By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    1 day ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    1 day ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    2 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    23 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    23 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    23 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    23 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    23 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    1 day ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ

Khaskhabar Editor
Last updated: 2022/10/31 at 5:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

મોરબી હોનારત માનવસર્જીત

ઓરેવાના MD જયસુખ પટેલે 26મીએ કહ્યું હતું કે બ્રિજને 10 વર્ષ સુધી ઊંની આંચ નહીં આવે!

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં મચ્છુ નદી પરના હેન્ગિંગ બ્રિજનું રિનોવેશન જાણીતી કંપની ઓરેવાએ હજી હમણાં જ 2 કરોડના ખર્ચે કર્યું હતું. જ્યારે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો તેના પાંચ જ દિવસમાં આ બ્રિજ તૂટી પડ્યો અને 141 મોત થયા છે. મૃત્યુઆંક હજી પણ વધી શકે છે કારણ કે પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુના પાણીમાં ગરકાવ થયાનું મનાય છે. આ પુલ તૂટવાની ઘટના હકીકતમાં ઓરેવાના માથે કાળી ટીલી સમાન પૂરવાર થઈ છે. જ્યારે આ હોનારત બાદ ઓરેવાના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

2 કરોડમાં ઓરેવાએ રિનોવેટ કરેલો મોરબીનો બ્રિજ 5 દિવસમાં તૂટ્યો

- Advertisement -

પાલિકાના વેરિફિકેશન કે મજબૂતાઈના સર્ટિફિકેટ વિના જ હેન્ગિંગ બ્રિજને પોતાની જાતે ખુલ્લો મૂકી દેતાં ઓરેવાનાં જયસુખભાઈ પટેલ, તેમની દીકરી એલિસ, દીકરો ચિંતન સહિતનાં દેખાય છે. આ પ્રસંગે જયસુખ પટેલે પત્રકારો સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે પુલ એટલો મજબૂત છે કે આગામી આઠથી દસ વર્ષ સુધી એને કંઈ નહીં થાય… પરંતુ પુલ તો માત્ર 5 દિવસમાં જ ધ્વસ્ત થઈ ગયો. ત્યારે આ સમગ્ર જઘન્ય હત્યાકાંડના દોષિત જયસુખ પટેલ સામે પગલાં લેવા જરૂરી બન્યા છે.

સ્પેશિયાલિસ્ટ કંપનીના મટીરિયલનો ઉપયોગ કર્યો હતો: જયસુખ પટેલ
ઓરેવાનાં ખઉ જયસુખ પટેલે આ પુલને ખુલ્લો મૂકતા પહેલા દાવો કર્યો હતો કે, તેમણે મોરબીની જનતાને આ હેન્ગિંગ બ્રિજની ભેટ આપવા માટે ખૂબ ચીવટપૂર્વક રિનોવેશન કરાવ્યું હતું. તેમણે જિંદાલ સહિતની કંપનીઓને સ્પેસિફિકેશન આપીને આ બ્રિજ માટે ખાસ મટિરિયલ ડેવલપ કરાવ્યું હતું. આવા હેન્ગિંગ બ્રિજ બનાવતી ધાંગધ્રાની પ્રકાશભાઈની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરવા માટે કંપનીએ 2 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.

304, 308 અને 114ની કલમ લગાડી ગુનો તો નોંધાયો પણ…

ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ નથી

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માટે ગઈકાલનો સન્ડે ‘બ્લેક સન્ડે’ સાબિત થયો છે. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનન્સ કરનારી એજન્સી સામે 304, 308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે, પરંતુ ઓરેવા કંપની કે માલિકનું ઋઈંછમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી. બ્રિજ બન્યા બાદ એનું ઉદઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ અને તેમનાં પરિવારનાં સભ્યો એલીસ પટેલ, ચિંતન પટેલ સહિતનાં પહોંચ્યા હતા, પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ સુધ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના ખઉએ પુલને ખુલ્લો મૂક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે, કારણ કે નગરપાલિકા કે વહીવટી તંત્ર પાસેથી કોઈપણ ગઘઈ સર્ટિફિકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મૂકી દીધો હતો.

નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ ગુનો ના નોંધાયો?

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંટા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. એ આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રીમેન્ટ કરી એને 15 વર્ષ માટે સમારકામ, મેઇન્ટેનન્સ અને એના તમામ આનુષંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો. આખરે નગરના કોઈપણ પ્રવાસન સ્થળની જવાબદારી નગરપાલિકાની હોય છે. તો આ દુર્ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ કોઈ ગુનો નથી નોંધાયો એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

મોરબીના ઝુલતા બ્રિજનો રાખરખાવ કરતી ઘછઊટઅ કંપની પૈસા લાલચુ હોવાનો પુરાવો

ટિકિટમાં નિયત ભાવ કરતાં રૂપિયા 2ની વધુ વસૂલાત

ટિકિટ વેંચી પૈસા કમાવવા માટે ક્ષમતાથી વધુ લોકોને પુલ ઉપર જવા દેવાયા!

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ હોનારતમાં અત્યાર સુધીમાં 141 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યા છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે તમારુ હદય કંપાવી દેશે. આ સાથે સવાલ એ પણ થાય છે કે આટલો મોટો અને જૂનો પુલ અચાનક તૂટી પડવાનું કારણ શું? મળતી માહિતી મુજબ આ ઝુલતા પુલ પર એક સાથે 150 લોકોની ક્ષમતા હતી. પરંતુ જેટલી ટિકિટ વહેંચવામાં આવી તે આંકડો સાંભળીને ચોંકી ઉઠશો. મોરબીમાં 150ની ક્ષમતા વાળા ઝૂલતા પુલ પર 675 લોકોને ટિકિટ વહેંચાઈ. અને જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પુલ પર એક સમય 400 થી વધારે લોકો હાજર હોવાનુ માનવામાં આવે છે. એટલુ જ નહીં આ પુલ પર જતા પ્રવાસીઓની ટિકીટ ભાઇઓ અને બહેનો માટે 17 રૂપિયા છે જ્યારે બાળકો માટે 12 રૂપિયા લેવામાં આવી હતી. જ્યારે મોરબી નગરપાલિકા અને કલેક્ટર દ્વારા નક્કી કરાયેલા ભાવ જોઇએ તો ભાઇઓને બહેનો માટે 15 રૂપિયા છે અને બાળકો માટે 10 રૂપિયા છે એટલે કે મોરબીના ઝુલતા બ્રિજના રાખરખાવ કરતી ઘછઊટઅ કંપની પૈસા લાલચુ હોવાનો પુરાવો સામે આવ્યો છે. ટિકિટમાં નિયત ભાવ કરતા રૂ. 2 વધુ વસુલતા હોવાના પુરાવા જોઇ શકાય છે. પૈસા ભૂખ્યા સંચાલકોના પુરાવા સામે આવ્યા છે. જેમાં ઉઘાડી લૂંટ કરી રહ્યા છે અને અત્યાર સુધી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા. અને હવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્લેકટર અને નગરપાલિકા તથા ઓરેવાગ્રુપ દ્વારા મંજુર કરેલા ઝુલતા પુલની ટિકિટના ભાવ અત્રે મૂકવામાં આવ્યા છે. જેમાં જોઇ શકાય વર્ષ 2022થી લઇને 2028 સુધીનાં ભાવ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે ગઇ કાલે પ્રવાસીઓને આપવામાં આવેલી ટિકિટ પણ અત્રે પ્રસ્તુત છે. ટિકીટમાં જોઇ શકાય છે કે 30 ઓક્ટોબર 2022માં ભાઇઓ-બહેનો માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા વસુલવામાં આવ્યા છે. એટલે કે ચોરી અને ઉપરથી સીના જોરી… પ્રવાસીઓ પાસેથી બે રૂપિયા વધારે વસૂલ્યા અને પુલની કેપીસીટી કરતા વધારે ટિકીટની વહેંચણી કરીને કંપનીની પોલ ખુલી છે. કંપની અને નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા પત્રમાં નક્કી કરવામાં આવેલા ભાવ મુજબ જો ભાવ લેવાતા હોત અને નિયમ મુજબ લોકોને ટિકીટ આપી હોત તો આજે અનેક પરિવાર બચી શક્યા હોત, અનેક બાળકો તેના માતા-પિતાથી વંચીત રહ્યા ન હોત, અનેક લોકો જીવન-મરણના ઝોલા ખાઈ રહ્યા ન હોત.

4 દિવસમાં 12 હજાર લોકો બ્રિજ પર આવ્યા

કોન્ટ્રાક્ટરનું રટણ: અકસ્માતના દિવસે 210 લોકોને જ ટિકિટ આપી હતી!

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગઈકાલે સાંજે મચ્છુ નદી પર આવેલી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે.ઘટના કઈ રીતે સર્જાઈ તેને લઈને સવાલ છે. જો કે મીડિયાએ સ્થળ પર જઈને તપાસ કરતા અધિકારી પાસેથી વિગત મેળવી હતી. આ બ્રિજ પર છેલ્લા ચાર દિવસમાં 12 હજાર લોકો આવ્યા હતાં. પરંતુ કોન્ટ્રાક્ટરનું તો એક જ રટણ છે કે અકસ્માતના દિવસે માત્ર 210 જ લોકોને ટીકિટ આપવામાં આવી હતી. દિવાળીનો તહેવાર અને રવિવાર હોવાથી મોરબી સિવાય અન્ય ગામના લોકો પણ ઝૂલતા પુલ પર આવ્યા હતા. કેટલાક લોકો બહારથી મોરબીમાં પ્રસંગ કે ફરવા આવ્યા હતા તો મુસ્લિમ લોકોનો ઉર્ષ તહેવાર પણ હતો. સાંજે 4 વાગ્યા બાદ પુલ પર લોકોની અવરજવર વધતી જતી હતી. 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ લોકોની ખુશી પુલ તૂટતા ચીચીયારીઓમાં પરિવર્તિત થઈ હતી. અનેક લોકો એક સાથે એક ધડાકે નીચે પડ્યા હતા. જેમાંથી કેટલાક તૂટેલા પુલના સહારે જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેટલાક સીધા નદીના ઊંડા પાણીમાં જતા રહ્યા હતા. મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ છે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ: તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા મીડિયાને જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

You Might Also Like

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

TAGGED: BRIDGE, death, JAYSUKHPATEL, machhuriver, morbi, OREVAGROUP, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં માતમ: દેશ શોકમગ્ન
Next Article Avast Antivirus Review

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?