By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    7 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    8 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    5 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    5 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    5 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    5 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    5 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    7 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્ટેન્ડઅપ કોમેડીના નામે ગાળોવાળા શૉ માટે કોઇ નિયમો નહીં !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્ટેન્ડઅપ કોમેડીના નામે ગાળોવાળા શૉ માટે કોઇ નિયમો નહીં !
Author

સ્ટેન્ડઅપ કોમેડીના નામે ગાળોવાળા શૉ માટે કોઇ નિયમો નહીં !

Khaskhabar Editor
Last updated: 2024/07/27 at 6:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા

ગુજરાતમાં ગુજરાતી નાટકો માટે પ્રમાણપત્રના કડક નિયમો…

- Advertisement -

દર મહિને ગુજરાતના અલગ અલગ ઓડિટોરિયમમાં હાઉસફુલ સાથે અંદાજીત 60થી 70 આવા વલ્ગર શૉ યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે

ગુજરાતમાં મનોરંજન કાર્યક્રમ ઓડિટોરિયમમાં કરવો હોય અને ઓડિટોરિયમને B.U પરમીશન મળેલી હોય… છતાં પણ પોલીસ લાયસન્સ આયોજકે લેવાનું ફરજિયાત છે ! શા માટે ?

ગુજરાતમાં ખુબ સુંદર રીતે નાટ્ય પ્રવૃત્તિ ચાલી રહી છે. એક જમાનામાં ચાલતો દ્વિ અર્થીય નાટકોનો ટ્રેન્ડ વર્ષો પહેલા પુરો થઇ ચુક્યો છે. હવે ગુજરાતમાં અને મુંબઈથી આવતા 100% નાટકો સુંદર વિષયો સાથે તૈયાર થઈ રહ્યા છે. બાપ-દિકરી, મા-દીકરો અને પરિવાર સાથે બેસીને જોઇ શકે તેવા જ નાટકો હાલના સમયમાં નિર્માણ થઈ રહ્યા છે છતાં તે નાટકની સ્ક્રિપ્ટ રાજ્યના સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડમાં ફરજિયાત રજુ કરવી પડે છે. પ્રમાણપત્ર બોર્ડ તે સ્ક્રિપ્ટ જે તે તજજ્ઞોને વાંચવા મોકલે છે, વાંચ્યા પછી તજજ્ઞો તેમનો અભિપ્રાય આપે છે અને પછી જ તેના આધારે પ્રમાણપત્ર બોર્ડ પ્રથમ ત્રણ મહીના માટે જે તે નાટકના પ્રયોગ કરવા માટે મંજૂરી આપે છે. તે પછી જ નાટકના શોનું આયોજન થાય છે. એટલું જ નહીં ત્રણ મહીના પુરા થાય એટલે કોઇ જ કારણ વગર આ પ્રમાણપત્રની રિન્યુઅલની કંટાળાજનક પ્રક્રીયા પણ નિર્માતાએ કરવી પડે છે. બીજી તરફ યુવાઓ ને મોંઘી દાટ ટીકીટો વેચી સંપુર્ણ સ્ક્રિપ્ટેડ અને સ્ટેન્ડ અપ કોમેડીના નામે ચાલતા, અને ખુલ્લી અને ગંદી ગાળોથી ભરપુર શો ખુલ્લઆમ ચાલી રહ્યા છે. આવા શો માટે કોઈ પ્રમાણપત્ર ની જરૂર નથી. ! આવા શોમાં યુવાધન હજારો રૂપિયા ખર્ચીને શો હાઉસફૂલ કરી દે છે ત્યારે ખાળે ડુચા ને દરવાજા ખુલ્લા જેવો ઘાટ જોવા મળે છે.

- Advertisement -

ત્યારે નાટ્ય જગતના અનેક નિર્માતાઓ આવી વ્હાલા દવલાની નીતીથી ખુબ પરેશાન છે. રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી નાટકોને જીવાડવા ઘણી યોજનાઓ લાવે છે. જ્યારે બીજી તરફ બેરોકટોક આ પ્રકારના શો લાખો રૂપીયાની ટીકીટો વેચી નાટ્યજગતને મૃત અવસ્થામાં મુકી રહ્યા છે. આ પ્રકારના શો માટે ઓનલાઇન ટીકીટો બુક થતી હોય છે એટલે અધિકારીઓ કે સ્થાનિક પોલીસ આ વાતથી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. બીજી પણ કંટાળાજનક પ્રક્રીયા ઓડિટોરિયમમાં શો કરતા આયોજકો ભોગવી રહ્યા છે. પાકા બાંધકામ સાથેનું ઓડિટોરિયમ હોય, નગરપાલિકા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેને ઇ.ઞ. પરમીશન મળેલી હોય. ફાયર, પાણી, વિજળી, આરોગ્ય, સાઉન્ડ, પાર્કિંગ જેવી પાયાની સગવડ હોય તો જ તે જગ્યાને ઇ.ઞ. પરમીશન મળેલી હોય છે. તેમ છતાં પોલીસ પરમીશનની કંટાળાજનક, વ્યર્થ અને ખર્ચાળ પ્રક્રીયા આવા શોના આયોજકે ફરજિયાત કરવી પડે છે.

રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સંગીત નાટક અકાદમી સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અતર્ગત નાટકોને જીવાડવાનો હકારાત્મક પ્રયાસ કરતી હોય ત્યારે આ પ્રકારના નિયમો હળવા થાય તે જરૂરી છે. હાલ મુંબઈથી આવતા નાટકોના નિર્માતાઓ, ગુજરાતમાં તૈયાર થતા નાટકોના નિર્માતાઓ અને ગુજરાતના જાણીતા અયોજકોને આ સવાલ સતત મુંઝવી રહ્યો છે. સરકારે તાત્કાલિક ધોરણે નાટકોની જેમ જ આવા સ્ટેન્ડ અપ કોમેડીના નામે ચાલતા બીભત્સ શોને પ્રમાણપત્રના દાયરામાં તાત્કાલિક અસરથી લેવા જોઈએ અને કારણ વગર લેવા પડતાં પોલીસ લાઇસન્સ માંથી પણ નાટ્ય નિર્માતાઓ અને આયોજકોને મુક્તિ આપવી જોઈએ અને કોઈ પણ મંજૂરી વગર સ્ટેન્ડ અપ કોમેડીના નામે ચાલતા ગાળી ગલોચ થી ભરપૂર અને યુવા પેઢીને અસંસ્કારિતાની ખાઈમાં ધકેલતા વલ્ગર શો ને તાત્કાલિક અસરથી બંધ કરાવવા જોઈએ તેવું કલા જગત સાથે જોડાયેલા અનેક લોકો ઇચ્છી રહ્યા છે. સરકાર આ ગંભીર પ્રશ્ર્નનો ઝડપી નિકાલ લાવે તેવી સૌની લાગણી છે. સૂત્રો તરફથી મળેલ જાણકારી મુજબ આજે સાંજે પણ અમદાવાદમાં સાંસ્કૃતિક પ્રમાણપત્રના લીરા ઉડાડતો, ગાળોથી ભરપૂર આવો જ એક શો છે જેની બધી જ ટિકિટો ઓનલાઈન બુકિંગથી વેચાઈ ગઈ છે.

અમદાવાદના હૃદયસમા વિસ્તારમાં વર્ષોથી મંજૂર થયેલું એક ઓડિટોરિયમ ક્યારે બનશે..?
અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તાથી જ્હાન્વી રેસ્ટોરન્ટ તરફ જતાં ડાબી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ખુલ્લો પ્લોટ આવેલો છે. હાલ આ પ્લોટ નો વાહનોના પાર્કિંગ માટે ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ ઘણાને નહીં ખબર હોય કે આ પ્લોટ વર્ષ 1980થી 1984 દરમ્યાન અમદાવાદના મેયર રહી ચૂકેલા સ્વ. રફીયુદદીન શેખનું નામ જોડી તે વખતની સ્ટેન્ડિંગ કમિટીમાં સ્વ. રફીયુદદીન શેખ ઓડિટોરિયમ બનાવવા માટે ફાળવવામાં આવેલો છે. અંદાજિત 40 વર્ષથી આ પ્લોટ પોતાના પર સુંદર મજાનું ઓડિટોરિયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બને તેની પ્રતિક્ષા કરી રહ્યો છે. હાલ હેરિટેજની કક્ષામાં આવતો અને બ્રિટિશના જમાનામાં બનેલો શેઠ મંગળદાસ ટાઉન હોલ જર્જરિત હાલતમાં કેટલાય સમયથી બંધ છે. આ શેઠ મંગળદાસ ટાઉનહોલ સાથે દિવંગત અને હયાત કેટલાય કલાકારોની લાગણી જોડાયેલી છે. આજે પણ ફિલ્મી ઓરકેસ્ટ્રા સાથે સંકળાયેલા અનેક કલાકારો પોતાના ફ્રી સમયમાં ટાઉન હોલના બાંકડે નિયમિત મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો આ ટાઉનહોલની રોનક પાછી લાવે તેવું આ હોલ સાથે લાગણીથી જોડાયેલા અનેક કલાકારો ઇચ્છી રહ્યા છે. તેજ રીતે મૂળ રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકનું સ્વ. જયશંકર સુંદરી નાટ્ય ગૃહ હવે વિધિવત રીતે ઉપરોક્ત વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દીધું છે. હાલ આ હોલ પણ નવી પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી બંધ છે ત્યારે 40 વર્ષ પહેલા જે જગ્યા જે હેતુ માટે ફળવાયેલી છે તેનું અમલીકરણ થાય તે ખૂબ જરૂરી છે.

સિનેમા સમાચાર

ગુજરાતી સિનેમા જગતમાં લપસીના આંધણ મૂકવા પડે તેવા મજ્જાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઝમકુડી 25 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન ને આંબવાની ખૂબ નજીક છે… જય હો.

ગઇકાલે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઈશ્વર ક્યાં છે નો પ્રીમિયર શો યોજાઇ ગયો. નાના બાળકના મન માં ઈશ્વરના અસ્તિત્વ સામે ઊભા થતાં અનેક પ્રશ્ર્નોને લઈ ને સુંદર વાર્તા સાથે ગુજરાતી ફિલ્મો ના વિતેલા જમાના ના દિગ્ગજ નિર્માતા – દિગ્દર્શક સ્વ. ગોવિંદભાઇ પટેલ ના પુત્ર શ્રી હરેશ ગોવિંદભાઇ પટેલે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

કેશવ રાઠોડ ની વાર્તા અને ગોવિંદભાઇ પટેલ ની ત્રીજી પેઢી ના યુવા નિર્માતા રુચિત હરેશ પટેલ ની આ પ્રથમ ફિલ્મ છે.આ ફિલ્મમાં અનેક ફિલ્મો, નાટક અને ટેલિવીઝન શો ના અનુભવી કલાકાર ઓજસ રાવલ સહિત સ્વસ્તિક જોશી, હિમાલી ગોહિલ, જિતેન્દ્ર ઠક્કર, મૌલિક પાઠક, મેહુલકુમાર વ્યાસ, પ્રિયલ ભટ્ટ, અવંતિકા ભાટી અને જલસો કરાવે તેવા એક રોલ માં નિશિથકૂમાર બ્રહ્મભટ્ટ જેવા કલાકારો અભિનય કરી રહ્યા છે. સંગીત આપ્યું છે માસ્ટર રાણા એ. આ ફિલ્મ ગઇકાલ થી ગુજરાત ના સીનેમઘરો માં રિલીઝ થઈ ચૂકી છે.

ગુજરાતના જાણીતા કાર્યક્રમ આયોજક કનુભાઈ નાયકનું દુ:ખદ અવસાન..
ગુજરાતી રંગભૂમિના અમદાવાદ ખાતેના જાણીતા આયોજક કનુભાઈ નાયકનું ગઈ કાલે રાત્રે અમદાવાદ ખાતે અવસાન થયું છે. જેમની અંતિમ ક્રિયા આજે સવારે અમદાવાદ ખાતે કરવામાં આવી. અલ્કા આર્ટના બેનર હેઠળ કનુભાઈ એ અમદાવાદ સહિત ગુજરાત ખાતે મોટા ગજાના નાટકો અને સંગીતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરતા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરીકા સ્થાયી થયેલા. તેમના પુત્ર પ્રકાશ નાયકને ત્યાં અમદાવાદ આવેલા ત્યારે ગઇરાત્રે તેમનું દુખદ અવસાન થયું છે. ગુજરાતના કલાજગતને રંગભુમીના એક વફાદાર આયોજકની ખોટ પડી છે. ઇશ્ર્વર સદગતના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તેવી કરબધ્ધ પ્રાર્થના.

 

 

You Might Also Like

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે

TAGGED: long show, standup comedy
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસ સહિતનાં સશસ્ત્ર દળોમાં પણ અગ્નિવીરોને પ્રાધાન્ય અપાશે
Next Article ઑલિમ્પિકની આરપાર ‘વધુ ઝડપ, વધુ ઊંચાઈ, વધુ તાકાત સંગાથે…’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?