36 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સાવરકુંડલાના વિજપડી ગામે આહીર સમાજ સંગઠન સમિતિ દ્વારા ભવ્ય 23 મા સમૂહલગ્નનું આયોજન કરવામા આવ્યું હતું. પધારેલા મહેમાનોના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામા આવ્યો હતો. અને ઉપસ્થિત રહેલા મહેમાનોનુ પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતાં. આ સમુહ લગ્નમાં 36 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. અને દીકરીઓને કરિયાવરમાં 68 જેટલી ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી. સાથોસાથ વ્યસનમુક્તિ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં 251 જેટલી બ્લડની બોટલ એકત્રિત થઇ હતી. અને ક્ધયા કેળવણી અને શિક્ષણના વધતા વ્યાપ સાથે સમાજ ઉસ્થાન થાય તેને પ્રાધાન્ય આપ્યું હતું. આ સમારોહમાં સંપૂર્ણ ખર્ચનાં દાતા તરીકે શામળાબાપા ગુર્જર,ઉકાબાપા ગુર્જર,બાલાબાપા ગુર્જરને અવસરના અધ્યક્ષ બનવાનો લાભ મળ્યો હતો તથા સમૂહલગ્ન સમિતિનાં પ્રમુખ છોટુભાઈ કાતરીયા,ઉપપ્રમુખ ખીમજીભાઈ ગુર્જર, મંત્રી મોહનભાઈ કાતરીયા,ખીમજીભાઈ કાતરીયા, ગીજુભાઈ પરડવા, સુરેશભાઇ ગુર્જર, લાલભાઈ ગુર્જર, રવિભાઈ કાતરીયા તથા વિજપડી સમૂહલગ્ન સમિતિ અને સંગઠન સમિતિનાં અગ્રણીઓની અવિરત મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો. સમ્રગ કાર્યક્રમનુ સંચાલન ભાવેશભાઇ ડોલર તથા ભરતભાઇ કલસરીયા દ્વારા સંચાલન કરાયું હતું. આ તકે સંતો-મહંતો, આહીર સમાજના આગેવાનો-અગ્રણીઓ,મહાનુભાવો, સમાજના દાતાશ્રીઓ,સમાજના સરકારી સેવા આપતા અધિકારીઓ, પત્રકાર મિત્રો સહિત બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.