભાઈ રોલેસિયા, નાથાભાઈ મકવાણા, રસિકભાઈ ડાભી, મહેશભાઈ ચૌહાણ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

બામણબોર ગામના અનેક પેન્ડિંગ અને નવા કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી વી એમ ગોયલ, સરપંચ શ્રીમતી રમાબેન રાઠોડ, ગામના અન્ય આગેવાનો શૈલેષભાઇ ગાંધી, વિપુલભાઈ રાઠોડ, હરેશભાઇ રાઠોડ, ભુપતભાઇ બાવળીયા, ભાભલુભાઈખાચર, રામુભાઇ માલા, પ્રવીણભાઈ સારદિયા, ભરતભાઈ માલા, રાજેશભાઈ ખાચર, ગભરૂભાઇ ખાચર, રાજુભાઈ ગમારા, પ્રવીણભાઈ સુસરા, ભીખુભાઇ સુસરા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

રામપર બેટી અને હિરાસર ગામના વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તલાટીમંત્રી કે બી લાવડીયા, સરપંચ શ્રીમતી જ્યોત્સ્નાબેન ભલગામડિયા, આચાર્ય નિપુપાબેન સોલંકી, ગામના અન્ય આગેવાનો ખીમજીભાઈ ભલગામડિયા, અમરશીભાઇ મીણીયા, દેવરાજભાઇ પોપટભાઈ, કાળુભાઇ સુરાભાઇ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

નવાગામ(બામણબોર)ના અનેક કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તલાટી મંત્રી એ જી વીરડા, સરપંચ શ્રીમતી માલુબેન ગમારા, ગામના અન્ય આગેવાનો જીલુભાઈ ભગાભાઇ, અમરશીભાઇ બાવળીયા, પ્રેમશીભાઈ બાવળીયા, ગોકળભાઇ આલ, વશરામભાઇ રણછોડભાઈ, ભાનુબેન શેખ, ખીમાભાઇ આલ વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

ગુંદાળા ગામના સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીઓની ટીમ સાથે તલાટી મંત્રી એ જી વીરડા, સરપંચ શ્રીમતી માલુબેન ગમારા, ગામના અન્ય આગેવાનો જીલુભાઈ ગમારા, બુટાભાઈ ગમારા, ભુપતભાઇ ગમારા, રાજાભાઈ ગમારા, ભલાભાઈ ગોરીયા, લલિતભાઈ ગોરીયા, રસિકભાઈ ગોરસાણીયા વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

ગારીડા ખાતેની મીટીંગમાં ગામની વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. આ કાર્યક્ર્મમાં તલાટી મંત્રી વી એમ ગોયલ, સરપંચ ભુપતભાઇ વાંટીયા, ઉપસરપંચ બિજલ પ્રેમજી ધાડવી, ગામના આગેવાનો સવા લીંબા વાંટીયા, વીરા લીંબા વાંટીયા, અરજણ ધમા વાંટીયા, હરેશ માવજી ધાડવી, રઘા બેચર ધાડવી વગેરેએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

આ કાર્યક્રમમાં બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે સર્વે આગેવાનો અને અધિકારીઓનો આભાર માન્યો હતો અને આવીજ રીતે લોકસેવાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી.

ભુપતભાઈ બોદર

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમવારની શરુઆત કરો વાંચીને દૈનિક રાશિફળ
Next Article 21 જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ‘covid વેક્સિન મહાઅભિયાન’ બધાને વેક્સિન, મફત વેક્સિન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?