પ્રેમ તો સફળ થયો પણ પતિનું અકાળે નિધન થયું, પરંતુ મક્કમ મને ફરી રાજકારણમાં પગ માંડનાર ભાવનાબેન હિરપરાની ખાસ-ખબર સાથે વિશેષ મુલાકાત
ભાવનાબેન જીતુભાઇ હિરપરા કે તેવો રાજકારણ વિશે કશું જાણતા ન હતાં. તેના પરિવારમાં પણ ખાસ કોઇ રાજકારણમાં ન હતું. પરંતુ જૂનાગઢનાં વડાલ ગામનાં જીતુભાઇ હિરપરા સાથે પ્રમે થયો. અનેક સંઘર્ષ બાદ બન્નેનાં લગ્ન થયા. લગ્ન બાદ પ્રથમ વખત વડાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા અનામતની બેઠક ઉપર ચૂંટણી લડ્યાં. વડાલ છોડ્યાં બાદ રાજકારણથી પણ દુર થઇ ગયા હતાં અને આરએસએસની ભગીની સંસ્થા રાષ્ટ્ર સેવિકા સમિતિનાં કાર્યમાં લાગી ગયા હતાં. આ દિવસોમાં ભાવનાબેનનાં પતિ જીતુભાઇ હિરપરા ભાજપમાં સક્રિય હતાં. શહેર ભાજપ પમુખ અને બાદ જૂનાગઢનાં મેયર બન્યાં હતાં. પરંતુ 2018નાં ફેબ્રુઆરી મહિનાની 27 તારીખની સવાર હિરપરા પરિવાર માટે કાળ બનીને આવી હતી. સવારનાં જીતુભાઇ અને ભાવનાબેન વાડીએ જતા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં જીતુભાઇનું નિધન થયું. આ સવાર આજ સુધી ભાવનાબેન ભુલ શક્યા નથી. પ્રેમમાં તો સફળ થયા પરંતુ પતિનાં અકાળે નિધનથી ભાગે પડ્યાં હતાં. પરંતુ પતિ પાસેથી મળેલું જ્ઞાન અને પ્રેરણાથી આગળ વધ્યા અને ફરી રાજકારણમાં મક્કમ મને આવ્યાં. પતિને જ ગુરૂ, માર્ગદર્શક માનનાર ભાવનાબેન હિરપરાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…
- Advertisement -
લગ્ન પછી પ્રથમ વખત વડાલ પંચાયતની ચૂંટણી લડ્યાં: પતિનાં નિધન બાદ ફરી રાજકારણમાં ડગ માંડ્યા
જૂનાગઢનાં વિકસીત એવા વડાલ ગામમાં 9 એપ્રિલ 1969નાં ભાવનાબેનનો જન્મ થયો. પ્રાથમીક અને માધ્યમીક શિક્ષણ પ્રાપ્ય કર્યું. આ સમયે ગામનાં સંસ્કારી યુવાન એવા જીતુભાઇ હિરપરા સાથે લવ થયો. બસ આ વાતની પરિવારજનોને જાણ થઇ ગઇ અને અભ્યાસ પર બ્રેક લાગી ગઇ. જીતુભાઇ હિરપરાનાં પરિવાર જતો રાજી હતા પરંતુ ભાવનાબેનનાં પરિવારમાંથી કેટલીક અડચણો હતી. છ વર્ષ પ્રેમ રહ્યો પરંતુ મળી શક્યાં ન હતાં. પરંતુ એક દિવસ સોનાનો સુરજ ઉગિયો અને ભાવનાબેન અને જીતુભાઇ હિરપરાનાં લગ્ન પરિવાર મરજીથી થયા. પ્રેમ લગ્ન અને રાજકારણની સફર અંગે ભાવનાબેન હિરપરાએ કહ્યું હતું કે,અમારા બન્ને છ વર્ષ પ્રેમ રહ્યો. આ દરમિયાન અમે મળી શક્તા ન હતાં. પરંતુ તેમનાં પરિવારનો પુરતો સહયોગ હતો. તેના માતા મને પ્રેમ પત્ર આપી જતા હતાં. આ રીતે પ્રેમ આગળ વધતો હતો. તેમજ તેમની વાડીનાં મરચા પણ અમારા ઘરમાં કોઇ ખરીદતું ન હતું. તેના નામથી કોઇને શેરીમાં પણ આવવા દેતા ન હતાં. આ દિવસોમાં રામ મંદિરને લઇ આંદોલન ચાલતું હતું. ત્યારે એક વખત મને મળ્યાં અને કહ્યું કે. હું અયોધ્યા જાવ છું.અયોધ્યાથી પાછો ન આવું તો બીજા સાથે લગ્ન કરી લેજે.તેમજ અમારા પ્રેમની પરિવારને જાણ થતા ધોરણ 12 પછી અભ્યાસ બંધ થયો હતો. પ્રેમમાં દુ:ખ અને સંઘર્ષનાં દિવસો વિતી ગયા એક દિવસ એવો આવ્યો કે પરિવાર લગ્ન માટે રાજી થયા અને બન્નેનાં લગ્ન થયા. લગ્ન બાદ સાસરે આવ્યા. ત્યારે વડાલ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી.જેમાં મહિલા અનામત હોય હું ચૂંટણી લડી હતી.
પ્રેમનાં કારણે ધોરણ 12 પછી ભણી ન શક્યા, લગ્ન પછી પતિએ કકઇ સુધી અભ્યાસ કરાવ્યો
- Advertisement -
બાદ અમે જૂનાગઢ રહેવા માટે આવી ગયા અને હું રાજકારણથી દુર થઇ ગઇ. આરએસએસની ભગીની સંસ્થા રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાઇ. કેમ કે મારા પતિ આરએસએસનાં કાર્યક્રતા હતાં. એટલું હું જૂનાગઢમાં 1995થી રાષ્ટ્ર સેવિકા સમિતીમાં જોડાય. વર્ષ 1998થી 2001 સુધી નગર કાર્યવાહીકાનું દાયિત્વ નિભાવ્યું. 2015-16માં જિલ્લા કાર્યવાહિકાનું દાયિત્વ નિભાવ્યું. હાલ વિભાગમાં સંપર્ક પ્રમુખ છું.તેમજ જૂનાગઢ આવ્યા બાદ અધુરો રહેલો અભ્યાસ આગળ વધાર્યો. મારા પતિએ ફરી અભ્યાસ માટે આગળ વધવા કહ્યું. બહાઉદીન કોલેજમાં સંસ્કૃતમાં બીએ કર્યું. બાદ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો. સંતાનો અને હું સાથે અભ્યાસ કરતા હતાં. આ દિવસોમાં મારા પતિ જૂનાગઢના મેયર બન્યાં. પરંતુ જેમ સવાર સોનાની ઉગી હતી. તેમ એક સવાર કોઇ દિવસ ભુલી ન શકાય તેવી ઉગી હતી. 27 ફેબ્રુઆરી 2018નાં વહેલી સવારે ભેંસાણ રોડ ઉપર આવેલી અમારી વાડીએ અમે બન્ને જતા હતાં અને અકસ્માત થયો. જેમા મારા પતિનું નિધન થયું. એ સવારે શું થયું તે ખબર જ ન પડી. પરંતુ ભાન થયું ત્યારે મારા ગુરૂ,માર્ગદર્શક જેવા પતિ ગુમાવી દીધા હતાં. બે સંતાનોનો જવાબદારી મારા પર આવી પડી હતી. સંતાનો માટે તેમને જોયેલા સપનાઓ મને અધુરા લાગવા લગ્યા. મને કોઇ દિવસ એકલી ન મુકનાર મને એકલી મુકીને જતા રહ્યાં. સમય વિતી ગયો.સમય કોઇની રાહ જોતો નથી. પરંતુ તેમના સહવાસથી મળેલું જ્ઞાન અને પ્રરેણાથી ફરી રાજકારણમાં આવી. ભાજપે મારા પર વિશ્ર્વાસ મુક્યો અને હું કોર્પોરેટર બની.મનપામાં કાયદો અને ન્યાય સમિતિનાં ચેરમેન તેમજ વર્તમાનમાં ભુગર્ભ ગટર યોજનાનાં ચેરમેન છું. સંઘર્ષ અને મહેનતથી બન્ને સંતાનોનાં લગ્ન કરાવ્યાં. મારા પતિની ઇચ્છા મુજબ બન્ને સંતાનોનાં લગ્ન કરાવ્યાં. જીવનમાં સૌથી મોટો અફસોસ મારા પતિનું નિધન છે. તેમને મને ખુબ જ ખુશ રાખતા. ફરવા જતા. ફરવા જતા ત્યારે દરેક જગ્યાની ફોટો લેતા અને કહેતા આ આપડી છેલ્લી મુલાકાત પણ હોય શકે. તેવો નિયમીત ડાયરી લખતા હતાં. 26 તારીખની રાત્રીનાં ડાયરીમાં છેલ્લી નોંધ કરી હતી. પુત્રનાં લગ્ન માટે વજન પણ ઘટાડ્યું હતું. અમરનાથમાં આસ્થા રાખતા હતાં. જીવનનો સૌથી મોટો અફસોસ મારા પતિનું નિધન છે. ત્યારે હું સાથે હોવા છતા કંઇ કરી ન શકી.
એ ગોઝારી સવાર આજે પણ ભુલી શકાતી નથી: પતિની ઇચ્છા મુજબ બન્ને સંતાનનાં લગ્ન કરાવ્યાં
ઇશ્ર્વરમાં અખુટ શ્રદ્ધા, વાંચન-ફરવાનો શોખ
ભાવનાબેન હિરપરા ઈશ્ર્વરમાં અખુટ શ્રધ્ધાં ધરાવે છે. તેમણે કહ્યું હતું કેે, ઇશ્ર્વરમાં શ્રધ્ધા વિના જીવન શકય નથી. મારા પતિ પણ ઇશ્ર્વર ઉપર ખુબ જ વિશ્ર્વાસ રાખતા હતાં. તેઓ હંમેશા કહેતા તેના ઉપર છોડી દેવાનું બધુ સારુ થશે. તેમજ વાંચન અને ફરવાનો શોખ છે અને જિવનમાં પરિવાર પહેલા. કોઇ પણ કામ હોય પરિવારની ચિંતા કરતાં રહેવાનું.
પાર્ટીનાં આદેશ મુજબ કામ કરીશ
ભાજપમાં વિધાનસભાની ચૂંટણીમાં મહિલાને ટીકીટ આપવાની વાત સામે આવી બાદ ભાવનાબેન હિરપરાનાં નામને પણ ચર્ચા થવા લાગી છે. આ અંગે ભાવનાબેન હિરપરાએ કહ્યું હતું કે,ભાજપમાં કોઇ પણ જવાબદારી આપશે તેને નિષ્ઠાથી નિભાવી. પાર્ટીનાં આદેશ મુજબ દરેક કાર્ય કરી. કોઇ પણ ઉમેદવાર હોય તેને જીતાવડવા મહેનત કરવાની જ હોય.
ભવિષ્યમાં પતિનાં અધુરાં કાર્યો પૂરા કરવાનો લક્ષ્યાંક : ભાવનાબેન હિરપરા
ભાવનાબેન રાજકીય જવાબદારી ઉપરાંત જીતુભાઇ હિરપરા મેમોરીયલ ટ્રસ્ટનાં ચેરમેન, સેવા ફાઉન્ડેશનનાં વાઇસ ચેરમેન તેમજ અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે. રાષ્ટ્રી સેવિકા સમિતિમાં કાર્યરત છે. તેમણે ભવિષ્યનાં લક્ષ્યાંક અંગે કહ્યું હતું કે,જૂનાગઢમાં મારા પતિનાં અધુરા કાર્યો છે તે પુરા કરવાં છે. રાજકીય જવાદારી મળે અને હજુ રાજકારણમાં આગળ જાવ ત્યારે મારા પતિનાં અધુરા કાર્યો પુરા કરવા છે. હાલ પણ અમારા વોર્ડમાં કરોડોનાં વિકાસનાં કામ કર્યાં છે.