By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
    55 minutes ago
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    1 hour ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    2 days ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    માઉન્ટ એવરેસ્ટના તિબેટીયન ઢોળાવ પર હિમવર્ષા બાદ ફસાયેલા 200થી વધુ પર્વતારોહકો, 350ને બચાવ્યા
    30 minutes ago
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    2 days ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    2 days ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    2 days ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    7 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    7 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    16 minutes ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

ઓરેવાનાં જયસુખ પટેલનો જઘન્ય સામુહિક હત્યાકાંડ

Khaskhabar Editor
Last updated: 2022/10/31 at 5:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
10 Min Read
SHARE

મોરબી હોનારત માનવસર્જીત

ઓરેવાના MD જયસુખ પટેલે 26મીએ કહ્યું હતું કે બ્રિજને 10 વર્ષ સુધી ઊંની આંચ નહીં આવે!

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં મચ્છુ નદી પરના હેન્ગિંગ બ્રિજનું રિનોવેશન જાણીતી કંપની ઓરેવાએ હજી હમણાં જ 2 કરોડના ખર્ચે કર્યું હતું. જ્યારે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો તેના પાંચ જ દિવસમાં આ બ્રિજ તૂટી પડ્યો અને 141 મોત થયા છે. મૃત્યુઆંક હજી પણ વધી શકે છે કારણ કે પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુના પાણીમાં ગરકાવ થયાનું મનાય છે. આ પુલ તૂટવાની ઘટના હકીકતમાં ઓરેવાના માથે કાળી ટીલી સમાન પૂરવાર થઈ છે. જ્યારે આ હોનારત બાદ ઓરેવાના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

2 કરોડમાં ઓરેવાએ રિનોવેટ કરેલો મોરબીનો બ્રિજ 5 દિવસમાં તૂટ્યો

- Advertisement -

પાલિકાના વેરિફિકેશન કે મજબૂતાઈના સર્ટિફિકેટ વિના જ હેન્ગિંગ બ્રિજને પોતાની જાતે ખુલ્લો મૂકી દેતાં ઓરેવાનાં જયસુખભાઈ પટેલ, તેમની દીકરી એલિસ, દીકરો ચિંતન સહિતનાં દેખાય છે. આ પ્રસંગે જયસુખ પટેલે પત્રકારો સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે પુલ એટલો મજબૂત છે કે આગામી આઠથી દસ વર્ષ સુધી એને કંઈ નહીં થાય… પરંતુ પુલ તો માત્ર 5 દિવસમાં જ ધ્વસ્ત થઈ ગયો. ત્યારે આ સમગ્ર જઘન્ય હત્યાકાંડના દોષિત જયસુખ પટેલ સામે પગલાં લેવા જરૂરી બન્યા છે.

સ્પેશિયાલિસ્ટ કંપનીના મટીરિયલનો ઉપયોગ કર્યો હતો: જયસુખ પટેલ
ઓરેવાનાં ખઉ જયસુખ પટેલે આ પુલને ખુલ્લો મૂકતા પહેલા દાવો કર્યો હતો કે, તેમણે મોરબીની જનતાને આ હેન્ગિંગ બ્રિજની ભેટ આપવા માટે ખૂબ ચીવટપૂર્વક રિનોવેશન કરાવ્યું હતું. તેમણે જિંદાલ સહિતની કંપનીઓને સ્પેસિફિકેશન આપીને આ બ્રિજ માટે ખાસ મટિરિયલ ડેવલપ કરાવ્યું હતું. આવા હેન્ગિંગ બ્રિજ બનાવતી ધાંગધ્રાની પ્રકાશભાઈની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ બ્રિજનું રિનોવેશન કરવા માટે કંપનીએ 2 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો.

304, 308 અને 114ની કલમ લગાડી ગુનો તો નોંધાયો પણ…

ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ નથી

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માટે ગઈકાલનો સન્ડે ‘બ્લેક સન્ડે’ સાબિત થયો છે. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ એમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનન્સ કરનારી એજન્સી સામે 304, 308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે, પરંતુ ઓરેવા કંપની કે માલિકનું ઋઈંછમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી. બ્રિજ બન્યા બાદ એનું ઉદઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ અને તેમનાં પરિવારનાં સભ્યો એલીસ પટેલ, ચિંતન પટેલ સહિતનાં પહોંચ્યા હતા, પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે, જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ સુધ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના ખઉએ પુલને ખુલ્લો મૂક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે, કારણ કે નગરપાલિકા કે વહીવટી તંત્ર પાસેથી કોઈપણ ગઘઈ સર્ટિફિકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મૂકી દીધો હતો.

નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ ગુનો ના નોંધાયો?

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંટા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. એ આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રીમેન્ટ કરી એને 15 વર્ષ માટે સમારકામ, મેઇન્ટેનન્સ અને એના તમામ આનુષંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો. આખરે નગરના કોઈપણ પ્રવાસન સ્થળની જવાબદારી નગરપાલિકાની હોય છે. તો આ દુર્ઘટનામાં નગરપાલિકાના અધિકારીઓ સામે કેમ કોઈ ગુનો નથી નોંધાયો એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

મોરબીના ઝુલતા બ્રિજનો રાખરખાવ કરતી ઘછઊટઅ કંપની પૈસા લાલચુ હોવાનો પુરાવો

ટિકિટમાં નિયત ભાવ કરતાં રૂપિયા 2ની વધુ વસૂલાત

ટિકિટ વેંચી પૈસા કમાવવા માટે ક્ષમતાથી વધુ લોકોને પુલ ઉપર જવા દેવાયા!

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ હોનારતમાં અત્યાર સુધીમાં 141 જેટલા લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યા છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે તમારુ હદય કંપાવી દેશે. આ સાથે સવાલ એ પણ થાય છે કે આટલો મોટો અને જૂનો પુલ અચાનક તૂટી પડવાનું કારણ શું? મળતી માહિતી મુજબ આ ઝુલતા પુલ પર એક સાથે 150 લોકોની ક્ષમતા હતી. પરંતુ જેટલી ટિકિટ વહેંચવામાં આવી તે આંકડો સાંભળીને ચોંકી ઉઠશો. મોરબીમાં 150ની ક્ષમતા વાળા ઝૂલતા પુલ પર 675 લોકોને ટિકિટ વહેંચાઈ. અને જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પુલ પર એક સમય 400 થી વધારે લોકો હાજર હોવાનુ માનવામાં આવે છે. એટલુ જ નહીં આ પુલ પર જતા પ્રવાસીઓની ટિકીટ ભાઇઓ અને બહેનો માટે 17 રૂપિયા છે જ્યારે બાળકો માટે 12 રૂપિયા લેવામાં આવી હતી. જ્યારે મોરબી નગરપાલિકા અને કલેક્ટર દ્વારા નક્કી કરાયેલા ભાવ જોઇએ તો ભાઇઓને બહેનો માટે 15 રૂપિયા છે અને બાળકો માટે 10 રૂપિયા છે એટલે કે મોરબીના ઝુલતા બ્રિજના રાખરખાવ કરતી ઘછઊટઅ કંપની પૈસા લાલચુ હોવાનો પુરાવો સામે આવ્યો છે. ટિકિટમાં નિયત ભાવ કરતા રૂ. 2 વધુ વસુલતા હોવાના પુરાવા જોઇ શકાય છે. પૈસા ભૂખ્યા સંચાલકોના પુરાવા સામે આવ્યા છે. જેમાં ઉઘાડી લૂંટ કરી રહ્યા છે અને અત્યાર સુધી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા. અને હવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્લેકટર અને નગરપાલિકા તથા ઓરેવાગ્રુપ દ્વારા મંજુર કરેલા ઝુલતા પુલની ટિકિટના ભાવ અત્રે મૂકવામાં આવ્યા છે. જેમાં જોઇ શકાય વર્ષ 2022થી લઇને 2028 સુધીનાં ભાવ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે ગઇ કાલે પ્રવાસીઓને આપવામાં આવેલી ટિકિટ પણ અત્રે પ્રસ્તુત છે. ટિકીટમાં જોઇ શકાય છે કે 30 ઓક્ટોબર 2022માં ભાઇઓ-બહેનો માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા વસુલવામાં આવ્યા છે. એટલે કે ચોરી અને ઉપરથી સીના જોરી… પ્રવાસીઓ પાસેથી બે રૂપિયા વધારે વસૂલ્યા અને પુલની કેપીસીટી કરતા વધારે ટિકીટની વહેંચણી કરીને કંપનીની પોલ ખુલી છે. કંપની અને નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા પત્રમાં નક્કી કરવામાં આવેલા ભાવ મુજબ જો ભાવ લેવાતા હોત અને નિયમ મુજબ લોકોને ટિકીટ આપી હોત તો આજે અનેક પરિવાર બચી શક્યા હોત, અનેક બાળકો તેના માતા-પિતાથી વંચીત રહ્યા ન હોત, અનેક લોકો જીવન-મરણના ઝોલા ખાઈ રહ્યા ન હોત.

4 દિવસમાં 12 હજાર લોકો બ્રિજ પર આવ્યા

કોન્ટ્રાક્ટરનું રટણ: અકસ્માતના દિવસે 210 લોકોને જ ટિકિટ આપી હતી!

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગઈકાલે સાંજે મચ્છુ નદી પર આવેલી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે.ઘટના કઈ રીતે સર્જાઈ તેને લઈને સવાલ છે. જો કે મીડિયાએ સ્થળ પર જઈને તપાસ કરતા અધિકારી પાસેથી વિગત મેળવી હતી. આ બ્રિજ પર છેલ્લા ચાર દિવસમાં 12 હજાર લોકો આવ્યા હતાં. પરંતુ કોન્ટ્રાક્ટરનું તો એક જ રટણ છે કે અકસ્માતના દિવસે માત્ર 210 જ લોકોને ટીકિટ આપવામાં આવી હતી. દિવાળીનો તહેવાર અને રવિવાર હોવાથી મોરબી સિવાય અન્ય ગામના લોકો પણ ઝૂલતા પુલ પર આવ્યા હતા. કેટલાક લોકો બહારથી મોરબીમાં પ્રસંગ કે ફરવા આવ્યા હતા તો મુસ્લિમ લોકોનો ઉર્ષ તહેવાર પણ હતો. સાંજે 4 વાગ્યા બાદ પુલ પર લોકોની અવરજવર વધતી જતી હતી. 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ લોકોની ખુશી પુલ તૂટતા ચીચીયારીઓમાં પરિવર્તિત થઈ હતી. અનેક લોકો એક સાથે એક ધડાકે નીચે પડ્યા હતા. જેમાંથી કેટલાક તૂટેલા પુલના સહારે જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેટલાક સીધા નદીના ઊંડા પાણીમાં જતા રહ્યા હતા. મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ છે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ: તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા મીડિયાને જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

You Might Also Like

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે

જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્ર્વકર્મા

શક્તિ વાવાઝોડું: ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની આગાહી

સરગમ પરિવારના રાસોત્સવમાં 250 ઇનામોનો વરસાદ: હજારો ખેલૈયા ઝૂમ્યા

TAGGED: BRIDGE, death, JAYSUKHPATEL, machhuriver, morbi, OREVAGROUP, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં માતમ: દેશ શોકમગ્ન
Next Article Avast Antivirus Review

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મ

આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
માઉન્ટ એવરેસ્ટના તિબેટીયન ઢોળાવ પર હિમવર્ષા બાદ ફસાયેલા 200થી વધુ પર્વતારોહકો, 350ને બચાવ્યા
લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ કેનેડામાં હરીફના ઘરે અંધાધૂંધ ગોળીબાર
અમેરિકા શટડાઉનની અસર સ્પેસ એજન્સી નાસામાં જોવા મળી છે
ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્ર્વકર્મા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?