By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 day ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    1 day ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    1 day ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    1 day ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    1 day ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    3 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પતિએ કહ્યું હતું, અયોધ્યાથી પાછો ન આવું તો બીજા લગ્ન કરી લેજે: ભાવનાબેન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પતિએ કહ્યું હતું, અયોધ્યાથી પાછો ન આવું તો બીજા લગ્ન કરી લેજે: ભાવનાબેન
ગુજરાતજુનાગઢ

પતિએ કહ્યું હતું, અયોધ્યાથી પાછો ન આવું તો બીજા લગ્ન કરી લેજે: ભાવનાબેન

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 2:24 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

પ્રેમ તો સફળ થયો પણ પતિનું અકાળે નિધન થયું, પરંતુ મક્કમ મને ફરી રાજકારણમાં પગ માંડનાર ભાવનાબેન હિરપરાની ખાસ-ખબર સાથે વિશેષ મુલાકાત

ભાવનાબેન જીતુભાઇ હિરપરા કે તેવો રાજકારણ વિશે કશું જાણતા ન હતાં. તેના પરિવારમાં પણ ખાસ કોઇ રાજકારણમાં ન હતું. પરંતુ જૂનાગઢનાં વડાલ ગામનાં જીતુભાઇ હિરપરા સાથે પ્રમે થયો. અનેક સંઘર્ષ બાદ બન્નેનાં લગ્ન થયા. લગ્ન બાદ પ્રથમ વખત વડાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા અનામતની બેઠક ઉપર ચૂંટણી લડ્યાં. વડાલ છોડ્યાં બાદ રાજકારણથી પણ દુર થઇ ગયા હતાં અને આરએસએસની ભગીની સંસ્થા રાષ્ટ્ર સેવિકા સમિતિનાં કાર્યમાં લાગી ગયા હતાં. આ દિવસોમાં ભાવનાબેનનાં પતિ જીતુભાઇ હિરપરા ભાજપમાં સક્રિય હતાં. શહેર ભાજપ પમુખ અને બાદ જૂનાગઢનાં મેયર બન્યાં હતાં. પરંતુ 2018નાં ફેબ્રુઆરી મહિનાની 27 તારીખની સવાર હિરપરા પરિવાર માટે કાળ બનીને આવી હતી. સવારનાં જીતુભાઇ અને ભાવનાબેન વાડીએ જતા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં જીતુભાઇનું નિધન થયું. આ સવાર આજ સુધી ભાવનાબેન ભુલ શક્યા નથી. પ્રેમમાં તો સફળ થયા પરંતુ પતિનાં અકાળે નિધનથી ભાગે પડ્યાં હતાં. પરંતુ પતિ પાસેથી મળેલું જ્ઞાન અને પ્રેરણાથી આગળ વધ્યા અને ફરી રાજકારણમાં મક્કમ મને આવ્યાં. પતિને જ ગુરૂ, માર્ગદર્શક માનનાર ભાવનાબેન હિરપરાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…

- Advertisement -

લગ્ન પછી પ્રથમ વખત વડાલ પંચાયતની ચૂંટણી લડ્યાં: પતિનાં નિધન બાદ ફરી રાજકારણમાં ડગ માંડ્યા

જૂનાગઢનાં વિકસીત એવા વડાલ ગામમાં 9 એપ્રિલ 1969નાં ભાવનાબેનનો જન્મ થયો. પ્રાથમીક અને માધ્યમીક શિક્ષણ પ્રાપ્ય કર્યું. આ સમયે ગામનાં સંસ્કારી યુવાન એવા જીતુભાઇ હિરપરા સાથે લવ થયો. બસ આ વાતની પરિવારજનોને જાણ થઇ ગઇ અને અભ્યાસ પર બ્રેક લાગી ગઇ. જીતુભાઇ હિરપરાનાં પરિવાર જતો રાજી હતા પરંતુ ભાવનાબેનનાં પરિવારમાંથી કેટલીક અડચણો હતી. છ વર્ષ પ્રેમ રહ્યો પરંતુ મળી શક્યાં ન હતાં. પરંતુ એક દિવસ સોનાનો સુરજ ઉગિયો અને ભાવનાબેન અને જીતુભાઇ હિરપરાનાં લગ્ન પરિવાર મરજીથી થયા. પ્રેમ લગ્ન અને રાજકારણની સફર અંગે ભાવનાબેન હિરપરાએ કહ્યું હતું કે,અમારા બન્ને છ વર્ષ પ્રેમ રહ્યો. આ દરમિયાન અમે મળી શક્તા ન હતાં. પરંતુ તેમનાં પરિવારનો પુરતો સહયોગ હતો. તેના માતા મને પ્રેમ પત્ર આપી જતા હતાં. આ રીતે પ્રેમ આગળ વધતો હતો. તેમજ તેમની વાડીનાં મરચા પણ અમારા ઘરમાં કોઇ ખરીદતું ન હતું. તેના નામથી કોઇને શેરીમાં પણ આવવા દેતા ન હતાં. આ દિવસોમાં રામ મંદિરને લઇ આંદોલન ચાલતું હતું. ત્યારે એક વખત મને મળ્યાં અને કહ્યું કે. હું અયોધ્યા જાવ છું.અયોધ્યાથી પાછો ન આવું તો બીજા સાથે લગ્ન કરી લેજે.તેમજ અમારા પ્રેમની પરિવારને જાણ થતા ધોરણ 12 પછી અભ્યાસ બંધ થયો હતો. પ્રેમમાં દુ:ખ અને સંઘર્ષનાં દિવસો વિતી ગયા એક દિવસ એવો આવ્યો કે પરિવાર લગ્ન માટે રાજી થયા અને બન્નેનાં લગ્ન થયા. લગ્ન બાદ સાસરે આવ્યા. ત્યારે વડાલ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી.જેમાં મહિલા અનામત હોય હું ચૂંટણી લડી હતી.

પ્રેમનાં કારણે ધોરણ 12 પછી ભણી ન શક્યા, લગ્ન પછી પતિએ કકઇ સુધી અભ્યાસ કરાવ્યો

- Advertisement -

બાદ અમે જૂનાગઢ રહેવા માટે આવી ગયા અને હું રાજકારણથી દુર થઇ ગઇ. આરએસએસની ભગીની સંસ્થા રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાઇ. કેમ કે મારા પતિ આરએસએસનાં કાર્યક્રતા હતાં. એટલું હું જૂનાગઢમાં 1995થી રાષ્ટ્ર સેવિકા સમિતીમાં જોડાય. વર્ષ 1998થી 2001 સુધી નગર કાર્યવાહીકાનું દાયિત્વ નિભાવ્યું. 2015-16માં જિલ્લા કાર્યવાહિકાનું દાયિત્વ નિભાવ્યું. હાલ વિભાગમાં સંપર્ક પ્રમુખ છું.તેમજ જૂનાગઢ આવ્યા બાદ અધુરો રહેલો અભ્યાસ આગળ વધાર્યો. મારા પતિએ ફરી અભ્યાસ માટે આગળ વધવા કહ્યું. બહાઉદીન કોલેજમાં સંસ્કૃતમાં બીએ કર્યું. બાદ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો. સંતાનો અને હું સાથે અભ્યાસ કરતા હતાં. આ દિવસોમાં મારા પતિ જૂનાગઢના મેયર બન્યાં. પરંતુ જેમ સવાર સોનાની ઉગી હતી. તેમ એક સવાર કોઇ દિવસ ભુલી ન શકાય તેવી ઉગી હતી. 27 ફેબ્રુઆરી 2018નાં વહેલી સવારે ભેંસાણ રોડ ઉપર આવેલી અમારી વાડીએ અમે બન્ને જતા હતાં અને અકસ્માત થયો. જેમા મારા પતિનું નિધન થયું. એ સવારે શું થયું તે ખબર જ ન પડી. પરંતુ ભાન થયું ત્યારે મારા ગુરૂ,માર્ગદર્શક જેવા પતિ ગુમાવી દીધા હતાં. બે સંતાનોનો જવાબદારી મારા પર આવી પડી હતી. સંતાનો માટે તેમને જોયેલા સપનાઓ મને અધુરા લાગવા લગ્યા. મને કોઇ દિવસ એકલી ન મુકનાર મને એકલી મુકીને જતા રહ્યાં. સમય વિતી ગયો.સમય કોઇની રાહ જોતો નથી. પરંતુ તેમના સહવાસથી મળેલું જ્ઞાન અને પ્રરેણાથી ફરી રાજકારણમાં આવી. ભાજપે મારા પર વિશ્ર્વાસ મુક્યો અને હું કોર્પોરેટર બની.મનપામાં કાયદો અને ન્યાય સમિતિનાં ચેરમેન તેમજ વર્તમાનમાં ભુગર્ભ ગટર યોજનાનાં ચેરમેન છું. સંઘર્ષ અને મહેનતથી બન્ને સંતાનોનાં લગ્ન કરાવ્યાં. મારા પતિની ઇચ્છા મુજબ બન્ને સંતાનોનાં લગ્ન કરાવ્યાં. જીવનમાં સૌથી મોટો અફસોસ મારા પતિનું નિધન છે. તેમને મને ખુબ જ ખુશ રાખતા. ફરવા જતા. ફરવા જતા ત્યારે દરેક જગ્યાની ફોટો લેતા અને કહેતા આ આપડી છેલ્લી મુલાકાત પણ હોય શકે. તેવો નિયમીત ડાયરી લખતા હતાં. 26 તારીખની રાત્રીનાં ડાયરીમાં છેલ્લી નોંધ કરી હતી. પુત્રનાં લગ્ન માટે વજન પણ ઘટાડ્યું હતું. અમરનાથમાં આસ્થા રાખતા હતાં. જીવનનો સૌથી મોટો અફસોસ મારા પતિનું નિધન છે. ત્યારે હું સાથે હોવા છતા કંઇ કરી ન શકી.

એ ગોઝારી સવાર આજે પણ ભુલી શકાતી નથી: પતિની ઇચ્છા મુજબ બન્ને સંતાનનાં લગ્ન કરાવ્યાં

ઇશ્ર્વરમાં અખુટ શ્રદ્ધા, વાંચન-ફરવાનો શોખ
ભાવનાબેન હિરપરા ઈશ્ર્વરમાં અખુટ શ્રધ્ધાં ધરાવે છે. તેમણે કહ્યું હતું કેે, ઇશ્ર્વરમાં શ્રધ્ધા વિના જીવન શકય નથી. મારા પતિ પણ ઇશ્ર્વર ઉપર ખુબ જ વિશ્ર્વાસ રાખતા હતાં. તેઓ હંમેશા કહેતા તેના ઉપર છોડી દેવાનું બધુ સારુ થશે. તેમજ વાંચન અને ફરવાનો શોખ છે અને જિવનમાં પરિવાર પહેલા. કોઇ પણ કામ હોય પરિવારની ચિંતા કરતાં રહેવાનું.

પાર્ટીનાં આદેશ મુજબ કામ કરીશ
ભાજપમાં વિધાનસભાની ચૂંટણીમાં મહિલાને ટીકીટ આપવાની વાત સામે આવી બાદ ભાવનાબેન હિરપરાનાં નામને પણ ચર્ચા થવા લાગી છે. આ અંગે ભાવનાબેન હિરપરાએ કહ્યું હતું કે,ભાજપમાં કોઇ પણ જવાબદારી આપશે તેને નિષ્ઠાથી નિભાવી. પાર્ટીનાં આદેશ મુજબ દરેક કાર્ય કરી. કોઇ પણ ઉમેદવાર હોય તેને જીતાવડવા મહેનત કરવાની જ હોય.

ભવિષ્યમાં પતિનાં અધુરાં કાર્યો પૂરા કરવાનો લક્ષ્યાંક : ભાવનાબેન હિરપરા
ભાવનાબેન રાજકીય જવાબદારી ઉપરાંત જીતુભાઇ હિરપરા મેમોરીયલ ટ્રસ્ટનાં ચેરમેન, સેવા ફાઉન્ડેશનનાં વાઇસ ચેરમેન તેમજ અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે. રાષ્ટ્રી સેવિકા સમિતિમાં કાર્યરત છે. તેમણે ભવિષ્યનાં લક્ષ્યાંક અંગે કહ્યું હતું કે,જૂનાગઢમાં મારા પતિનાં અધુરા કાર્યો છે તે પુરા કરવાં છે. રાજકીય જવાદારી મળે અને હજુ રાજકારણમાં આગળ જાવ ત્યારે મારા પતિનાં અધુરા કાર્યો પુરા કરવા છે. હાલ પણ અમારા વોર્ડમાં કરોડોનાં વિકાસનાં કામ કર્યાં છે.

You Might Also Like

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

હળવદમાં ખોદકામ: કોન્ટ્રાક્ટરની અણઆવડતે વેપારીઓ-રહેવાસીઓને બાનમાં લીધા

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

TAGGED: bhavnabenhirpara, BJP, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડથી આગળ નિકળી ગયો વિરાટ, બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ
Next Article શિક્ષા મંડલ : ગંદા હૈ પર ધંધા હૈ યે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

હળવદમાં ખોદકામ: કોન્ટ્રાક્ટરની અણઆવડતે વેપારીઓ-રહેવાસીઓને બાનમાં લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?