By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    16 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    17 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    18 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    18 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    17 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    17 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor
Last updated: 2026/06/02 at 3:41 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

રાજકોટની ધરતી પર યોજાનાર બાબા બાગેશ્ર્વર – ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની કથાને લઈને સમાજમાં અને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ અને વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. જોકે અહીં ખાસ સમજવા જેવી બાબત એ છે કે, ચોતરફ જોવા મળતો વિરોધ બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાનો નહીં પરંતુ બાબા બાગેશ્ર્વર દ્વારા કથા દરમિયાન ભરાતા દિવ્ય દરબાર – પર્ચીઓ પઢવા, અકલ્પનિય દાવાઓ કરવા તેમજ ભૂત ભગાડવા ને ઘૂણાવવા મામલે થઈ રહ્યો છે. વધુમાં મોંઘવારી માર અને ઈંધણની અછત વચ્ચે આ પ્રકારના આયોજન કેટલા અંશે યોગ્ય એવા સવાલ ઉઠી રહ્યા છે. હકીકતમાં આજ સુધીમાં એકપણ વ્યક્તિએ હનુમંત કથાનો સીધો વિરોધ કર્યો નથી અને કોઈ નાસ્તિક હિંદુ કે વિધર્મી પણ એ કરી ન શકે. કોઈએ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમંત કથા નહીં કરવા દઈએ એવું કહ્યું જ નથી. વાંધો માત્ર બાબા બાગેશ્ર્વર દ્વારા કરાતા ચમત્કાર સામે છે, તેમના દ્વારા કરાતી હનુમંત કથાનું રસપાન કરવા તેમના વિરોધીઓ પણ આતુર હોય છે.
ધાર્મિક કથા, ભજન ગીત અને આધ્યાત્મિક પ્રવચનો આપણી પરંપરાનો ભાગ છે તેને રોકવાની વાત કરવી યોગ્ય ગણાય નહીં. પરંતુ જ્યારે ધાર્મિક મંચ પર અંધશ્રદ્ધા, અલૌકિક દાવાઓ અથવા અરજીના નામે ચમત્કારના પ્રદર્શન જેવી બાબતો ઉમેરાય છે ત્યારે પ્રશ્ર્નો ઊભા થવા સ્વાભાવિક છે. જોકે અહીં વિચારવા જેવી બાબત છે કે, હજારો બાબાઓમાંથી એકમાત્ર બાબા બાગેશ્ર્વરનો જ વિરોધ શા માટે? વળી, બાબા બાગેશ્ર્વર તો દેશ-દુનિયામાં દરબાર યોજે છે, ટીવીમાં આવે છે ત્યારે તેમનો વિરોધ નહીં અને રાજકોટમાં જ કેમ? જે રીતે વિચારકો કે વિવેચકોને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે, તે જ રીતે કોઈ ધાર્મિક વક્તાને સાંભળવા કે ન સાંભળવા એ જનતાનો અંગત અધિકાર છે. જો કોઈ આયોજન કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને થતું હોય તો માત્ર વૈચારિક અસંમતિના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની કે તેનો વિરોધ કરવાની માગ બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. પછી કાયદો કાયદાનું કામ કરે, પણ જો કોઈ હનુમંત કથાનો વિરોધ કરતું હોય તો તે અસ્થાને છે.
બાબા બાગેશ્ર્વરના વિરોધ પાછળ મોટેભાગે ‘ચમત્કાર’ કે ‘દિવ્ય દરબાર’ના દાવાઓને આગળ ધરવામાં આવે છે. વિજ્ઞાન અને તર્કના આધારે પ્રશ્ર્નો ઉઠાવવા એ ખોટું નથી પરંતુ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં શ્રદ્ધા એ લોકોની આંતરિક બાબત છે. સનાતન પરંપરામાં કથા અને સત્સંગનો મોટો ઈતિહાસ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ આપમેળે ત્યાં જઈને આસ્થા અનુભવતી હોય તો ત્રીજી વ્યક્તિએ તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ કાયદાકીય છેતરપિંડી કે નુકસાન સાબિત ન થાય ત્યાં સુધી કોઈની આસ્થાને અંધશ્રદ્ધાનું લેબલ લગાવીને વિરોધ કરવો એ લોકતાંત્રિક નથી.
જાહેર મંચ પરથી હજારોની મેદની વચ્ચે અને ડિજિટલ માધ્યમોમાં ચાલતા જીવંત પ્રસારણમાં વ્યક્તિના જીવન વિશે અજાણી માહિતી કહેવી, સમસ્યાઓનો ઉકેલ બતાવવો અથવા ચમત્કારિક શક્તિઓનો સંકેત આપવો.. આ બાબતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચાસ્પદ બને છે. પ્રબુદ્ધ પ્રજા માટે આવી બાબતો નાટક-ઢોંગ હોય છે અને તેઓ તેને સીધી કે આડકતરી રીતે કદાપિ સ્વીકારતા નથી. અહીં વિરોધ ભક્તિનો નહીં, પરંતુ અંધભક્તિનો થતો હોય છે. બાબા બાગેશ્ર્વરના કિસ્સામાં પણ વિરોધ હનુમંત કથાનો નહીં, દિવ્ય દરબારનો થઈ રહ્યો છે. અને આ પહેલીવાર પણ નથી. વિરોધો વચ્ચે પણ રાજકોટ નહીં તો બીજે કશે કેટકેટલાય બાબાઓના દરબાર ભરાતા રહેવાના છે. કોઈ એક કે અમુક વ્યક્તિ તેને અટકાવી-રોકી શકે તેમ નથી. તેથી બાબા બાગેશ્ર્વરનો વિરોધ કરવો એ સમય અને શક્તિની બરબાદી સિવાય બીજું કશું નથી.
રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્ર્વરની કથામાં યોજાનારા દિવ્ય દરબારને લઈને કેટલાક વર્ગોમાં વિરોધના સ્વર ઉઠ્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દાને ભાવનાત્મક નહીં પરંતુ તાર્કિક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. આજે જ્યારે યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અને ડિજિટલ દુનિયા તરફ આકર્ષાઈ રહી છે એ સમયે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જેવા વક્તાઓ પોતાની આગવી શૈલીથી લાખો યુવાનોને સનાતન સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રવાદ તરફ વાળી રહ્યા છે. વ્યસનમુક્તિ અને ગૌસેવા જેવા સામાજિક મુદ્દાઓ પર પણ તેમના મંચ પરથી સતત ભાર મૂકવામાં આવે છે. આવા આયોજનો સમાજને એકસૂત્રતામાં બાંધવાનું અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનું કામ કરે છે. બીજી તરફ આ પ્રકારના દિવ્ય ભવ્ય આયોજનમાં અરજી લગાવવાના – પર્ચા પઢવાના – ચમત્કાર બતાવવાના વિરોધ પાછળ આખીયે કથાનો વિરોધ અયોગ્ય છે. આયોજકો અને વિરોધ કરનારાઓએ મીડિયા કે સોશિયલ મીડિયામાં સામસામે આવ્યા વિના રૂબરૂ સીધો સંવાદ સાધીને મધ્યમ માર્ગ ચોક્કસ નીકાળી શકે, જેથી રાજકોટની જનતાને હનુમાનજીની કથાનો લાભ મળે.

વિરોધનો અધિકાર છે, અવરોધનો નહીં!

- Advertisement -

ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન, પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. જો કોઈ કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાને ભંગ કરતો ન હોય, હિંસા કે દ્વેષ ફેલાવતો ન હોય અને કાયદેસર પરવાનગીઓ સાથે યોજાતો હોય તો માત્ર વ્યક્તિગત અસહમતિના આધારે તેનો વિરોધ કરવો લોકશાહી ભાવનાને અનુકૂળ ગણાઈ શકે નહીં. બાબા બાગેશ્ર્વરને લાખો લોકો આધ્યાત્મિક વક્તા અને ધર્મ ગુરુ તરીકે માને છે. ઘણા લોકો તેમની કથાઓમાં ધાર્મિક શાંતિ, ભક્તિ અને જીવનમૂલ્યોનો અનુભવ કરે છે. કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સાથે સહમત ન હોવું અલગ બાબત છે પરંતુ અન્ય લોકોની આસ્થાને દબાવવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર પણ મહત્વનો છે. જો કોઈ વર્ગ બાબા બાગેશ્ર્વરના વિચારો સાથે અસહમત હોય તો તેઓ ચર્ચા, લેખન અથવા શાંતિપૂર્ણ રજૂઆત દ્વારા પોતાનો મત વ્યક્ત કરી શકે છે. કથાના આયોજકોએ કે કથામાં કરાતા ચમત્કારનો વિરોધ કરનારાઓએ મર્યાદા ચૂકવી ન જોઈએ. રાજકોટમાં યોજાનારી બાબા બાગેશ્ર્વરની હનુમંત કથા મામલે સંઘર્ષ નહીં પરંતુ સંતુલન સર્જાય એ જ સાચો માર્ગ બની શકે.

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
Next Article અમરેલીના વડીયામાં 4 શ્ર્વાને બાળકને ફાડી ખાધું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 week ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?